September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી માણેકપોર ગામે વિન્ડ્‌સન કેમિકલ કંપનીમાં બોયલર સાફ સફાઈ કરવા આવેલ મજૂરનું દાઝી જતા સારવાર દરમ્યાન નિપજેલું મોત

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના માણેકપોર ખાતે આવેલ વિન્‍ડ્‍સન કેમિકલ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં ગત તા.3-એપ્રિલના રોજ બોયલરની સાફ સફાઈ કરવા માટે દિનેશ રંગઇરામ ગૌતમ (હાલ રહે.વડાજલા દહેજ જી.ભરૂચ) (મૂળ રહે.પટખોલી ગામ પોસ્‍ટ પરિયત થાના બરસેથી તા.મણીયાહૂ જી.જોનપુર યુ.પી) આવ્‍યો હતો. દરમ્‍યાન 5-એપ્રિલની સાંજનાસાતેક વાગ્‍યાના સમયે સાફ સફાઈ દરમ્‍યાન બોયલરમાંથી ગરમ પાણી એકાએક ઉછળી દિનેશભાઈના શરીરના પાછળના ભાગે, હાથ તેમજ પેટના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે વલસાડ કસ્‍તુરબા હોસ્‍પિટલ ખાતે ખસેડાયો હતો. જ્‍યાં દિનેશભાઇ ગૌતમનું સારવાર દરમ્‍યાન શુક્રવારની બપોરના સમયે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેની ફરિયાદ મરનારના પુત્ર અભયરાજ દિનેશકુમાર ગૌતમ (ઉ.વ.આ-22) (રહે.પટખોલી ગામ પોસ્‍ટ પરિયત થાના બરસેટી તા.મણીયાહૂ જી.જોનપુર યુ.પી) એ કરતા વધુ તપાસ પીએસઆઈ-એચ.એસ.પટેલ કરી રહ્યા છે.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે દીવના વિકાસ કામોની સમીક્ષા અને નિરીક્ષણ સાથે 2023ના નવા વર્ષની કરેલી ઉજવણી

vartmanpravah

કમોસમી વરસાદને પગલે વકરેલી બિમારી : ચીખલી તાલુકાના 79 આરોગ્‍ય સેન્‍ટરોમાં 3 દિવસમાં 457 દર્દીઓ નોંધાયા

vartmanpravah

ભીમપોર પટેલ ફળિયા સ્‍થિત જલારામ મંદિરમાં 36મી શ્રી જલારામ જયંતિની કરાયેલી ઉજવણી

vartmanpravah

..સાવ ઓછા પ્રયત્‍નમાં જ દાદરા સામ્‍યવાદીઓના હાથમાં આવી ગયું

vartmanpravah

સરકારી વિનયન અને વાણિજ્‍ય કોલેજ નેત્રંગ ભરૂચ ખાતે આદિવાસી સંસ્‍કૃતિ અને સાહિત્‍ય વિષય પર રાષ્‍ટ્રીય સેમિનાર યોજાયો

vartmanpravah

સ્‍વાગત કાર્યક્રમના 20 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 29 એપ્રિલ સુધી સ્‍વાગત સપ્તાહની ઉજવણી કરાશે

vartmanpravah

Leave a Comment