June 10, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલીમાં પર્યુષણ પર્વ અંતર્ગત જૈન સમાજ દ્વારા શોભા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જૈન સમાજના લોકો જોડાયા હતા યાત્રાની શરૂઆત સેલવાસ એસ.ટી. ડેપોની બાજુમાં જૈન દેરાસરથી નીકળી હતી. જે શહેરના વિવિધ વિસ્‍તારમાં ફરી પરત જૈન દેરાસર પર આવી હતી. અહીં ઉપસ્‍થિત મહારાજશ્રીનું -પ્રવચન સાંભળ્‍યું હતું અને જેઓએ અઠ્ઠાઈના ઉપવાસ કર્યા હતા જેઓને પારણા કરાવવામાં આવ્‍યા હતા. ગત અઠવાડિયા પર્યુષણ પર્વ ચાલી રહ્યું હતું જેની પુર્ણાહુતી બાદ સેલવાસમાં શોભાયાત્રાકાઢવામાં આવી હતી. આ પર્વ દરમ્‍યાન સમાજના લોકોએ ઉપવાસ કર્યા હતા અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જૈન સમાજના અતિ મહત્‍વપૂર્ણ પર્વ પર્યુષણના અંતિમ દિવસે સમાજના લોકોએ એકબીજાને મિચ્‍છામી દુક્કડમ બોલી એકબીજાની ક્ષમા માંગી હતી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વરિષ્ઠ લોકો પણ જોડાયા હતા.

Related posts

સાંસદ કલાબેન ડેલકરની ઉપસ્‍થિતિમાં દાનહ જિ.પં. દ્વારા ખાનવેલ ગ્રામ પંચાયત ખાતે જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્‍મ જયંતિની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

દીવ જિ.પં.ના મુખ્‍ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારી અને દીવના ડેપ્‍યુટી કલેક્‍ટર હરમિન્‍દર સિંઘની અંદમાન અને નિકોબારમાં બદલીના આદેશ જારી

vartmanpravah

પાંચ દિવસની દોસ્‍તીમાં શિયળ ગુમાવતી પારડીના એક ગામની સગીરા

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના પ્રોજેક્‍ટ નિરીક્ષણ અભિયાનનું સમાપન : શાબાસી અને ઠપકાનો સમન્‍વય

vartmanpravah

સંઘપ્રદેશમાં ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ

vartmanpravah

ધરમપુર જાગીરીના હેમ આશ્રમના 136 વિદ્યાર્થીઓએ બીલીમોરા-વઘઇ હેરિટેજ ટ્રેનનો પ્રવાસ માણ્‍યો

vartmanpravah

Leave a Comment