(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20 : દાદરા નગર હવેલીમાં પર્યુષણ પર્વ અંતર્ગત જૈન સમાજ દ્વારા શોભા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં જૈન સમાજના લોકો જોડાયા હતા યાત્રાની શરૂઆત સેલવાસ એસ.ટી. ડેપોની બાજુમાં જૈન દેરાસરથી નીકળી હતી. જે શહેરના વિવિધ વિસ્તારમાં ફરી પરત જૈન દેરાસર પર આવી હતી. અહીં ઉપસ્થિત મહારાજશ્રીનું -પ્રવચન સાંભળ્યું હતું અને જેઓએ અઠ્ઠાઈના ઉપવાસ કર્યા હતા જેઓને પારણા કરાવવામાં આવ્યા હતા. ગત અઠવાડિયા પર્યુષણ પર્વ ચાલી રહ્યું હતું જેની પુર્ણાહુતી બાદ સેલવાસમાં શોભાયાત્રાકાઢવામાં આવી હતી. આ પર્વ દરમ્યાન સમાજના લોકોએ ઉપવાસ કર્યા હતા અને ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા જૈન સમાજના અતિ મહત્વપૂર્ણ પર્વ પર્યુષણના અંતિમ દિવસે સમાજના લોકોએ એકબીજાને મિચ્છામી દુક્કડમ બોલી એકબીજાની ક્ષમા માંગી હતી અને શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં વરિષ્ઠ લોકો પણ જોડાયા હતા.