August 31, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા દ્વારા તમિલનાડુના ચૈન્નાઈ ખાતે એસ.આર.એમ. કોલેજમાં રાષ્ટ્રીય યુવા સંસદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દેશભરમાંથી 300થી વધુ ભાજપના યુવા કાર્યકર્તાઓએ પ્રતિનિધિત્‍વ કર્યું હતું.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તરફથી પ્રદેશભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલના માર્ગદર્શનમાં યુવા મોર્ચા પ્રમુખ શ્રી વિશાલ પટેલની આગેવાનીમાં યુવા મોર્ચાના ઉપ પ્રમુખ શ્રી ચંદ્રગીરી ટંડેલ અને શ્રી ચિંતક સોલંકી પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય ભાજપ યુવા મોર્ચાની યુવા સંસદ એક અદ્‌ભુત અને સૌપ્રથમ પહેલ છે જે યુવા શક્‍તિને દેશના વિકાસ અને પ્રગતિ અંગે પોતાના વિચાર વ્‍યક્‍ત કરવા માટે એક મંચ પ્રદાન કરવામાં આવે છે અને યુવાઓને રાજનીતિમાં પ્રતિનિધિત્‍વ કરે છે.
યુવાઓ ફક્‍ત લાભાર્થી જ નહીં પરંતુ આપણા દેશના વિકાસમાં ભાગીદાર પણ છે. આ કાર્યક્રમ યુવા કાર્યકર્તાઓની અભિવ્‍યક્‍તિને મુખર કરવા, અનેક રાષ્ટ્રીય મુદ્દા પર અનુસંધાન કરવા અને સંસદીય પ્રક્રિયાઓને સમજવામાં મદદગાર સિદ્ધ થશે.
કાર્યક્રમનું ઉદ્‌ઘાટન ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડા દ્વારા વર્ચ્‍યુઅલી કરવામાં આવ્‍યું હતું. એમણે સંબોધનમાં રાજનીતિમાં યુવાઓની ભાગીદારીનું મહત્‍વ અંગે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ભાજપ યુવા મોર્ચા રાષ્ટ્રીય અધ્‍યક્ષ શ્રી તેજસ્‍વી સૂર્યા ઉપસ્‍થિત રહી લોકો સાથે નેતૃત્‍વ અને રાજનીતીમાં પોતાના અનુભવો વ્‍યક્‍ત કર્યા હતા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી તરુણ ચુઘ અને તમિલનાડુના અધ્‍યક્ષ શ્રી અન્નામલાઈ પણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી યુવા સંસદને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં માર્ગદર્શન માટે જૂરીનાસભ્‍યોના રૂપે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય યુવા સંસદ કાર્યક્રમમાં શિક્ષણ, આરોગ્‍ય, રોજગાર, પર્યાવરણ સંરક્ષણ વગેરે જેવા રાષ્ટ્રીય મહત્‍વના વિવિધ વિષયો પર ચર્ચા અને પ્રસ્‍તુતિ સામેલ કરવામાં આવી હતી.

Related posts

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે લક્ષદ્વીપના બંગારામ દ્વીપ ખાતે ઞ્‍20ના પ્રતિનિધિ મંડળ માટે ‘દૃશ્‍યાથલમ’નું કરેલું ઉદ્‌ઘાટન

vartmanpravah

આજથી વાપીની રોફેલ કોલેજમાં ફરી એકવાર કોવિડ કેર સેન્‍ટર કાર્યરત થશે

vartmanpravah

મોરબી ખાતે દર્દનાક દુર્ઘટનાને લઈ દીવની ગ્રામ પંચાયતોએ મૃતકોને મીણબત્તી તથા પુષ્‍પ અર્પણ કરી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

સેલવાસની દેવકીબા કોલેજના યુજી અને પીજીના વિદ્યાર્થીઓનો યોજાયો વિદાય સમારોહ યોજાયો

vartmanpravah

અતુલ હાઈવે બ્રીજ નીચે ખાનગી સ્‍કૂલ વાનમાં આગ ભભૂકી ઉઠી : બે બાળકો અને ચાલકનો બચાવ થયો

vartmanpravah

દમણ કોસ્‍ટગાર્ડના ડીઆઈજી એસ.એસ.એન. વાજપેયીને દિલીપનગર ડેવલપમેન્‍ટ એસોસિએશન દ્વારા આપવામાં આવી રામ મંદિરની પ્રતિકૃતિ ભેટ

vartmanpravah

Leave a Comment