April 18, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મોરાઈ ગુડ્‍ઝ ટ્રેન બ્રિજ ઉપરથી યુવાને મોતની છલાંગ લગાવી

મૃતકની ઓળખ રામેશ્વર મિશ્રાની હતી : ત્રણ માસથી નોકરી છૂટી જતા સ્‍ટ્રેસ અનુભવતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી નજીક આવેલ મોરાઈ ગામે ગુડ્‍ઝ ટ્રેનના ઓવરબ્રિજઉપરથી શનિવારે મોતની છલાંગ લગાવી હતી. જેમાં યુવાન નીચે પટકાતા ઘટના સ્‍થળે જ મોતને ભેટયો હતો. પોલીસે મૃતકની ઓળખ કરતા અતુલમાં રહેતા રામેશ્વર મિશ્રાની થઈ હતી.
અતુલમાં રહેતા રામેશ્વર મિશ્રાની ત્રણ મહિનાથી નોકરી છૂટી ગઈ હોવાથી ટેન્‍શનમાં રહેતો હતો. શનિવારે મોરાઈ રેલવે બ્રીજ ઉપરથી પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા એકઠા થયેલ લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી મૃતકના કપડામાં તપાસ કરતા આધારકાર્ડ મળી આવતા મૃતક રામેશ્વર મિશ્રાની ઓળખ થઈ. તેના ખિસ્‍સામાંથી રોકડા રૂપિયા 4 હજાર મળી આવ્‍યા હતા. શંકાસ્‍પદ બનેલી ઘટનામાં લોકો એવી પણ કરતા હતા કે હજુ આ બ્રિજ વાહન વહેવાર માટે ખુલ્લો મુકાયો નથી ત્‍યારે યુવક ત્‍યાં પહોંચ્‍યો કેવી રીતે. જો કે આપઘાતનું સાચું કારણ પોલીસ તપાસમાં બહાર આવી શકશે.

Related posts

સરીગામના અગ્રણી રાકેશ રાયે સેવાભાવી કામગીરી સાથે ઉજવેલો જન્‍મદિવસ

vartmanpravah

વાપી પાલિકા દ્વારા ભડકમોરા-સુલપડમાં રોડ પહોળો કરવાની કામગીરી હાથ ધરાઈ

vartmanpravah

આજે સેલવાસ ન.પા.ના પ્રમુખ અને ઉપ પ્રમુખનું પદ મહિલા સભ્‍યોને નશીબ થવાની સંભાવના

vartmanpravah

સેલવાસ ન.પા. વિસ્‍તારમાં નિર્માણાધિન કોઈપણ જગ્‍યાએ પાણીનો ભરાવો નજરે પડશે તો જવાબદાર વ્‍યક્‍તિઓ વિરૂદ્ધ દાનહ પીડીએ વિભાગ કાનૂની કાર્યવાહી કરશે

vartmanpravah

દિવ્‍યાંગ સ્‍કાઉટ ગાઇડને ચોકલેટની ટ્રેનિંગ દ્વારા બનાવવામા આવ્‍યા આત્‍મનિર્ભર

vartmanpravah

પારડીની એન.કે.દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજમાં પ્રાથમિક ઉપચાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો

vartmanpravah

Leave a Comment