(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.12: ચીખલી તાલુકાના માણેકપોર ખાતે આવેલ વિન્ડ્સન કેમિકલ ઈન્ડસ્ટ્રીઝમાં ગત તા.3-એપ્રિલના રોજ બોયલરની સાફ સફાઈ કરવા માટે દિનેશ રંગઇરામ ગૌતમ (હાલ રહે.વડાજલા દહેજ જી.ભરૂચ) (મૂળ રહે.પટખોલી ગામ પોસ્ટ પરિયત થાના બરસેથી તા.મણીયાહૂ જી.જોનપુર યુ.પી) આવ્યો હતો. દરમ્યાન 5-એપ્રિલની સાંજનાસાતેક વાગ્યાના સમયે સાફ સફાઈ દરમ્યાન બોયલરમાંથી ગરમ પાણી એકાએક ઉછળી દિનેશભાઈના શરીરના પાછળના ભાગે, હાથ તેમજ પેટના ભાગે ગંભીર રીતે દાઝી જતા સારવાર અર્થે વલસાડ કસ્તુરબા હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં દિનેશભાઇ ગૌતમનું સારવાર દરમ્યાન શુક્રવારની બપોરના સમયે ફરજ પરના તબીબે મૃત જાહેર કરતા બનાવ અંગેની ફરિયાદ મરનારના પુત્ર અભયરાજ દિનેશકુમાર ગૌતમ (ઉ.વ.આ-22) (રહે.પટખોલી ગામ પોસ્ટ પરિયત થાના બરસેટી તા.મણીયાહૂ જી.જોનપુર યુ.પી) એ કરતા વધુ તપાસ પીએસઆઈ-એચ.એસ.પટેલ કરી રહ્યા છે.