April 20, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડની ૩૭મી વાર્ષિક સાધારણ સભા યોજાઈઃ કારોબારી પ્રમુખ તરીકે ફરીવાર બળવંતસિંહ સોલંકીની નિમણૂંક

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.23: વલસાડ વિભાગ રાજપૂત સમાજ સેવા સંઘ વલસાડની 37મી વાર્ષિક સાધારણ સભા સમાજભવન ખાતે કારોબારી પ્રમુખ શ્રી બળવંતસિંહ ઝેડ. સોલંકીની અધ્‍યક્ષતામાં મળી હતી. વિશાળ સંખ્‍યામાં ઉપસ્‍થિત સભાસદો-ટ્રસ્‍ટી મંડળની હાજરીમાં સૌપ્રથમ દિવંગતોને શ્રધ્‍ધાંજલી આપવામાં આવી હતી. ચિ.કુમારી જલપી સોલંકીની સુંદર પ્રાર્થના પછી વર્ષ 2024 થી 2027 ત્રિવાર્ષિક કારોબારીની રચના કરવામાં આવી હતી. સર્વસંમતિથી કારોબારી પ્રમુખ તરીકે વધુ એકવાર શ્રી બળવંતસિંહ સોલંકીની નિમણૂંક કરવામાં આવી હતી. સતત પાંચમી ટર્મ માટે થયેલી તેમની નિમણુંકને સૌએ તાળીઓના ગડગડાથી વધાવી લીધી હતી.
શ્રી બળવતસિંહ સોલંકીએ સતત 12 વર્ષથી સેવાકાર્યપછી વધુ ત્રણ વર્ષ માટે સેવાની તક આપી તે માટે સૌનો આભાર વ્‍યક્‍ત કર્યો અને સંસ્‍થાના વિકાસ માટે બનતા તમામ પ્રયત્‍નો કરવાની ખાતરી આપી હતી. ટ્રસ્‍ટી-પ્રમુખશ્રી ઠાકોરસિંહ સોલંકીએ સંસ્‍થાના વિકાસની માહિતી આપી હતી અને ટ્રસ્‍ટી મંડળ, કારોબારી, દાતાઓ તથા સ્‍વયંસેવકોએ આપેલા સહકાર માટે અભિનંદન પાઠવી આભાર વ્‍યકત કર્યો હતો. વાર્ષિક અહેવાલ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્‍યો હતો. આભાર દર્શન અને રાષ્‍ટ્રગીત સાથે સભા સમાપ્ત થઈ હતી. સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રવક્‍તા સમિતિ અધ્‍યક્ષ અને ટ્રસ્‍ટી શ્રી રામસિંહ દેસાઈએ કર્યું હતું.

Related posts

વલસાડ પોલીસ સ્‍ટેશનમાં જુગારના આરોપીનું લોકઅપમાં ખેંચ આવતા હોસ્‍પિટલમાં મોત

vartmanpravah

લાંબા સમયથી ભારે વરસાદના કારણે મધુબન ડેમમાંથી 2.5 લાખ ક્‍યુસેક પાણી છોડવાના કારણે 8 લોકો દમણગંગા નદીમાં ફસાયા

vartmanpravah

સંઘપ્રદેશમાં નવતર રીતે પ્રવેશોત્‍સવની ઉજવણી કરવા શરૂ થયેલી કવાયતઃ દાનહના ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓ સાથે શિક્ષણ નિર્દેશકે કરેલો સંવાદ

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રોકેટ ગતિની રફતાર મંગળવારે 310 નવા કેસ : 1076 સક્રિય:  ત્રણ દિવસથી એવરેજ 300 કેસ નોંધાઈ રહ્યા છે142 દર્દી સાજા થયા

vartmanpravah

ચીખલીના દેગામ સ્‍થિત સોલાર કંપનીમાં થયેલ ચોરીના ગુનામાં પોલીસે વધુ એકની અમદાવાદથી કરેલી ધરપકડ

vartmanpravah

વલસાડની સિવિલ હોસ્‍પિટલમાં વિશ્વ માનસિક આરોગ્‍ય માસની ઉજવણી અંતર્ગત જનજાગૃતિ કાયક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment