Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદમણ

સંઘપ્રદેશના નંદઘર અને સરકારી શાળાઓની બદલાયેલી સ્‍થિતિઃ પ્રદેશના મોભાદાર-ખમતીધર ઘરના બાળકો પણ હવે સરકારી શાળાઓમાં લઈ રહ્યા છે એડમિશન

સંઘપ્રદેશના શિક્ષણ અને આરોગ્‍ય સચિવ ટી. અરૂણની દિકરી દમણવાડાના નંદઘરમાં સામાન્‍ય ઘરના બાળકો સાથે ભળીને અભ્‍યાસ અને આનંદ-કિલ્લોલ કરે છે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.14: સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવની સરકારી શાળાઓ તથા આંગણવાડી(નંદઘર)માં ખમતીધર ઘરના બાળકોને મોકલવામાં નહીં આવતા હતા, પરંતુ છેલ્લા 7-8 વર્ષથી પ્રદેશમાં થયેલી શૈક્ષણિક ક્રાંતિના કારણે હવે સમાજના મોભેદારો ઉપરાંત પ્રદેશના આઈ.એ.એસ. સ્‍તરના અધિકારીઓ પણ પોતાના બાળકોનેનંદઘરમાં મોકલી રહ્યા છે.
મોટી દમણના દમણવાડા ખાતે આવેલ નંદઘરમાં સંઘપ્રદેશ પ્રશાસનના શિક્ષણ અને આરોગ્‍ય સચિવ શ્રી ટી. અરૂણની દિકરી પણ ગામના સામાન્‍ય બાળકો સાથે ભળીને અભ્‍યાસ અને આનંદ-કિલ્લોલ કરે છે. આંગણવાડીમાંથી રૂપાંતરિત થયેલ નંદઘરની સુવિધા, પૌષ્‍ટિક નાસ્‍તો અને સમતોલ ભોજનની સાથે બાળકોને ખુબ જ આનંદ અને ઉત્‍સાહની સાથે કેળવવામાં આવે છે.

Related posts

સેલવાસ દત્તકગ્રહણ સંસ્‍થા ખાતે કલેક્‍ટરના હસ્‍તે બાળકને દત્તક આપવાની પૂર્ણ થયેલી વિધિ

vartmanpravah

વલસાડ હાલર રોડ ઉપર કચરામાંથી આધાર કાર્ડનો જથ્‍થો મળી આવ્‍યો, વહિવટી તંત્ર તપાસે એ જરૂરી બન્‍યું

vartmanpravah

વલસાડ જિલ્લો ડેંગ્‍યુના ભરડામાં, 7 મહિનામાં 77 દર્દી પોઝિટીવ : 1019 શંકાસ્‍પદ કેસ નોંધાયા

vartmanpravah

દેશ સહિત દાનહ અને દમણ-દીવમાં પણ પરિવારવાદી-વ્‍યક્‍તિલક્ષી રાજનીતિને મળી રહેલો જાકારો

vartmanpravah

ટોરેન્‍ટ પાવર કંપનીના સહયોગથી સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવમાં ‘નિક્ષય-નિકુષ્‍ઠ મિત્રો’ દ્વારા ટી.બી. અને રક્‍તપિત્તના દર્દીઓને પૌષ્‍ટિક આહારનું કરાયેલું વિતરણ

vartmanpravah

વાપી દેવજ્ઞ સમાજ આયોજિત ક્રિકેટ ટૂર્નામેન્‍ટમાં વાપીની ટીમ ચેમ્‍પિયન

vartmanpravah

Leave a Comment