October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ, વાપી દ્વારા ‘‘યોગ- મહિલા સશક્‍તિકરણ -2024 આંતરરાષ્‍ટ્રીય યોગ દિવસ”ની ઉત્‍સાહસભર કરાયેલી ઉજવણી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.21: આર.કે.દેસાઈ ગ્રુપ ઓફ કોલેજીસ વાપી દ્વારા આંતરરાષ્‍ટ્રીય યોગદિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મુખ્‍ય અતિથિ પૂનમ શાહ (આર્ટ ઓફ લિવિંગના ફેકલ્‍ટી) વૃષાલી અગરકર (યોગા શિક્ષક), પ્રતીક શાહ, જયેશ માવ, હિના પંચોલી વોલિયન્‍ટર ઉપસ્‍થિત રહ્યા હતા. અતિથિઓને આર.કે.દેસાઈ પરિવાર વતી પુષ્‍પો ગુચ્‍છ આપી સમ્‍માન કરવામાં આવ્‍યું હતું. યોગ વ્‍યાયામ ભારત વર્ષના ઋષિમુનિઓની એક અનુપમ શોધ છે. પ્રાચીનકાળમાં માનવીનું જીવન કુદરત સાથે ઓતપ્રત થઈને વહેતુ હતું. જાણે પ્રકળતિના ગોદમાં રમતું બાળક જેવું ઋષિમુનિઓ પ્રકળતિની અંદર ઈશ્વરની જે મહાન શક્‍તિ કામ કરી રહી છે તે જાણવા હંમેશા પ્રયત્‍ન કરતા આના જ ફળ સ્‍વરૂપે શારીરિક અને માનસિક તંદુરસ્‍તી નિરોગી અને દીર્ઘાયુ જીવનનો લાભ મેળવવા આસન પ્રયાણામ જેવી પ્રણાલી શોધી કાઢી અને આ ઋષિમુનિઓની શોધને 21 જૂન આખું ‘‘વિશ્વ યોગ દિવસ” તરીકે મનાવી મનુષ્‍યના સ્‍વાસ્‍થ્‍યને નિરોગી તંદુરસ્‍ત રાખવા લોકજાગૃતિ અર્થે ઉજવવામાં આવે છે. જેમાં અમારી સંસ્‍થા દ્વારા સમગ્ર વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને આ દિવસ ઉજવવાનો લાભ મળી શકે એ હેતુથી ‘‘આર્ટ ઓફ લિવિંગ”ના સંસ્‍થા સાથે જોડાયેલા યોગ શિક્ષકો, સંસ્‍થાના બધાજ વિદ્યાશાખાના પ્રાધ્‍યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્‍સાહ સાથે ભાગ લઈ વિવિધ પ્રકારના શ્‍લોકો દ્વારા વિશિષ્ટ પદ્ધતિ દ્વારા ‘‘વિશ્વ યોગદિવસ”ની ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન સંસ્‍થાના ફીઝીકલ એજ્‍યુકેશનના પ્રાધ્‍યાપક પ્રફુલભાઈ પટેલ અને પ્રો.પૂજા સિધ્‍ધપુરા દ્વારા કરવામાં આવ્‍યું હતું. આ સમગ્ર કાર્યક્રમ કરવા બદલ સંસ્‍થાના ચેરમેનશ્રી મિલન દેસાઈએ તથા ઈન્‍ચાર્જ કેમ્‍પસ ડાયરેક્‍ટર ડો.મિત્તલ શાહ તેમજ સંસ્‍થાના સમગ્ર વિદ્યાશાખાના આચાર્યશ્રીઓએ પણ ભાગ લઈ આવા યોગ સ્‍વાસ્‍થ્‍ય પ્રત્‍યે લોકજાગૃતિ લાવી સમાજ કલ્‍યાણને લગતા કાર્યક્રમો થતા રહે એ માટે શુભેચ્‍છાઓ પાઠવી હતી.

Related posts

ગ્રાહકના સ્‍વાંગમાં આવેલ બે મહિલાએ કરી દુકાન માલિક સાથે છેતરપિંડી

vartmanpravah

દીવ ખાતે શૈક્ષણિક પ્રવાસમાં આવેલ શિક્ષકનું નાગવા ખાતે હાર્ટ અટેકથી મોત

vartmanpravah

પારડી એન.કે.દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજનું સેમેસ્‍ટર-6 નું 90 ટકા પરિણામ જાહેર થયું

vartmanpravah

દમણઃ સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળા રીંગણવાડા-અંગ્રેજી માધ્‍યમના શિક્ષિકાઓ રંજનબેન સી. પટેલ અને રેખાબેન આર. પટેલે લીધી સ્‍વૈચ્‍છિક નિવૃત્તિ

vartmanpravah

નુમા એકેડેમી દમણના ડાન્‍સ ટ્રેનર સૂરજ કુમારે ટેલીવિઝન રિયાલીટી શૉના કોરિયોગ્રાફર વૈભવ ઘુઘેના ડાન્‍સ વર્કશોપમાં લીધેલો ભાગ

vartmanpravah

પારનેરા ડુંગર ઉપર મહાદેવ મંદિરમાં અભિષેક કરી રહેલા ભક્‍તનું હૃદય રોગના હુમલાથી મોત થયું

vartmanpravah

Leave a Comment