(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી,તા.16: નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોરોના મહામારીના શંકાસ્પદ વ્યકિતઓના 310794 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે. કોરોના પોઝીટીવના 02 કેસ નોંધાયા છે. આજે 01 દર્દી સારા થતા તેઓને રજા આપવામાં આવી છે. આજદિન સુધીમાં કુલ 7174 પોઝીટીવ કેસો નોંધાયા છે. જિલ્લામાં કુલ 12 કોવિડ હોસ્પિટલમાં એક્ટિવ કેસ છે. કુલ 6971 દર્દીઓને રજા આપવામાં આવી છે. કોરોનાથી આજદિન સુધીમાં 191 વ્યકિતઓના મૃત્યુ થયા છે. તેમજ જિલ્લા પંચાયત આરોગ્યશાખાની યાદી જણાવે છે.