March 28, 2024
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

11મી જૂને દીવમાં કેન્‍દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના અધ્‍યક્ષ પદે મળનારી વેર્સ્‍ટન ઝોનલ કાઉન્‍સિલની બેઠક

વેર્સ્‍ટન ઝોનલ કાઉન્‍સિલની બેઠકમાં મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી ઉદ્વવ ઠાકરે, ગુજરાતના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્ર પટેલ, ગોવાના મુખ્‍યમંત્રી ડો. પ્રમોદ સાવંત તથા અન્‍ય વરિષ્‍ઠ મંત્રીઓની પણ રહેનારી સંભવિત ઉપસ્‍થિતિ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) દીવ, તા.17
વેર્સ્‍ટન ઝોનલ કાઉન્‍સિલની 26મી બેઠક અગામી 11મી જૂનના રોજ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના દીવ ખાતે કેન્‍દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહના અધ્‍યક્ષ સ્‍થાને યોજાનાર હોવાની માહિતી મળી રહી છે. જો કે આ બાબતે કોઈ સત્તાવાર માહિતી ભારત સરકાર કે સ્‍થાનિક પ્રશાસન દ્વારા જારી કરવામાં નથી આવી.
આજે સંઘપ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ પોતાના વ્‍યસ્‍ત સમય વચ્‍ચે દીવની ઝડપભેર ટૂંકી મુલાકાત લઈ સમગ્ર પરિસ્‍થિતિ અને તૈયારીનું નિરીક્ષણ કર્યુ હતું. સંઘપ્રદેશ પ્રશાસનના સચિવ સ્‍તરના તમામ વરિષ્‍ઠ અધિકારીઓ હાલમાં દીવ ખાતે તૈનાત છે અને વેર્સ્‍ટન ઝોનલની ર6મી બેઠકને સફળ બનાવવા માટે પોતાની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે.
11મી જૂનના રોજ દીવખાતે કેન્‍દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ ઉપરાંત ગૃહ મંત્રાલયના વરિષ્‍ઠ અધિકારીઓ, મહારાષ્‍ટ્રના મુખ્‍યમંત્રી, ગૃહ મંત્રી, ગોવાના મુખ્‍યમંત્રી, ગૃહ મંત્રી, ગુજરાત રાજ્‍યના મુખ્‍યમંત્રી તથા અન્‍ય મંત્રીઓ તેમજ કેન્‍દ્ર શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પ્રશાસક તથા વરિષ્‍ઠ અધિકારીઓ ઉપસ્‍થિત રહેશે.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ 26મી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલ મીટિંગના યજમાન પદે હોવાથી પ્રદેશના પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલ સમગ્ર બેઠકનું સંકલન કરશે.
જાન્‍યુઆરી ર0ર0માં મહારાષ્‍ટ્ર ખાતે યોજાયેલી રપમી વેસ્‍ટર્ન ઝોનલ કાઉન્‍સિલની બેઠક યોજાઈ હતી.

Related posts

સેલવાસ પોલીસે 8 જુગારીઓને ઝડપી પાડયા

vartmanpravah

દાનહ કોંગ્રેસ દ્વારા સેલવાસ ખાતે નવી પંચાયત માર્કેટમાં માતાજીનું મંદિર બનાવવા કલેક્‍ટરને કરાયેલી રજૂઆત

vartmanpravah

વંદે ગુજરાત વિકાસ યાત્રા” નવસારી જિલ્લો : પીપલખેડ ખાતેથી વિકાસરથનું કરાયુંશુભારંભ

vartmanpravah

વાપી કેબીએસ કોલેજમાં હંગામા વીકની ઉજવણી કરાઈ

vartmanpravah

દમણ અને દીવથી પ્રથમ બેઠક જીતાડી ‘અબકી બાર 400 પાર’ના સૂત્ર અને સંકલ્‍પ સાથે ‘એકબાર ફિર મોદી સરકાર’ બનાવવામાં સહયોગ આપવા લાલુભાઈ પટેલે કરેલું આહ્‌વાન

vartmanpravah

આજે બદલાયેલા દાનહ અને દમણ-દીવનો શ્રેય પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીની દીર્ઘદૃષ્‍ટિના ફાળે જાય છે

vartmanpravah

Leave a Comment