Vartman Pravah
ગુજરાતવલસાડ

રાજ્‍યવનમંત્રી રમણલાલ પાટકરે આસલોણા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે આજે તેમના કપરાડા તાલુકાના પ્રવાસ દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ આસલોણા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત લઈ અહીં આવતા દર્દીઓને આપવામાં આવતી સારવાર બાબતે જાણકારી મેળવી હતી. કોરોના રસીકરણ માટે જનજાગૃતિ કેળવી પાત્રતા ધરાવતા દરેક વ્‍યક્‍તિનું રસીકરણ થાય તે માટે પૂરતા પ્રયાસો હાથ ધરવા જણાવ્‍યું હતું.
આ અવસરે કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, આસલોણા સરપંચ દેવજુભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઈ ગરેલ, કારોબારી સમિતિ અધ્‍યક્ષ ગુલાબભાઈ રાઉત, કપરાડા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ગોપાળભાઈ, જિલ્લા પંચાયત સભ્‍ય સુરેશભાઈ અને મીનાક્ષીબેન, તાલુકા પંચાયત સભ્‍ય નિરંજનાબેન, તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડ, મામલતદાર કે.એસ.સુવેરા, ગ્રામ પંચાયત સભ્‍યો, જિલ્લા-તાલુકા પંચાયત સભ્‍યો, ગ્રામજનો હાજર રહયા હતા.

Related posts

ઉમરગામ તાલુકામાં કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે તેજ કરેલું પ્રચાર અભિયાન

vartmanpravah

કપરાડા નાનાપોંઢામાં ડુપ્‍લીકેટ નોટોનું મોટું કૌભાંડ ઝડપાયું : વલસાડ એસ.ઓ.જી.નું સફળ ઓપરેશન

vartmanpravah

ગ્રામ પંચાયતની ચૂંટણી પ્રક્રિયા દરમિયાન લાઉડ સ્‍પીકરના ઉપયોગ અંગે માર્ગદર્શક સૂચનાઓ જારી

vartmanpravah

વાપીમાં નશાકારક દવાના દુરુપયોગ અટકાવવા માટેનો જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

પારડીના પંચલાઈમાં મેડિકલ વેસ્‍ટનો જથ્‍થો ખુલ્લામાં ફેંકાતા સ્‍થાનિકોમાં રોષ

vartmanpravah

વાપીમાં યુનાઈટેડ ઈન્‍ડસ્‍ટ્રીયલ ડેવલોપમેન્‍ટ ઓર્ગેનાઈઝેશન દ્વારા પેપર મિલો માટે વર્કશોપ યોજાયો

vartmanpravah

Leave a Comment