Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી માણેકપોર ગામે વિન્ડ્‌સન કેમિકલ કંપનીમાં બોયલર સાફ સફાઈ કરવા આવેલ મજૂરનું દાઝી જતા સારવાર દરમ્યાન નિપજેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના માણેકપોર ખાતે આવેલ વિન્‍ડ્‍સન કેમિકલ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ગત તા.3-એપ્રિલના રોજ બોયલરની સાફ સફાઈ કરવા માટે દિનેશ રંગઇરામ ગૌતમ (હાલ રહે.વડાજલા દહેજ જી.ભરૂચ) (મૂળ રહે.પટખોલી ગામ પોસ્‍ટ પરિયત થાના બરસેથી તા.મણીયાહૂ જી.જોનપુર યુ.પી) આવ્‍યો હતો. દરમ્‍યાન 5-એપ્રિલની સાંજનાસાતેક વાગ્‍યાના સમયે સાફ સફાઈ દરમ્‍યાન બોયલરમાંથી ગરમ પાણી એકાએક ઉછળી દિનેશભાઈના શરીરના પાછળના ભાગે, હાથ તેમજ પેટના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલ ખાતે ખસેડાયો હતો. જ્‍યાં દિનેશભાઇ ગૌતમનું સારવાર દરમ્‍યાન શુક્રવારની બપોરના સમયે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેની ફરિયાદ મરનારના પુત્ર અભયરાજ દિનેશકુમાર ગૌતમ (ઉ.વ.આ-22) (રહે.પટખોલી ગામ પોસ્‍ટ પરિયત થાના બરસેટી તા.મણીયાહૂ જી.જોનપુર યુ.પી) એ કરતા વધુ તપાસ પીએસઆઈ-એચ.એસ.પટેલ કરી રહ્યા છે.

Related posts

વલસાડમાં પુસ્તક પરબમાંથી ૧૦૮ પુસ્તકોને વાચકો મળ્યા

vartmanpravah

દાનહના કલેકટર ડો. રાકેશ મિન્‍હાસના હસ્‍તે માતૃછાયા શિશુગૃહનું ઉદ્‌ઘાટન કરાયું

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દમણના કચીગામ ખાતે કંઠેશ્વર મહાદેવના મંદિરમાં કરેલી પૂજા-અર્ચના

vartmanpravah

પારડીમાં નાણામંત્રીશ્રી કનુભાઈ દેસાઈની અધ્યક્ષતામાં ૧૩માં ગરીબ કલ્યાણ મેળામાં ૩૫૧૬૩ લાભાર્થીને ૮૧ કરોડની સહાય ચૂકવાઈ

vartmanpravah

વલસાડ તિથલ બિચ પર સન્‍ડે સ્‍પોર્ટસ કલબ દ્વારા મેરેથોન યોજાઈ, 1300થી વધુ લોકો ઉત્‍સાહભેર દોડ્‍યા

vartmanpravah

વલસાડમાં આઝાદીની સ્મૃતિરૂપે મશાલ યાત્રા નીકળી, અંદાજે 3000થી વધુ લોકો સ્વયંભૂ ઉમટ્યા

vartmanpravah

Leave a Comment