(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
નવસારી,તા.16: ગુજરાત રાજયના ગામડાઓ તથા શહેરોમો ભારતીય રીઝર્વ બેંક દ્વારા બહાર પાડેલ નાની રકમની ચલણી નોટો તથા સિકકા ચલાવતા નથી. જો ભારતનો કોઇ નાગરિક ભારતસરકાર દ્વારા માન્ય કરેલ ચલણી નાણું સ્વીકારવાની ના પાડે તો તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 124- એ (રાજદ્રોહ) અંતર્ગત કાર્યવાહી કરી શકાય છે. આથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં નાની રકમની ચલણી નોટો તથા સિકકા સ્વીકારાય તે માટે નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા જણાવાયું છે. નવસારી જિલ્લામાં પણ ચલણી નોટો તથા સિકકા સ્વીકારવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જો તેમ ન કરવામાં આવશે તો નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તેમ નિવાસી અધિક કલેકટર નવસારી દ્વારા જણાવાયું છે.