Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં ઉપલબ્‍ધ કરાયેલી સીસીટીવી કેમેરાની સુવિધા :ગુનાહિત પ્રવૃત્તિ ઉપર આવનારો અંકુશ

રૂપિયા 33 લાખના ખર્ચે મહત્‍વના 14 પોઈન્‍ટ ઉપર લગાવેલા 41 સીસીટીવી કેમેરાનું પોલીસ મહાનિર્દેશક ડો.એસ.પી. રાજકુમારના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.25
સરીગામ જીઆઈડીસીના રસ્‍તાના મહત્‍વના 14 જેટલા પોઈન્‍ટ ઉપર બેસાડવામાં આવેલા 41 સીસીટીવી કેમેરાને કાર્યરત કરવા આજરોજ પોલીસ મહાનિર્દેશક ડો.એસ. પી. રાજકુમારના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસવાળા ડો. રાજદીપસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી શ્રીપાલ શેષ મા, તેમજ ઉમરગામ તાલુકા ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, જીઆઈડીસી વિભાગના રિજનલ મેનેજર શ્રી દિનેશભાઈ પરમાર તદઉપરાંત એસઆઈએના પ્રેસિડેન્‍ટ શ્રી કમલેશભાઈ ભટ્ટ, એસઆઈએના માજી પ્રમુખ શ્રી શિરીષભાઈ દેસાઈ અને મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિઓની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.
આ પ્રસંગે પોલીસ મહાનિર્દેશક ડૉ.એસ.પી રાજકુમારે જરૂરી માર્ગદર્શન અને મહત્‍વના સૂચનો આપતા જણાવ્‍યું હતું કે, માત્ર સીસીટીવી કેમેરા લગાવવાથી જીઆઈડીસીમાં વધેલી ગુનાહીત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ આવશે નહીં જેના માટે સીસીટીવી કેમેરાનુ સમય સમયે મોનેટરીંગ કરવું પડશે અને જરૂર જણાય તો પગલા પણ ભરવા પડશે. વધુમાં સરીગામજીઆઈડીસી પોલીસ ચોકી ઉપર પીએસઆઈ લેવલના અધિકારીની નિમણૂંક આપી કાર્યક્ષમતામાં વધારો કરવાનું પણ આશ્વાસન આપ્‍યું હતું.
આજના કાર્યક્રમમાં ધારાસભ્‍યશ્રી રમણભાઈ પાટકરે એસઆઈએની ટીમ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી તેમજ સરીગામ જીઆઈડીસીમાં બનાવટી પત્રકારોનો વધેલા આંતકની નોંધ લેવા અને કાર્યવાહી કરવા પોલીસ મહાનિર્દેશક ડો. એસ.પી. રાજકુમાર તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી રાજદીપસિંહ ઝાલાને સૂચન સાથે આગ્રહ કર્યો હતો.
આજના કાર્યક્રમમાં એસઆઈએસ સેક્રેટરી શ્રી હેમંતભાઈ મંડોલી, ઉપપ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાની, ટ્રેઝરર શ્રી કિશોરભાઈ ગજેરા, લો એન્‍ડ ઓર્ડર કમિટી ચેરમેન શ્રી વિનોદ સિંહ, માજી સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી સમીમભાઈ રિઝવી અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જે.કે રાય, શ્રી ઉદયભાઈ મારબલી, શ્રી પ્રવીણભાઈ પટેલ સહિત મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિ અને સંચાલકોની હાજરી જોવા મળી હતી.

Related posts

વિશાખાપટ્ટનમમાં યોજાયેલ નેશનલ એથ્‍લેટિક્‍સમાં ચીખલીના કણભાઈ ગામના એસ.ટી. કર્મચારી અતિશ પટેલે ગોલ્‍ડ મેડલ મેળવતા ગ્રામજનો દ્વારા કરાયેલું ભવ્‍ય સન્‍માન

vartmanpravah

ચીખલી તાલુકામાં પુર આવ્‍યાને દોઢેક માસ જેટલો સમય વિતવા છતાં ખેડૂતોને કેળ સહિતના પાકોમાં નુક્‍શાનીની સહાય ન ચૂકવાતા નારાજગી ફેલાવા પામી છે

vartmanpravah

રાજ્‍ય કાનૂની સેવા સત્તા મંડળ, દમણ દ્વારા ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ નિમિત્તે નાગરિકોને તમાકુ અને તેની બનાવટવાળી વસ્‍તુઓના સેવનથી થતાં નુકસાનની આપેલી માહિતી

vartmanpravah

દાનહમાં 02 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

સેલવાસમાં જગદગુરુ શ્રીનરેન્‍દ્રાચાર્ય મહારાજના સાનિધ્‍યમાં ‘સમસ્‍યા માર્ગદર્શન’ સમારોહ યોજાયો

vartmanpravah

ધોધડકુવાના જલારામ મંદિરે રામનવમીના સત્‍યનારાયણની યજ્ઞ અને સમૂહ કથાનું આયોજન કરાયું 

vartmanpravah

Leave a Comment