Vartman Pravah
Breaking Newsગુજરાતવલસાડવાપી

ધરમપુર તાલુકાની ગડી આશ્રમશાળાનું પી.પી.પી. ધોરણે નવીનિકરણ કરાશે

જિલ્લા પંચાયત અને ગુજરાત થેમીસ બાયોસીન લી. વચ્‍ચે એક કરોડ રૂપિયાના એમ.ઓ.યુ. કરાયા

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ, તા.04:વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના અતિપછાત અને અદિવાસી વિસ્‍તારમાં આવેલી ગડી આશ્રમશાળાના નવીનિકરણ માટે જિલ્લા પંચાયત પ્રમુખ અલ્‍કાબેન શાહની ઉપસ્‍થિતિમાં જિલ્લા વિકાસ અધિકારી મનિષ ગુરવાની અને ગુજરાત થેમીસ બાયોસીન લી. (જી.ટી.બી.એલ.) વચ્‍ચે એક કરોડ રૂપિયાના એમ.ઓ.યુ. કરવામાં આવ્‍યા છે. જેમાં જિલ્લા પંચાયત વલસાડ તરફથી જિલ્લા ગ્રાન્‍ટમાંથી પચાસ લાખ તેમજ ગુજરાત થેમીસ બાયોસીન લી. કંપની દ્વારા પચાસ લાખ એમ કુલ એક કરોડ રૂપિયાના ખર્ચે 8 ક્‍લાસ રૂમ, ર હોસ્‍ટેલ તથા 3 સ્‍ટાફ કવાટર્સ તથા મેસ બનાવવા માટે પીપીપી ધોરણે આયોજન અંગે એમ.ઓ.યુ. કરવામાં આવ્‍યા છે. જેનાથી ભવિષ્‍યમાં આદિવાસી વિસ્‍તારના બાળકોને આધુનિક સુવિધાયુકત શિક્ષણ અંગે સવલત ભી થશે.

ઉલ્લેખનીય છે કે, અગાઉ કપરાડા તાલુકાની ગીરનારા આશ્રમશાળાના નવીનીકરણ માટે જિલ્લા પંચાયત તથા પીડીલાઇટ ઇન્‍ડસ્‍ટ્રીઝ લી. દ્વારા રૂા.એક કરોડના એમ.ઓ.યુ.કરવામાં આવ્‍યા હતા. જેની વહીવટી મંજૂરી આપવામાં આવી છે. ધરમપુર તાલુકાના આદિવાસી વિસ્‍તારમાં આવેલી જિલ્લા પંચાયત સંચાલિત ગડી આશ્રમશાળા ખૂબ જર્જરીત હાલતમાં છે. જેમાં હાલમાં કુલ-128 બાળકો અભ્‍યાસ કરે છે. જેથી આદિવાસી વિદ્યાર્થીઓના હિતને ધ્‍યાને લઇ, આધુનિક સુવિધાયુકત કેમ્‍પસ બનાવવા અંગેની પરિકલ્‍પના જિલ્લા પંચાયત વલસાડ દ્વારા કરવામાં આવી છે. ભવિષ્‍યમાં પણ જિલ્લા પંચાયત આ પ્રકારના શૈક્ષણિક કાર્યો કરવા કટીબદ્ધ હોવાનું નાયબ જિલ્લા વિકાસ અધિકારી, વલસાડ દ્વારા જણાવાયું છે.

Related posts

કાકડમટી પ્રા.શાળાના શિક્ષક દિગ્‍વિજયસિંહ ઠાકોરના પ્રયત્‍નથી ઉર્વશી ફાઉન્‍ડેશન દ્વારા બાળકોને સ્‍કૂલ કિટનું વિતરણ કરાયું

vartmanpravah

દાદરા નગર હવેલીમાં છેલ્લા 24 કલાકમાં બે ઇંચથી વધુ પડેલો વરસાદ

vartmanpravah

પાર-તાપી-નર્મદા રિવરલિંક યોજનાનો વિરોધ: વલસાડ જિલ્લાના કપરાડા ખાતે હજારો આદિવાસી સમાજના લોકો એકત્ર થયા: 25 માર્ચે વિધાનસભાનો ઘેરાવ કરવાની જાહેરાત

vartmanpravah

લોકસભા 2024ની ચૂંટણીમાં દમણ-દીવ બેઠક ઉપર ભાજપનો ઉમેદવાર કોણ?: અટકળોનું બજાર ગરમ

vartmanpravah

પારનેરા વલસાડમાં ટ્રકમાંથી ડિઝલ કાઢતા ત્રણ ઝડપાયા

vartmanpravah

નરોલી ગ્રામ પંચાયત દ્વારા વિસ્‍તારમાં રખડતા 150થી વધુ ગૌધનને ડોકમરડી ગૌશાળા ખાતે લઈ જવામાં આવ્‍યા

vartmanpravah

Leave a Comment