(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
ચીખલી,(વંકાલ), તા.19: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ચીખલી શાખા દ્વારા ખાતેદાર સરોજબેન અશોકભાઈ હળપતિનું અકસ્માતમાં નિધન થતાં પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત તેમના વારસદારને બ્રાન્ચ મેનેજર અમનભાઈ દ્વારા સિનિયર અધિકારી નવીનભાઈ પટેલ સહિતના સ્ટાફ ની ઉપસ્થિતિમાં બે – લાખ રૂપિયાનો ચેક એનાયત કરવામાં આવ્યો હતો.
આ દરમ્યાન ધર્મેશભાઈ દ્વારા 18-વર્ષથી વધુ ઉંમરના દરેક ખાતેદારોને ભારત સરકારની પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અને પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજનાનો લાભ લેવા વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. માત્ર 20/- રૂપિયા જેવી નાનકડી રકમથી પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજનાનો લાભ લઈ શકાય તેમ ઉમેર્યું હતું.