June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી માણેકપોર ગામે વિન્ડ્‌સન કેમિકલ કંપનીમાં બોયલર સાફ સફાઈ કરવા આવેલ મજૂરનું દાઝી જતા સારવાર દરમ્યાન નિપજેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના માણેકપોર ખાતે આવેલ વિન્‍ડ્‍સન કેમિકલ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ગત તા.3-એપ્રિલના રોજ બોયલરની સાફ સફાઈ કરવા માટે દિનેશ રંગઇરામ ગૌતમ (હાલ રહે.વડાજલા દહેજ જી.ભરૂચ) (મૂળ રહે.પટખોલી ગામ પોસ્‍ટ પરિયત થાના બરસેથી તા.મણીયાહૂ જી.જોનપુર યુ.પી) આવ્‍યો હતો. દરમ્‍યાન 5-એપ્રિલની સાંજનાસાતેક વાગ્‍યાના સમયે સાફ સફાઈ દરમ્‍યાન બોયલરમાંથી ગરમ પાણી એકાએક ઉછળી દિનેશભાઈના શરીરના પાછળના ભાગે, હાથ તેમજ પેટના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલ ખાતે ખસેડાયો હતો. જ્‍યાં દિનેશભાઇ ગૌતમનું સારવાર દરમ્‍યાન શુક્રવારની બપોરના સમયે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેની ફરિયાદ મરનારના પુત્ર અભયરાજ દિનેશકુમાર ગૌતમ (ઉ.વ.આ-22) (રહે.પટખોલી ગામ પોસ્‍ટ પરિયત થાના બરસેટી તા.મણીયાહૂ જી.જોનપુર યુ.પી) એ કરતા વધુ તપાસ પીએસઆઈ-એચ.એસ.પટેલ કરી રહ્યા છે.

Related posts

સંઘપ્રદેશ થ્રીડી તથા લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ભારતના મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ, નાણાંમંત્રી નિર્મલા સીતારમણ અને રક્ષામંત્રી રાજનાથ સિંઘની લીધેલી શુભેચ્‍છા મુલાકાત

vartmanpravah

ખાનવેલની કેન્‍દ્ર શાળા પરિસરમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

આંટિયાવાડ ગ્રા.પં.ના સરપંચની પેટા ચૂંટણી માટે ઉર્વશીબેન પટેલે નોંધાવેલી ઉમેદવારી

vartmanpravah

રાજ્‍યના નાણાં મંત્રી કનુભાઈ દેસાઈનો વલસાડ જિલ્લાનો બે દિવસીય પ્રવાસ કાર્યક્રમ

vartmanpravah

લ્‍યો કરો વાત..! છેલ્લા દોઢ મહિના કરતા વધુ સમયથી કચીગામ-ઝરીના બ્રિજની સ્‍ટ્રીટ લાઈટો બંધ છતાં જવાબદાર તંત્રનું ભેદી મૌન

vartmanpravah

ચૂંટણી પંચ દ્વારા નજીકના દિવસોમાં ચૂંટણી જાહેર થવાની શક્‍યતા વચ્‍ચે ચીખલી તાલુકાની ખાલી પડેલ અને વિભાજન થયેલી 10 જેટલી ગ્રામ પંચાયતોમાં સરપંચની સામાન્‍ય અને પેટા ચૂંટણી માટે તંત્ર દ્વારા ગતિવિધિ તેજ કરવામાં આવી

vartmanpravah

Leave a Comment