March 3, 2026
Vartman Pravah
Breaking Newsડિસ્ટ્રીકટદમણદીવદેશસેલવાસ

ભાજપ યુવા મોર્ચા દ્વારા ચેન્નઈમાં રાષ્ટ્રીય યુવા સંસદ યોજાઈ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.20: ભારતીય જનતા પાર્ટી યુવા મોર્ચા દ્વારા તમિલનાડુના ચૈન્નાઈ ખાતે એસ.આર.એમ. કોલેજમાં રાષ્ટ્રીય યુવા સંસદનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં દેશભરમાંથી 300થી વધુ ભાજપના યુવા કાર્યકર્તાઓએ પ્રતિનિધિત્‍વ કર્યું હતું.
સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવ તરફથી પ્રદેશભાજપ પ્રમુખ શ્રી દીપેશ ટંડેલના માર્ગદર્શનમાં યુવા મોર્ચા પ્રમુખ શ્રી વિશાલ પટેલની આગેવાનીમાં યુવા મોર્ચાના ઉપ પ્રમુખ શ્રી ચંદ્રગીરી ટંડેલ અને શ્રી ચિંતક સોલંકી પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય ભાજપ યુવા મોર્ચાની યુવા સંસદ એક અદ્‌ભુત અને સૌપ્રથમ પહેલ છે જે યુવા શક્‍તિને દેશના વિકાસ અને પ્રગતિ અંગે પોતાના વિચાર વ્‍યક્‍ત કરવા માટે એક મંચ પ્રદાન કરવામાં આવે છે અને યુવાઓને રાજનીતિમાં પ્રતિનિધિત્‍વ કરે છે.
યુવાઓ ફક્‍ત લાભાર્થી જ નહીં પરંતુ આપણા દેશના વિકાસમાં ભાગીદાર પણ છે. આ કાર્યક્રમ યુવા કાર્યકર્તાઓની અભિવ્‍યક્‍તિને મુખર કરવા, અનેક રાષ્ટ્રીય મુદ્દા પર અનુસંધાન કરવા અને સંસદીય પ્રક્રિયાઓને સમજવામાં મદદગાર સિદ્ધ થશે.
કાર્યક્રમનું ઉદ્‌ઘાટન ભાજપના રાષ્ટ્રીય અધ્‍યક્ષ શ્રી જે.પી.નડ્ડા દ્વારા વર્ચ્‍યુઅલી કરવામાં આવ્‍યું હતું. એમણે સંબોધનમાં રાજનીતિમાં યુવાઓની ભાગીદારીનું મહત્‍વ અંગે જાણકારી આપી હતી. આ કાર્યક્રમમાં ભાજપ યુવા મોર્ચા રાષ્ટ્રીય અધ્‍યક્ષ શ્રી તેજસ્‍વી સૂર્યા ઉપસ્‍થિત રહી લોકો સાથે નેતૃત્‍વ અને રાજનીતીમાં પોતાના અનુભવો વ્‍યક્‍ત કર્યા હતા. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ શ્રી તરુણ ચુઘ અને તમિલનાડુના અધ્‍યક્ષ શ્રી અન્નામલાઈ પણ કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહી યુવા સંસદને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં માર્ગદર્શન માટે જૂરીનાસભ્‍યોના રૂપે પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ ઉપસ્‍થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય યુવા સંસદ કાર્યક્રમમાં શિક્ષણ, આરોગ્‍ય, રોજગાર, પર્યાવરણ સંરક્ષણ વગેરે જેવા રાષ્ટ્રીય મહત્‍વના વિવિધ વિષયો પર ચર્ચા અને પ્રસ્‍તુતિ સામેલ કરવામાં આવી હતી.

Related posts

વલસાડ જિલ્લા ટેટની પરીક્ષા પાસ કરેલ શિક્ષિત બેરોજગાર બનેલા વિદ્યાર્થીઓએ આવેદનપત્ર પાઠવ્‍યું

vartmanpravah

દાનહના સામરવરણી ગામે ઝાડ કાપી રહેલ યુવાન પર ડાળી પડતા સારવાર દરમ્‍યાન મોત

vartmanpravah

દાનહના ખડોલીમાં ઓઈલ બનાવતી ઓટોકેર લુબ્રિકન્‍ટ કંપનીમાં આગ લાગતા દોડધામ

vartmanpravah

દાનહના ઇતિહાસમાં પહેલી વખત સ્‍વતંત્રતા દિવસની પ્રદેશ સ્‍તરની ઉજવણી ખાનવેલમાં કરાશેઃ સંઘપ્રદેશના પ્રશાસક તિરંગો લહેરાવશે

vartmanpravah

સી.આર. પાટીલનાં જન્‍મ દિવસ નિમિત્તે ભાજપ આર્થિક સેલ વલસાડ જિલ્લા દ્વારા મનોવિકાસ ચેરીટેબલ ટ્રસ્‍ટ સ્‍કૂલમાં મંદબુદ્ધિ તેમજ બહેરા-મૂંગા બાળકોની સાથે બેસીને ફળ ખવડાવ્‍યા

vartmanpravah

ધારાસભ્‍ય અનંત પટેલના સમર્થકોએ વાપી-શામળાજી હાઈવે ચક્કાજામ કર્યો

vartmanpravah

Leave a Comment