Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં 21મી જાન્‍યુઆરીએ અયોધ્‍યા આનંદ ઉજવાશે : તિથલ કિનારે 51 હજાર દીવડા પ્રગટાવાશે

તા.22મીએ અયોધ્‍યામાં પ્રભુ શ્રીરામ પ્રતિમાની પ્રાણ પ્રતિષ્‍ઠાની પૂર્વ સંધ્‍યાએ ગૌરવવંતી ક્ષણોમાં બીજી દિવાળી ઉજવાશે

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: 500 વર્ષની સંઘર્ષ પછી અયોધ્‍યામાં ભવ્‍ય રામ મંદિરનું નિર્માણ થયું છે. પ્રભુ શ્રીરામની પ્રતિમાની તા.22 જાન્‍યુઆરી 2024 રોજ રામજન્‍મ ભૂમિ અયોધ્‍યામાં પ્રાણ પ્રતિષ્‍ઠા થનાર છે. આ ગૌરવવંતી ક્ષણોની પૂર્વ સંધ્‍યાએ વલસાડ તિથલ દરિયા કિનારે તા.21ના રોજ વિવિધ હિંધુ સર્વ સમાજ દ્વારા 51,101 દીવડા પ્રગટાવી મહાઆરતી કરી બીજી દિવાળી ઉજવાશે તેમજ વર્લ્‍ડ રેકર્ડ સર્જાવાની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે.
વલસાડ હિંદુસેવા સંસ્‍થા અને સર્વ હિંદુ સમાજ દ્વારા તા.21-1-24 ના રોજ સાંજે 6:30 કલાકે તિથલ દરિયા કિનારે 51,101 દિવડા પ્રગટાવીને મહા આરતી યોજાશે. જેની માહિતી આપતા મુખ્‍ય આયોજક રતનસિંહ ચૌહાણે જણાવ્‍યું હતું કે, 500 વર્ષ પછી ફરી સોનેરી દિવસઆવી રહ્યો છે. જેનો મહિમા દિવાળી કરતા વિશેષ છે તે માટે હિંદુ સમાજ એક થયો છે. 51 હજાર દિવડા પ્રગટાવાના કાર્યક્રમમાં 50 થી વધુ સંસ્‍થાઓ જોડાનાર છે. તિથલ બીચના વોક વે ઉપર દિવડા પ્રગટાવાશે. મહિલાઓ દ્વારા રંગોળી ફુલહારનું ડેકોરેશન કરાશે તેમજ 15 હજાર ઉપરાંત ભાવિકો ઉપસ્‍થિત રહેશે. હિંદુ અગ્રણી બકુલ રાજગોરે જણાવ્‍યું છે કે, વલસાડ નવસારી જિલ્લાના લોકોને હાર્દિક જાહેર આમંત્રણ છે તેમજ રામલલાનો ઉત્‍સવ ધામધૂમથી ઉજવવાની અપીલ કરી હતી.

Related posts

દાનહમાં કલેક્‍ટર ભાનુ પ્રભાની અધ્‍યક્ષતામાં સાંસ્‍કૃતિક કાર્યક્રમ અંગે બેઠક યોજાઈ

vartmanpravah

જગન્નાથ યાત્રાને લઈ પારડી પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠક મળી

vartmanpravah

ધરમપુરના ભાંભા ગામના કંડકટર અને તૂરવાદક રણજીતભાઈ પટેલનો ભવ્ય નિવૃતિ સન્માન સમારંભ અને લોકવાદ્ય તૂર સ્પર્ધાનું કરાયેલું આયોજન

vartmanpravah

‘‘રામ દ્વાર શ્રી પીઠ” માં હનુમાન જયંતિની ઉજવણી

vartmanpravah

થર્ટી ફર્સ્‍ટને લઈ પોલીસ અને બુટલેગરો વચ્‍ચે લાગી હોડ: 3 લાખના દારૂ સહિત 8 લાખના મુદ્દામાલ સાથે રીઢા ગુનેગારને દબોચતી વલસાડ એલસીબી

vartmanpravah

સેલવાસની હવેલી ઈન્‍સ્‍ટિટયૂટ એન્‍ડ રિસર્ચમાં માનવાધિકાર દિવસ નિમિતે કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment