March 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી અંબામાતા મંદિરમાં પારડી હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ભાગવત કથાનું આયોજન

વ્‍યાસપીઠ ઉપરથી કથાકાર હિમાંશુ પુરોહીત 30 મે સુધી કથાનું રસપાન કરાવશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.27: વાપી જીઆઈડીસી સ્‍થિત અંબામાતા મંદિર પરિસરમાં ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. પારડી હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
કથા પ્રારંભ પહેલા હાઉસીંગમાં આવેલ મહાકાલી મંદિરમાં પૂજા-આરતી કરી યજમાનોએ પોથીયાત્રા કાઢી હતી. પોથી યાત્રામાં બહેનો કળશ લઈને જોડાઈ હતી. પોથીયાત્રા અંબામાતા મંદિર કથાના નિજ સ્‍થાને પહોંચ્‍યા બાદ પોથીની આરતી પૂજા બાદ કથાનોશુભારંભ થયો હતો. તા.24મી થી પ્રારંભ થયેલ ભાગવત કથા તા.30 મે સુધી ચાલશે. ભાગવત કથાકાર હિમાંશુ પુરોહિત કથાનું રસપાન કરાવશે. કથા પ્રારંભના પ્રથમ દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, અંબામાતા મંદિર ટ્રસ્‍ટી કમલેશભાઈ પટેલ, હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટના પ્રમુખ શરદભાઈ દેસાઈ, નોટીફાઈડ ચેરમેન હેમંત પટેલ સહિત અગ્રણી નાગરિકો અને ગણમાન્‍ય લોકો મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. ભાગવત કથાનો લાભ લેવા માટે આયોજકો તરફથી જાહેર આમંત્રણ પાઠવાયું હતું.

Related posts

લાયન્‍સ ક્‍લબ અને શ્રી રાણા સમાજદમણ, દ્વારા મોટી દમણ ખાતે આયોજીત સ્‍વાસ્‍થ્‍ય યજ્ઞમાં 245 દર્દીઓએ લીધેલો લાભ: જરૂરિયાતમંદોને વોકર, વોકિંગ સ્‍ટીક તથા ચશ્‍માનું કરેલું નિઃશુલ્‍ક વિતરણ

vartmanpravah

પાલઘર રેલવે સ્‍ટેશન ઉપર મુંબઈ તરફ જતી માલગાડીના ડબ્‍બા ખડી પડતા વાપી રેલવે ફાટકે વાહન ચાલકો અટવાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં 100 દિવસમાં ખેડૂતો પાસે 110.38 કિવન્‍ટલ બીજ ખરીદીનો 100 ટકા લક્ષ્યાંક સિધ્‍ધ, 3 ખેડૂતોને રૂા.171089 ચૂકવાયા

vartmanpravah

દાનહ ભાજપ કાર્યાલયમાં સામાજિક ન્‍યાય પત્રિકાનું કેન્‍દ્રીય સંચાર રાજ્‍યમંત્રી દેવુસિંહ ચૌહાણે કરેલું વિમોચન

vartmanpravah

દામજીભાઈ કુરાડાની અધ્‍યક્ષતામાં દાનહ જિ.પં.ની મળેલી સામાન્‍ય સભા

vartmanpravah

વલસાડના 17 વર્ષીય વિદ્યાર્થીએ 200 કિલો વજન ઉપાડી 2 ગોલ્‍ડ મેડલ મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું

vartmanpravah

Leave a Comment