January 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી નગરપાલિકાની બંધ પડેલી ઈ-નગર વેબસાઈટ શરૂ: ચાલુ નાણાકીય વર્ષમાં મિલકત વેરામાં 10 ટકાનો વધારો થશે

માંગણા બીલ સ્‍વિકારવા અને નવા બિલ બનાવાની કામગીરીશરૂ : નવા વેરા વધારાની 80 હજાર મિલકત ધારકોને અસર થશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી નગરપાલિકાની વેબસાઈટ છેલ્લા 15-20 દિવસથી બંધ હતી. પરિણામે માંગણા બીલ ભરવાની મુશ્‍કેલી ઉભી થઈ હતી પરંતુ ગતરોજ પાલિકાની બંધ પડેલી ઈ-નગર વેબસાઈટ અપડેટ થઈને ફરી કાર્યરત થઈ છે તેથી માંગણા બિલ બનાવવા અને ભરવાની કામગીરી હવે રાબેતા મુજબ શરૂ થઈ ગઈ છે.
વાપી નગરપાલિકાની ગત મળેલી સામાન્‍ય સભામાં મિલકત વેરાનો 10 ટકાનો વધારો કરવામાં આવ્‍યો છે. જેનો અમલ ચાલું નાણાંકિય વર્ષમાં થઈ જશે. નવો મિલકત વેરાનો 10 ટકાનો વધારો 80 હજાર ઉપરાંત મિલકત ધારકોને થશે. ગયા નાણાંકિય વર્ષમાં પાલિકા દ્વારા 94 ટકા મિલકત વેરાની કામગીરી કરી હતી. નવિન નાણાંકિય વર્ષના માંગણા બીલ એકાદ બે મહિનામાં મિલકત ધારકોને ઘર પહોંચ પહોંચી જશે. અલબત્ત નવા માંગણા બિલમાં 10 ટકાના વધારાની અસર પણ મિલકત ધારકો ઉપર પડી શકે છે. જો કે પાલિકાએ નિયમનુસાર 10 ટકાનો મિલકત વેરામાં વધારો કર્યો છે તેવું પાલિકા શાસકોનું માનવું છે. આગામી વર્ષ વાપી પાલિકા મહાનગર પાલિકામાં પરિવર્તિત થનાર છે એટલે અન્‍ય બીજા પણ ટેકનિકલ ફેરફારો થઈ શકે છે.

Related posts

પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસ નિમિત્તે મગરવાડાના સરપંચ લખીબેન પટેલે ભરવાડ ફળિયા અને થાણાપારડી શાળામાં કરાવેલું તિથિ ભોજન

vartmanpravah

વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન નૂતન ગ્રામ વિદ્યાપીઠ થવામાં ‘વિશ્વ યોગ દિવસ’ની ઉજવણી

vartmanpravah

લોકસભા ચૂંટણીના આદર્શ આચારસંહિતા અંતર્ગત દમણમાં સર્વેલન્‍સ ટીમે એક સપ્તાહમાં રૂા.67300ની રોકડ અને રૂા.36,220ની કિંમતનો દારૂ જપ્ત કર્યો

vartmanpravah

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ અમદાવાદમાં કાર્યકર સુવર્ણ મહોત્સવને સંબોધિત કર્યો આપણી સંસ્કૃતિમાં સેવાને સૌથી મોટો ધર્મ માનવામાં આવ્યો છે, સેવાને ભક્તિ, શ્રદ્ધા અને આરાધના કરતાં ઊંચું સ્થાન આપવામાં આવ્યું છેઃ પીએમ

vartmanpravah

વલસાડ તાલુકાના ડુંગરી હાઈસ્‍કૂલ રોડ પર બે ઘરનો વિસ્‍તાર કલસ્‍ટર કન્‍ટાઈનમેન્‍ટ ઝોન તરીકે જાહેર

vartmanpravah

સંઘપ્રદેશની દરેક માધ્‍યમનીશાળાઓમાં મળનારા વિષય શિક્ષકોઃ પ્રશાસકશ્રીએ આપેલો ભરોસો

vartmanpravah

Leave a Comment