વ્યાસપીઠ ઉપરથી કથાકાર હિમાંશુ પુરોહીત 30 મે સુધી કથાનું રસપાન કરાવશે
(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.27: વાપી જીઆઈડીસી સ્થિત અંબામાતા મંદિર પરિસરમાં ભાગવત સપ્તાહનો પ્રારંભ થયો છે. પારડી હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે.
કથા પ્રારંભ પહેલા હાઉસીંગમાં આવેલ મહાકાલી મંદિરમાં પૂજા-આરતી કરી યજમાનોએ પોથીયાત્રા કાઢી હતી. પોથી યાત્રામાં બહેનો કળશ લઈને જોડાઈ હતી. પોથીયાત્રા અંબામાતા મંદિર કથાના નિજ સ્થાને પહોંચ્યા બાદ પોથીની આરતી પૂજા બાદ કથાનોશુભારંભ થયો હતો. તા.24મી થી પ્રારંભ થયેલ ભાગવત કથા તા.30 મે સુધી ચાલશે. ભાગવત કથાકાર હિમાંશુ પુરોહિત કથાનું રસપાન કરાવશે. કથા પ્રારંભના પ્રથમ દિવસે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, વી.આઈ.એ. પ્રમુખ સતિષ પટેલ, અંબામાતા મંદિર ટ્રસ્ટી કમલેશભાઈ પટેલ, હેલ્પીંગ હેન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના પ્રમુખ શરદભાઈ દેસાઈ, નોટીફાઈડ ચેરમેન હેમંત પટેલ સહિત અગ્રણી નાગરિકો અને ગણમાન્ય લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ભાગવત કથાનો લાભ લેવા માટે આયોજકો તરફથી જાહેર આમંત્રણ પાઠવાયું હતું.