Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલી તાલુકાના ગામોમાં પણ પરવાનગી વિના ચિકન-મટનની દુકાન, ઢાબાઓ ધમધમી રહ્યા છે!

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ), તા.06: ચીખલી તાલુકામાં ગામેગામ પરવાનગી વિના ચિકન-મટનની દુકાન, ઢાબાઓ ધમધમી રહ્યા છે. ત્‍યારે રાજ્‍યની વડી અદાલતની ફટકાર બાદ ફૂડ અને ડ્રગ વિભાગ દ્વારા લાલ આંખ કરવામાં આવે તે જરૂરી છે.
ચીખલીમાં નેશનલ હાઈવેની આજુબાજુમાં ઉપરાંત ગામેગામ ગેરકાયદેસર રીતે અનેક ચિકન અને મટનની દુકાનો ધમધમી રહી છે કેટલીક જગ્‍યાએ તો ધાર્મિક અને શૈક્ષણિક સંસ્‍થાની નજીક પણ આ પ્રકારની દુકાનો ધમધમતા ગંદકી પણ ફેલાઈ રહી છે. ચિકન-મટનની દુકાન ઢાબા ચલાવનારાઓ દ્વારા પિછડાઓ તથા અન્‍ય ખરાબ ભાગ ગમે ત્‍યાં ફેંકી દેવામાં આવે છે. જેને પગલે તીવ્ર દુર્ગંધ સાથે ગંદકી પણ ફેલાતી હોય છે.
તાલુકામાં ગણ્‍યા ગાંઠિયા લોકો દ્વારા ચિકન મટનની દુકાન-ઢાબા માટે પરવાનગી લેવામાં આવતી હોય છે. મોટે ભાગની ચિકન મટનની દુકાનો અને ઢાબાઓ પરવાનગી વિના જ ધમધમતા હોય છે. ખાસ કરીને સાંજ પડતા અને રજાના દિવસોમાં વાર તહેવારમાં તો કેટલાક ચિકન મટનની દુકાનો અને ઢાબાઓ પર ભીડ જામતી હોય છે. આ દુકાનો ઢાબાઓ સાફ સફાઈ સહિતની તકેદારી પણ ન રાખી નીતિ નિયમ વિરૂધ્‍ધ મનમાનીથી જચલાવતા હોય છે.
રાજ્‍યની વડી અદાલતની લપડાક બાદ પણ તાલુકામાં હજુ ખાસ કરીને ગ્રામ્‍ય વિસ્‍તારમાં પરવાનગી વિનાનો ચિકન મટનની દુકાનો અને ઢાબાઓ ધમધમી રહ્યા છે. તેમાં ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગ દ્વારા પૂરતી કાર્યવાહી કરવામાં આવી હોય તેમ જણાતું નથી ત્‍યારે વડી અદાલતની ફટકાર બાદ ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગ અને આરોગ્‍ય વિભાગ જાગે અને પરવાનગી વિના ચિકન મટનની દુકાન અને ઢાબાઓ ચલાવનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે.
આ કાર્યવાહી અંગે જિલ્લાના ફૂડ એન્‍ડ ડ્રગ વિભાગના દિલીપભાઈ નાયકનો સંપર્ક કરતા તેમને ફોન રિસીવ ન કરતા હકીકત જાણી શકાય ન હતી.

Related posts

‘જન ઔષધિ સે જન આરોગ્‍ય’ અંતર્ગત દમણમાં ‘જન આરોગ્‍ય શિબિર’ યોજાઈ

vartmanpravah

દાનહમાં આજરોજ એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં નોંધાયો

vartmanpravah

વલસાડ ક્રાઈમ બ્રાન્‍ચે ધાડ-મર્ડર-ચોરીના અનેક ગુનાઓમાં સંડોવાયેલા બે રીઢા ધાડપાડુ ચોરને ઝડપી પાડયા

vartmanpravah

ઉમરસાડી માછીવાડમાં શ્રાવણ માસ નિમિત્તે અખંડ ભજન કીર્તન, પાલખી યાત્રા સાથે મટકી ફોડી સપ્તાહની ઉજવણી કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશ અને માર્ગદર્શન હેઠળ દાનહ પ્રશાસને ભારે વરસાદ અને પૂરમાં અસરગ્રસ્‍ત બનેલા પરિવારોને તાત્‍કાલિક સમયસર રાહત સામગ્રી પહોંચાડી સંવેદનશીલતાનો આપેલો પરિચય

vartmanpravah

સંઘપ્રદેશના સર્વાંગી વિકાસ અને અદ્યતનીકરણના પર્યાય અને પ્રણેતા બનેલા પ્રશાસક પ્રફુલભાઈ પટેલ

vartmanpravah

Leave a Comment