Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશના નંદઘર અને સરકારી શાળાઓની બદલાયેલી સ્‍થિતિઃ પ્રદેશના મોભાદાર-ખમતીધર ઘરના બાળકો પણ હવે સરકારી શાળાઓમાં લઈ રહ્યા છે એડમિશન

સંઘપ્રદેશના શિક્ષણ અને આરોગ્‍ય સચિવ ટી. અરૂણની દિકરી દમણવાડાના નંદઘરમાં સામાન્‍ય ઘરના બાળકો સાથે ભળીને અભ્‍યાસ અને આનંદ-કિલ્લોલ કરે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સરકારી શાળાઓ તથા આંગણવાડી(નંદઘર)માં ખમતીધર ઘરના બાળકોને મોકલવામાં નહીં આવતા હતા, પરંતુ છેલ્લા 7-8 વર્ષથી પ્રદેશમાં થયેલી શૈક્ષણિક ક્રાંતિના કારણે હવે સમાજના મોભેદારો ઉપરાંત પ્રદેશના આઈ.એ.એસ. સ્‍તરના અધિકારીઓ પણ પોતાના બાળકોનેનંદઘરમાં મોકલી રહ્યા છે.
મોટી દમણના દમણવાડા ખાતે આવેલ નંદઘરમાં સંઘપ્રદેશ પ્રશાસનના શિક્ષણ અને આરોગ્‍ય સચિવ શ્રી ટી. અરૂણની દિકરી પણ ગામના સામાન્‍ય બાળકો સાથે ભળીને અભ્‍યાસ અને આનંદ-કિલ્લોલ કરે છે. આંગણવાડીમાંથી રૂપાંતરિત થયેલ નંદઘરની સુવિધા, પૌષ્‍ટિક નાસ્‍તો અને સમતોલ ભોજનની સાથે બાળકોને ખુબ જ આનંદ અને ઉત્‍સાહની સાથે કેળવવામાં આવે છે.

Related posts

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

vartmanpravah

GNLU સેલવાસના વિદ્યાર્થીઓ માટે કેનેડિયન પ્રોફેસર દ્વારા કાયદા અને અર્થશાષા પર ત્રણ દિવસીય વ્‍યાખ્‍યાન શ્રેણીનું આયોજન

vartmanpravah

નેશનલ સપોર્ટ-ડે નિમિત્તે નારગોલ ખાતે તાલુકા કક્ષાનો રમતોત્‍સવ ઉજવાયો

vartmanpravah

નવા મતદાતાઓને મતદાર યાદીમાં નામ નોંધવા પ્રેરિત કરવા દમણ જિલ્લામાં ચૂંટણી વિભાગ દ્વારા યોજાયેલ સાયકલ રેલીઃ મામલતદાર સાગર ઠક્કરે કરાવેલું પ્રસ્‍થાન

vartmanpravah

વાપી રેલવે સ્‍ટેશન ઉપર વર્તમાન ફૂટ બ્રિજ તોડીને 12 મીટર પહોળો નવો ફૂટ બ્રિજ બનશે

vartmanpravah

ધરમપુર તાલુકાની ગડી આશ્રમશાળાનું પી.પી.પી. ધોરણે નવીનિકરણ કરાશે

vartmanpravah

Leave a Comment