April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દીવ ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.23: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં બીજેપી કાર્યાલય ખાતે દીવ જિલ્લા બીજેપી હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહી અને ભારતીય જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જીની પુણ્‍યતિથિ નિમિત્તે આજે પુષ્‍પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. પુષ્‍પાંજલિ કાર્યક્રમ દરમિયાન બીજેપી હોદેદારોએ ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જીના જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ કિરિટ વાજા, બીજેપી મહામંત્રી ભવ્‍યેશ ચૌહાણ, કિશોર કાપડીયા, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, જિલ્લા પંચાયત રામજી ભીખા બામણીયા, કાઉન્‍સિલર નીતા સંદિપ જાદવ, દિનેશ કાપડિયા હર્ષિદા મિહિર સોલંકી, વૈશાલી સોલંકી, હેમાક્ષી રાજપૂત, રાહુલ રાઠોડ તથા બીજેપી હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

દમણ જિ.પં.ના નવનિયુક્‍ત પ્રમુખ જાગૃતિબેન પટેલે કરેલી આવકારદાયક પહેલઃ વિવિધ પંચાયતોનું શરૂ કરેલું રૂબરૂ નિરીક્ષણ

vartmanpravah

લોકસભાની દાનહ બેઠકની ચૂંટણીમાં હવે બાકી રહેલી ફક્‍ત ઔપચારિકતાઃ ચૂંટણી પહેલાં જ ભાજપના ઉમેદવાર કલાબેન ડેલકરની જીત પાક્કી હોવાનો અહેસાસ

vartmanpravah

ચીખલી તાલુકાના ફડવેલ ગામની એક યુવતી સહિત ચાર જેટલા યુવાનોની દેશના સૈન્‍યમાં પસંદગી થતા ગામમાં ગૌરવ સાથે આનંદની લાગણી ફેલાઈ

vartmanpravah

સેલવાસની પ્રમુખ દર્શન સોસાયટી દ્વારા સાયલી ગ્રાઉન્‍ડ ખાતે ક્રિકેટ મેચ યોજાઈ

vartmanpravah

વાપીના ગાંધીવાદી અગ્રણી પદ્મશ્રી ગફુરભાઈ બિલખીયાની ગુજરાત વિદ્યાપીઠમાં ટ્રસ્‍ટી તરીકે નિમણૂંક

vartmanpravah

દાનહમાં એકપણ કોરોના પોઝિટિવ કેસ નહીં

vartmanpravah

Leave a Comment