June 13, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશના નંદઘર અને સરકારી શાળાઓની બદલાયેલી સ્‍થિતિઃ પ્રદેશના મોભાદાર-ખમતીધર ઘરના બાળકો પણ હવે સરકારી શાળાઓમાં લઈ રહ્યા છે એડમિશન

સંઘપ્રદેશના શિક્ષણ અને આરોગ્‍ય સચિવ ટી. અરૂણની દિકરી દમણવાડાના નંદઘરમાં સામાન્‍ય ઘરના બાળકો સાથે ભળીને અભ્‍યાસ અને આનંદ-કિલ્લોલ કરે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સરકારી શાળાઓ તથા આંગણવાડી(નંદઘર)માં ખમતીધર ઘરના બાળકોને મોકલવામાં નહીં આવતા હતા, પરંતુ છેલ્લા 7-8 વર્ષથી પ્રદેશમાં થયેલી શૈક્ષણિક ક્રાંતિના કારણે હવે સમાજના મોભેદારો ઉપરાંત પ્રદેશના આઈ.એ.એસ. સ્‍તરના અધિકારીઓ પણ પોતાના બાળકોનેનંદઘરમાં મોકલી રહ્યા છે.
મોટી દમણના દમણવાડા ખાતે આવેલ નંદઘરમાં સંઘપ્રદેશ પ્રશાસનના શિક્ષણ અને આરોગ્‍ય સચિવ શ્રી ટી. અરૂણની દિકરી પણ ગામના સામાન્‍ય બાળકો સાથે ભળીને અભ્‍યાસ અને આનંદ-કિલ્લોલ કરે છે. આંગણવાડીમાંથી રૂપાંતરિત થયેલ નંદઘરની સુવિધા, પૌષ્‍ટિક નાસ્‍તો અને સમતોલ ભોજનની સાથે બાળકોને ખુબ જ આનંદ અને ઉત્‍સાહની સાથે કેળવવામાં આવે છે.

Related posts

દમણ અને દીવ લોકસભા બેઠકઃ 1987થી 2024 લોકસભાની દમણ અને દીવ બેઠક માટે નવેમ્‍બર, 1987માં યોજાયેલ પેટા ચૂંટણીમાં ગોપાલદાદા 59.76 ટકા મત સાથે વિજેતા બન્‍યા હતા

vartmanpravah

આગામી 24 કલાકમાં જિલ્લામાં ભારે વરસાદની આગાહી: વાપી સહિત વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લા ટેબલ ટેનિસની સ્‍પર્ધામાં જ્ઞાનધામ સ્‍કૂલનો વિદ્યાર્થી પ્રથમ વિજેતા બન્‍યો

vartmanpravah

વલસાડ જિલ્લા વકીલો દ્વારા નોટરી એમેન્ડમેન્ટ બિલના વિરોધમાં રેલી યોજી કલેક્‍ટરને આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

ઉમરગામ ભાજપા સંગઠનના તાલુકા અને પાલિકાના પ્રમુખોની વરણી માટેની હાથ ધરવામાં આવેલી સેન્‍સ પ્રક્રિયા

vartmanpravah

દાદરા નગર હવેલીમાં 01 કોરોના પોઝિટિવ કેસ નોંધાયો

vartmanpravah

Leave a Comment