March 1, 2026
Vartman Pravah
ગુજરાતવલસાડ

કપરાડા તાલુકાના આસલોણા ગ્રામ પંચાયત ભવનનું રાજ્‍ય વનમંત્રી રમણલાલ પાટકરના હસ્‍તે લોકાપર્ણ કરાયું

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.16: વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંતરિયાળ આસલોણા ખાતે ગ્રામ પંચાયતના રૂ.18 લાખના ખર્ચે નવનિર્મિત મકાનનું લોકાર્પણ વન અને આદિજાતિ વિકાસ વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી રમણલાલ પાટકરના વરદ હસ્‍તે કરાયું હતું.
આ અવસરે આદિજાતિ રાજ્‍યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્‍યું હતું કે, ગ્રામ પંચાયત એ ગામનું હૃદય છે, જે સતત ધબકતું રહે તે માટે સરપંચ અને તલાટી પોતાની જવાબદારી નિષ્‍ઠા પૂર્વક બજાવે તે જરૂરી હોવાનું જણાવ્‍યું હતું. સરકારની યોજનાઓના લાભો ગામમાં જ મળે તે માટે ગ્રામ પંચાયત ખાતે વિવિધ સુવિધાઓ ઉપલબ્‍ધ કરાવવામાં આવી છે. દરેક ગામના સર્વાંગી વિકાસ માટે વિવિધ વિભાગોમાં જરૂરિયાત પ્રમાણે ગ્રાન્‍ટની ફાળવણી કરવામાં આવે છે. અંતરિયાળ વિસ્‍તારોમાં કનેક્‍ટિવિટીના કારણે પડતી મુશ્‍કેલીઓ નિવારવાના પ્રયાસો હાથ ધરાયા છે. ન્‍યુ ગુજરાત પેટર્ન-2 હેઠળ એક લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જેના થકી આદિજાતિઓનો વિકાસ ઝડપી બનશે. કપરાડા તાલુકામાં સિંચાઈનું પાણી આપવા માટે લઘુ સિંચાઈ યોજનાની અમલવારી કરવામાં આવનાર હોવાનું આ તબક્કે તેમણેજણાવ્‍યું હતું. કપરાડા તાલુકાના અંતરિયાળ વિસ્‍તારમાં આવનજવનની સુવિધા માટે અનેક રસ્‍તાઓ બનાવાયા છે. આગામી દિવસોમાં સરકાર બાકી રહેલા વિકાસકાર્યોનું તબક્કાવાર આયોજન હાથ ધરશે. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 2022 સુધીમાં પ્રત્‍યેક જરૂરિયાતમંદોને પાકું ઘર મળે તેમજ ‘નલ સે જલ’ યોજના હેઠળ ઘર સુધી નળથી પાણી મળે તેનું આ સરકારે સુચારુ આયોજન કર્યું છે. વન અધિકાર અધિનિયમ હેઠળ જંગલની જમીન ખેડતા અનેક ખેડૂતોને જમીન તેમના નામે કરી આપવામાં આવી છે.
આ અવસરે ધારાસભ્‍ય જીતુભાઇ ચૌધરીએ કપરાડા તાલુકામાં થયેલા વિકાસકાર્યોની રૂપરેખા આપતાં જણાવ્‍યું હતું કે, ગ્રામ પંચાયત એ ગામની મિલકત અને તિજોરી છે, જેમાં ગામના પ્રત્‍યેક લોકોના દસ્‍તાવેજો હોય છે, જેની સરપંચ સહિત ગ્રામજનોએ સાચવણી કરવી જોઈએ.
આ અવસરે આસલોણા સરપંચ દેવજુભાઈ,તાલુકા પંચાયત પ્રમુખ મોહનભાઇ ગરેલ, કારોબારી સમિતિ અધ્‍યક્ષ ગુલાબભાઈ રાઉત, જિલ્લા પંચાયત સભ્‍ય મીનાક્ષીબેન, કપરાડા તાલુકા પંચાયત ઉપપ્રમુખ ગોપાળભાઈ, જિલ્લા પંચાયત સભ્‍ય સુરેશભાઈ અને મીનાક્ષીબેન, તાલુકા પંચાયત સભ્‍ય નિરંજનાબેન, તલાટી કમ મંત્રી, તાલુકા વિકાસ અધિકારી સંદીપ ગાયકવાડ, મામલતદાર કે.એસ.સુવેરા, ગ્રામ પંચાયત સભ્‍યો, જિલ્લા-તાલુકા પંચાયતસભ્‍યો, ગ્રામજનો હાજર રહ્યા હતા.

Related posts

લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા સેવાકીય કાર્યક્રમોની ત્રિવેણી વહેતી કરાઈ

vartmanpravah

ભાજપ વાપી શહેર સંગઠનના 11 શક્‍તિ કેન્‍દ્ર ઉપર 90 બુથમાં મન કી બાત કાર્યક્રમ નિહાળ્‍યો

vartmanpravah

દમણઃ મગરવાડા પાવર હાઉસના ઉદ્યાનમાં ‘ઊર્જા સંરક્ષણ દિન’ની ઉજવણી કરી વિભાગે બતાવેલી ઊર્જા બચતની ઈચ્‍છાશક્‍તિ

vartmanpravah

રાજ્‍યના પાણી પુરવઠા મંત્રી જીતુભાઈ ચૌધરીનો પ્રવાસ કાર્યક્રમ (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) વલસાડ તા.05: ગુજરાતના કલ્‍પસર, મત્‍સ્‍યોદ્યોગ (સ્‍વતંત્ર હવાલો), નર્મદા, જળસંપત્તિ, અને પાણી પુરવઠા વિભાગના રાજ્‍યકક્ષાના મંત્રી શ્રી જીતુભાઈ ચૌધરી તા.6/4/2022ના રોજ સવારે 10-00 કલાકે નાનાપોંઢા ખાતે ભાજપના સ્‍થાપના દિનના કાર્યક્રમમાં ઉપસ્‍થિત રહેશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.7/4/2022 અને તા.8/4/2022ના રોજ અનુラકૂળતાએ તેમના મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.9/4/2022ના રોજ સાંજે 4-00 કલાકે જલારામધામ, ફલધરા ખાતે રામનવમી નિમિત્તે ભવ્‍ય આનંદ મેળામાં હાજરી આપશે, ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. તા.10/4/2022ના રોજ સવારે 9-00 કલાકે નૂતન વિદ્યાલય ધરાસણા ખાતે ગુજરાત પ્રદેશ અધ્‍યક્ષની ઉપસ્‍થિતિમાં યોજાનારા મેગા બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં હાજરી આપશે અને ત્‍યારબાદ મતવિસ્‍તારના ગામોની મુલાકાત લઈ લોકસંપર્ક કરશે. સાંજે 4-30 કલાકે મહર્ષિ સદ્‌ગુરુ સદાફલ દેવ દંડકવન આશ્રમ, વાંસીયાતળાવ, તા.વાંસદા, જિ.નવસારી ખાતે વિહંગમ યોગસત્‍સંગ સમારોહ અને ધ્‍યાન શિબિરમાં હાજરી આપી અનુકૂળતાએ ગાંધીનગર જવા રવાના થશે

vartmanpravah

રોટરી વાપી રિવર સાઈડ દ્વારા વાપી મેરેથોન યોજાઈ

vartmanpravah

ટુકવાડા હાઈવે ઉપર મચ્‍છરદાની, ધાબળા, ચાદર ભરેલ ગુડ્‍ઝ વાનમાંથી 90 હજારનો દારૂ ઝડપાયો

vartmanpravah

Leave a Comment