Vartman Pravah
Breaking Newsગુજરાતનવસારી

નવસારી જિલ્લામાં નાની રકમની ચલણી નોટો તથા સિકકાનો અસ્‍વીકાર કરનાર સામે રાજદ્રોહની કાર્યવાહી કરાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
નવસારી,તા.16: ગુજરાત રાજયના ગામડાઓ તથા શહેરોમો ભારતીય રીઝર્વ બેંક દ્વારા બહાર પાડેલ નાની રકમની ચલણી નોટો તથા સિકકા ચલાવતા નથી. જો ભારતનો કોઇ નાગરિક ભારતસરકાર દ્વારા માન્‍ય કરેલ ચલણી નાણું સ્‍વીકારવાની ના પાડે તો તેના પર ભારતીય દંડ સંહિતાની કલમ 124- એ (રાજદ્રોહ) અંતર્ગત કાર્યવાહી કરી શકાય છે. આથી ગુજરાતના તમામ જિલ્લાઓમાં નાની રકમની ચલણી નોટો તથા સિકકા સ્‍વીકારાય તે માટે નાણાં વિભાગ ગાંધીનગર દ્વારા જણાવાયું છે. નવસારી જિલ્લામાં પણ ચલણી નોટો તથા સિકકા સ્‍વીકારવા તમામ નાગરિકોને અપીલ કરવામાં આવી છે. જો તેમ ન કરવામાં આવશે તો નિયમોનુસાર કાર્યવાહી કરવામાં આવશે. તેમ નિવાસી અધિક કલેકટર નવસારી દ્વારા જણાવાયું છે.

Related posts

માઁ વિશ્વંભરી તિર્થયાત્રા ધામે ચૈત્રી નવરાત્રી પર્વની ભવ્‍યાતિભવ્‍ય ઉજવણી થઈ

vartmanpravah

સેલવાસ પોલીસ ચોકીમાં કાર્યરત હોમગાર્ડે ચોરીનો પ્રયાસ કરનારને રોક્યા

vartmanpravah

ભાભીએ નણંદને માનસિક ત્રાસ આપી ઘરની બહાર કાઢી મુકતાં પીડિત મહિલાને 181 અભયમ ટીમે કરી મદદ

vartmanpravah

સંઘપ્રદેશના દાનહના ગુજરાતી માધ્‍યમના શિક્ષક શ્‍યામ સુંદર રામચંદ ખાનચંદાનીનું મહામહિમ રાષ્‍ટ્રપતિ દ્રૌપદી મુર્મૂ દ્વારા સન્‍માન

vartmanpravah

દાનહ ભારત સ્‍કાઉટ ગાઈડ પ્રદેશ મુખ્‍યાલય પર જય ગુરૂદેવનું શાકાહારી સંમેલનનું આયોજન કરાયુ

vartmanpravah

સંઘપ્રદેશ પ્રશાસનની પોલ્‍યુશન કંટ્રોલ કમીટિ દ્વારા અધિકૃત લાઈટ કનેક્‍શન નહીં ધરાવતી પી.એસ.એલ. કોરોઝન કંટ્રોલ સર્વિસિસ લિ.ને પોતાના ઉત્‍પાદનના ઓપરેટ માટે કન્‍સેન્‍ટ અપાતા મોટા ભેદભરમની જોવાઈ રહેલી શક્‍યતા

vartmanpravah

Leave a Comment