Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટસેલવાસ

સેલવાસમાં જૈન સમાજ દ્વારા શોભાયાત્રા કાઢવામાં આવી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલીમાં પર્યુષણ પર્વ અંતર્ગત જૈન સમાજ દ્વારા શોભા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જૈન સમાજના લોકો જોડાયા હતા યાત્રાની શરૂઆત સેલવાસ એસ.ટી. ડેપોની બાજુમાં જૈન દેરાસરથી નીકળી હતી. જે શહેરના વિવિધ વિસ્‍તારમાં ફરી પરત જૈન દેરાસર પર આવી હતી. અહીં ઉપસ્‍થિત મહારાજશ્રીનું -પ્રવચન સાંભળ્‍યું હતું અને જેઓએ અઠ્ઠાઈના ઉપવાસ કર્યા હતા જેઓને પારણા કરાવવામાં આવ્‍યા હતા. ગત અઠવાડિયા પર્યુષણ પર્વ ચાલી રહ્યું હતું જેની પુર્ણાહુતી બાદ સેલવાસમાં શોભાયાત્રાકાઢવામાં આવી હતી. આ પર્વ દરમ્‍યાન સમાજના લોકોએ ઉપવાસ કર્યા હતા અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જૈન સમાજના અતિ મહત્‍વપૂર્ણ પર્વ પર્યુષણના અંતિમ દિવસે સમાજના લોકોએ એકબીજાને મિચ્‍છામી દુક્કડમ બોલી એકબીજાની ક્ષમા માંગી હતી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વરિષ્ઠ લોકો પણ જોડાયા હતા.

Related posts

વલસાડ-વાંસદા વિસ્‍તારમાં રાત્રે કમોસમી વરસાદ પડતા ખેડૂતો ચિંતિત : વાતાવરણમાં પલટો

vartmanpravah

દમણની જિલ્લા અને સત્ર ન્‍યાયાલયનો ચુકાદોઃ પિતરાઈ ભાઈની હત્‍યાના આરોપીને આજીવન જેલની સજા

vartmanpravah

ફડવેલનાં સરપંચ અને કોંગ્રેસ પ્રમુખની આગેવાનીમાં સમર્થકો સાથે ભાજપનાં તાં.પં. સભ્‍ય વારંવાર ખોટી ફરિયાદ કરતા તેમના વિરૂધ્‍ધ મામલતદારને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

વાપી મુસ્‍કાન એન.જી.ઓ.ની માનવતાની પહેલ: 30 ફૂટપાથના બાળકોને સ્‍કૂલમાં એડમિશન અપાવ્‍યા

vartmanpravah

રાષ્‍ટ્રીય સેવા યોજના, આઝાદી કા અમૃત મહોત્‍સવ, સ્‍વામી વિવેકાનંદ જન્‍મ જયંતિ અને રાષ્‍ટ્રીય યુવા દિવસ અંતર્ગત દીવ કોલેજના સ્‍વયંસેવકો દ્વારા થેલેસેમિયા જાગરૂક્‍તા શિબિર યોજાઈ

vartmanpravah

વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના 72માં જન્‍મદિવસ નિમિતે પારડી શહેર ભાજપ તથા પારડી શહેર યુવા ભાજપ દ્વારા રક્‍તદાન શિબિરનું આયોજન

vartmanpravah

Leave a Comment