June 30, 2025
Vartman Pravah
Breaking Newsવલસાડ

વાપી-વલસાડમાં સી.સી.ટી.વી. કમાન્‍ડ કન્‍ટ્રોલ ટીમે રીક્ષામાં રહી ગયેલ લેપટોપ અને રસ્‍તામાં પડેલ પાકીટ મેળવી આપ્‍યું

જિલ્લા પોલીસ દ્વારા કાર્યરત કરાયેલ ‘નેત્રમ’ કમાન્‍ડ કન્‍ટ્રોલ આઈ.સી.એમ.એમ. સોફટવેરની સેવા મૂલ્‍યવાન સાબિત થઈ રહી છે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.10
વલસાડ જિલ્લા પોલીસ દ્વારા મહત્‍વના શહેરી વિસ્‍તારોમાં ‘નેત્રમ’ સી.સી.ટી.વી. કમાન્‍ડ સેવા કાર્યરત કરવામાં આવી છે. આ સેવા મૂલ્‍યવાન સાબિત થઈ રહી છે. હાલમાં જ વાપી, ચલા અને વલસાડમાં બે વ્‍યક્‍તિઓના લેપટોપ અને પાકીટ જે ગુમ થયેલ તે તેત્ર કમાન્‍ડ કન્‍ટ્રોલ ટીમે શોધી આપી તેમને પરત મેળવી આપ્‍યા હતા.
જિલ્લા પોલીસ દ્વારા શહેરી વિસ્‍તારમાં મુખ્‍ય રોડો ઉપર આધુનિક સી.સી.ટી.વી. કેમેરા સિસ્‍ટમ કાર્યરત કરી છે. તે સીધી કન્‍ટ્રોલ રૂમ સાથે સંકળાયેલ છે. તેથી જાહેર રોડ ઉપર કોઈ ઘટના ઘટે તો સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ જતી હોય છે. તે મુજબ વાપી ચલામાં ડાભેલ ચેકપોસ્‍ટ પાસે એક ઈસમ રીક્ષામાં લેપટોપ ભૂલી ગયો હતો. જે પોલીસ વિભાગના શ્રી જીતુભાઈ રમેશભાઈએ રીક્ષાવાળાને ફુટેજ આધારે શોધી લેપટોપ પરત મેળવી આપેલ તેવી બીજી ઘટના વલસાડમાં બની હતી. ચાલુ વાહને પાકીટ પડી ગયેલ જે અન્‍ય વાહન ચાલકે ઉપાડી લીધેલ. આમાં પણઆઈ.સી.એમ.એસ. સોફટવેર આધારે જે વ્‍યક્‍તિનું પાકીટ પડી ગયેલું તે પોલીસે શોધી આપ્‍યું હતું. આમ નાગરિકો માટે ‘નેત્રમ’ કમાન્‍ડ કન્‍ટ્રોલ સેવા આશીર્વાદરૂપ પુરવાર થઈ રહી છે.

Related posts

જનતા દળ(યુ) શાસિત દાનહ જિ.પં.ના 1પ સભ્‍યોને ભાજપમાં વિલય કરવાના પ્રસ્‍તાવને પ્રશાસને આપેલી મંજૂરી

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ અને સભ્‍યપદેથી નવિન પટેલ સસ્‍પેન્‍ડઃ પંચાયતી રાજ સચિવે જારી કરેલો આદેશ

vartmanpravah

લોકોમાં સ્‍વચ્‍છતા અંગે જાગૃતિ લાવવા અને સામુદાયિક ભાગીદારી સાથે જાહેર સ્‍થળોની સ્‍વચ્‍છતા સુનિશ્ચિત કરવાના હેતુથી દાનહમાં ‘‘સ્‍વચ્‍છતા હી સેવા-2024” પ્રેકૃતિ સ્‍વચ્‍છતા થીમ હેઠળ ધાર્મિક સ્‍થળો, પ્રવાસન સ્‍થળો અને જાહેર માર્ગોની કરાયેલી સાફ-સફાઈ

vartmanpravah

શિક્ષક દિવસના ઉપલક્ષમાં ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દમણની સરકારી પોલિટેકનિકના વિભાગાધ્‍યક્ષ ડૉ. રાકેશકુમાર ભૂજાડેની ટેક-ગુરૂના એવોર્ડથી કરાયેલું સન્‍માન

vartmanpravah

સમગ્ર શિક્ષા વિભાગ દીવ દ્વારા ધો. 3 થીપના શિક્ષકો માટે ત્રિ-દિવસીય beyond basic તાલીમનું કરાયેલું આયોજન

vartmanpravah

દાદાસાહેબ જાંબુળકર 21 વર્ષની વયે નગર હવેલી સંગ્રામમાં કૂદી પડયા હતા

vartmanpravah

Leave a Comment