January 16, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામગુજરાતડિસ્ટ્રીકટવલસાડ

સરીગામ ઈન્‍ડસ્‍ટ્રીયલ ઝોનમાં ઉપલબ્‍ધ કરાયેલી સીસીટીવી કેમેરાની સુવિધા :ગુનાહિત પ્રવૃત્તિ ઉપર આવનારો અંકુશ

રૂપિયા 33 લાખના ખર્ચે મહત્‍વના 14 પોઈન્‍ટ ઉપર લગાવેલા 41 સીસીટીવી કેમેરાનું પોલીસ મહાનિર્દેશક ડો.એસ.પી. રાજકુમારના હસ્‍તે કરવામાં આવેલું લોકાર્પણ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સરીગામ, તા.25
સરીગામ જીઆઈડીસીના રસ્‍તાના મહત્‍વના 14 જેટલા પોઈન્‍ટ ઉપર બેસાડવામાં આવેલા 41 સીસીટીવી કેમેરાને કાર્યરત કરવા આજરોજ પોલીસ મહાનિર્દેશક ડો.એસ. પી. રાજકુમારના હસ્‍તે લોકાર્પણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે જિલ્લા પોલીસવાળા ડો. રાજદીપસિંહ ઝાલા, નાયબ પોલીસ અધિક્ષક શ્રી શ્રીપાલ શેષ મા, તેમજ ઉમરગામ તાલુકા ધારાસભ્‍ય શ્રી રમણભાઈ પાટકર, જીઆઈડીસી વિભાગના રિજનલ મેનેજર શ્રી દિનેશભાઈ પરમાર તદઉપરાંત એસઆઈએના પ્રેસિડેન્‍ટ શ્રી કમલેશભાઈ ભટ્ટ, એસઆઈએના માજી પ્રમુખ શ્રી શિરીષભાઈ દેસાઈ અને મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિઓની ઉપસ્‍થિતિ જોવા મળી હતી.
આ પ્રસંગે પોલીસ મહાનિર્દેશક ડૉ.એસ.પી રાજકુમારે જરૂરી માર્ગદર્શન અને મહત્‍વના સૂચનો આપતા જણાવ્‍યું હતું કે, માત્ર સીસીટીવી કેમેરા લગાવવાથી જીઆઈડીસીમાં વધેલી ગુનાહીત પ્રવૃત્તિઓ ઉપર અંકુશ આવશે નહીં જેના માટે સીસીટીવી કેમેરાનુ સમય સમયે મોનેટરીંગ કરવું પડશે અને જરૂર જણાય તો પગલા પણ ભરવા પડશે. વધુમાં સરીગામજીઆઈડીસી પોલીસ ચોકી ઉપર પીએસઆઈ લેવલના અધિકારીની નિમણૂંક આપી કાર્યક્ષમતામાં વધારો કરવાનું પણ આશ્વાસન આપ્‍યું હતું.
આજના કાર્યક્રમમાં ધારાસભ્‍યશ્રી રમણભાઈ પાટકરે એસઆઈએની ટીમ દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરી હતી તેમજ સરીગામ જીઆઈડીસીમાં બનાવટી પત્રકારોનો વધેલા આંતકની નોંધ લેવા અને કાર્યવાહી કરવા પોલીસ મહાનિર્દેશક ડો. એસ.પી. રાજકુમાર તેમજ જિલ્લા પોલીસ વડા શ્રી રાજદીપસિંહ ઝાલાને સૂચન સાથે આગ્રહ કર્યો હતો.
આજના કાર્યક્રમમાં એસઆઈએસ સેક્રેટરી શ્રી હેમંતભાઈ મંડોલી, ઉપપ્રમુખ શ્રી નિર્મલભાઈ દુધાની, ટ્રેઝરર શ્રી કિશોરભાઈ ગજેરા, લો એન્‍ડ ઓર્ડર કમિટી ચેરમેન શ્રી વિનોદ સિંહ, માજી સેક્રેટરી શ્રી કૌશિકભાઈ પટેલ, શ્રી સમીમભાઈ રિઝવી અગ્રણી ઉદ્યોગપતિ શ્રી જે.કે રાય, શ્રી ઉદયભાઈ મારબલી, શ્રી પ્રવીણભાઈ પટેલ સહિત મોટી સંખ્‍યામાં ઉદ્યોગપતિ અને સંચાલકોની હાજરી જોવા મળી હતી.

Related posts

પારડીના કોટલાવમાં ચડ્ડી બનિયાનધારી ગેંગ ત્રાટકીઃ સોનાના ઘરેણાં તથા રોકડ મળી રૂ.૧,૫૦,૦૦૦ની કરેલી ચોરી

vartmanpravah

પંડિત દીન દયાળ ઉપાધ્‍યાયની પુણ્‍યતિથિ સમર્પણ દિવસના ઉપલક્ષમાં દાનહ અને દમણ-દીવ ભાજપ દ્વારા ‘ઈ-વિદ્યા’ એપનું કરાયેલું અનાવરણઃ ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનશે

vartmanpravah

દાનહમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા જિલ્લા સ્‍તરના પ્રશિક્ષણ કાર્યક્રમ યોજાયો : પોક્‍સો એક્‍ટ, ર01ર અને જુવેનાઈલ જસ્‍ટીસ એક્‍ટ, 2015 હેઠળના કાયદાઓ પર તાલીમનું આયોજન કરાયું

vartmanpravah

વલસાડના યુવાનોએ શ્રમયજ્ઞ કરી તંત્રને બોધપાઠ આપ્‍યો : હાઈવે ઉપરના ખાડા પુરવા યુવાનો જાતે ઉતર્યા

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોના રફતાર અટકી : સોમવારે 141 પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

ખડોલી સ્‍થિત શિવોમ ઈન્‍ડસ્‍ટ્રીઝમાં આગ લાગતા મચેલી દોડધામ

vartmanpravah

Leave a Comment