Vartman Pravah
ગુજરાતવલસાડ

રાજ્‍યવનમંત્રી રમણલાલ પાટકરે આસલોણા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત લીધી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરે આજે તેમના કપરાડા તાલુકાના પ્રવાસ દરમિયાન વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ આસલોણા પ્રાથમિક આરોગ્‍ય કેન્‍દ્રની મુલાકાત લઈ અહીં આવતા દર્દીઓને આપવામાં આવતી સારવાર બાબતે જાણકારી મેળવી હતી. કોરોના રસીકરણ માટે જનજાગૃતિ કેળવી પાત્રતા ધરાવતા દરેક વ્‍યક્‍તિનું રસીકરણ થાય તે માટે પૂરતા પ્રયાસો હાથ ધરવા જણાવ્‍યું હતું.
આ અવસરે કપરાડા ધારાસભ્‍ય જીતુભાઈ ચૌધરી, આસલોણા સરપંચ દેવજુભાઈ, તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઈ ગરેલ, કારોબારી સમિતિ અધ્‍યક્ષ ગુલાબભાઈ રાઉત, કપરાડા તાલુકા પંચાયત ઉપ પ્રમુખ ગોપાળભાઈ, જિલ્લા પંચાયત સભ્‍ય સુરેશભાઈ અને મીનાક્ષીબેન, તાલુકા પંચાયત સભ્‍ય નિરંજનાબેન, તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડ, મામલતદાર કે.એસ.સુવેરા, ગ્રામ પંચાયત સભ્‍યો, જિલ્લા-તાલુકા પંચાયત સભ્‍યો, ગ્રામજનો હાજર રહયા હતા.

Related posts

વલસાડ કેરી માર્કેટ ટાયરની દુકાનમાં કામ કરતા યુવાનનું કરંટ લાગતા મોત

vartmanpravah

વાપી મોરબી દુર્ઘટનાના મૃતકોને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ

vartmanpravah

વલસાડ જિલ્લા તંત્રના ભેદી મૌનથી છેવટે સેલવાસ ન.પા. દ્વારા જ પીપરિયા બ્રિજની આજુબાજુ ખડકાયેલા ગંદકીના ડુંગરને દૂર કરાયા

vartmanpravah

બેંક ઓફ બરોડા, સેલવાસ બ્રાન્‍ચ દ્વારા MSME ક્રેડિટ શિબિર અને ગ્રાહક જાગૃતતા બેઠક યોજાઈ

vartmanpravah

સલવાવ શ્રી ઘનશ્‍યામ વિદ્યામંદિર તથા માધ્‍યમિક ઉ. માધ્‍યમિક શાળામા નિઃશુલ્‍ક ડેન્‍ટલ ચેકઅપ કેમ્‍પ યોજાયો

vartmanpravah

વલસાડમાં રાત્રે મેઘરાજાની ધુંઆધાર બેટીંગઃ શહેરના મોટાભાગના વિસ્‍તારો પાણીમાં ગરકાવ

vartmanpravah

Leave a Comment