June 13, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વાપી મોરાઈ ગુડ્‍ઝ ટ્રેન બ્રિજ ઉપરથી યુવાને મોતની છલાંગ લગાવી

મૃતકની ઓળખ રામેશ્વર મિશ્રાની હતી : ત્રણ માસથી નોકરી છૂટી જતા સ્‍ટ્રેસ અનુભવતો હતો

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.23: વાપી નજીક આવેલ મોરાઈ ગામે ગુડ્‍ઝ ટ્રેનના ઓવરબ્રિજઉપરથી શનિવારે મોતની છલાંગ લગાવી હતી. જેમાં યુવાન નીચે પટકાતા ઘટના સ્‍થળે જ મોતને ભેટયો હતો. પોલીસે મૃતકની ઓળખ કરતા અતુલમાં રહેતા રામેશ્વર મિશ્રાની થઈ હતી.
અતુલમાં રહેતા રામેશ્વર મિશ્રાની ત્રણ મહિનાથી નોકરી છૂટી ગઈ હોવાથી ટેન્‍શનમાં રહેતો હતો. શનિવારે મોરાઈ રેલવે બ્રીજ ઉપરથી પડતુ મુકી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતા એકઠા થયેલ લોકોએ પોલીસને જાણ કરી હતી. પોલીસે ઘટના સ્‍થળે પહોંચી મૃતકના કપડામાં તપાસ કરતા આધારકાર્ડ મળી આવતા મૃતક રામેશ્વર મિશ્રાની ઓળખ થઈ. તેના ખિસ્‍સામાંથી રોકડા રૂપિયા 4 હજાર મળી આવ્‍યા હતા. શંકાસ્‍પદ બનેલી ઘટનામાં લોકો એવી પણ કરતા હતા કે હજુ આ બ્રિજ વાહન વહેવાર માટે ખુલ્લો મુકાયો નથી ત્‍યારે યુવક ત્‍યાં પહોંચ્‍યો કેવી રીતે. જો કે આપઘાતનું સાચું કારણ પોલીસ તપાસમાં બહાર આવી શકશે.

Related posts

વલસાડ ચણવઈ ગામે નહેરના ગંદા પાણીમાં ટેમ્‍પો ભરીને શાકભાજી ધોવામાં આવી : સ્‍વાસ્‍થ્‍ય સાથે ચેડા

vartmanpravah

વાપીના ડુંગરી ફળીયા એકતાનગર વિસ્‍તારમાં ગુજરાત મોડેલ અને સ્‍માર્ટ સીટી વિકાસ ક્‍યારે પહોંચશે : સ્‍થાનિકોની

vartmanpravah

દાનહ પોલીસે દુકાનમાં તોડફોડ કરી આગ લગાડી ચોરી કરનાર બે આરોપીઓની કરેલી ધરપકડ

vartmanpravah

સેલવાસ ન.પા. વિસ્‍તાર માટે ચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના સભ્‍યોનો યોજાયો સન્‍માન સમારંભ

vartmanpravah

સોળસુંબા બજાર પ્રકરણમાં સરકારી અધિકારીઓની તપાસમાં ઢીલી નીતિ

vartmanpravah

ઉમરગામ નોટીફાઈડ કચેરીનો અણધડ કારભાર

vartmanpravah

Leave a Comment