July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

દીવ ભાજપ દ્વારા ડો. શ્‍યામાપ્રસાદ મુખરજીની પુણ્‍યતિથિ નિમિત્તે પુષ્‍પાંજલિ કાર્યક્રમ યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દીવ, તા.23: કેન્‍દ્ર શાસિત પ્રદેશ દીવમાં બીજેપી કાર્યાલય ખાતે દીવ જિલ્લા બીજેપી હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહી અને ભારતીય જનસંઘના સંસ્‍થાપક ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જીની પુણ્‍યતિથિ નિમિત્તે આજે પુષ્‍પ અર્પણ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ આપી હતી. પુષ્‍પાંજલિ કાર્યક્રમ દરમિયાન બીજેપી હોદેદારોએ ડો.શ્‍યામાપ્રસાદ મુખર્જીના જીવન ચરિત્ર વિશે માહિતી આપી હતી. આ પ્રસંગે પ્રદેશ ઉપપ્રમુખ કિરિટ વાજા, બીજેપી મહામંત્રી ભવ્‍યેશ ચૌહાણ, કિશોર કાપડીયા, નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ, જિલ્લા પંચાયત રામજી ભીખા બામણીયા, કાઉન્‍સિલર નીતા સંદિપ જાદવ, દિનેશ કાપડિયા હર્ષિદા મિહિર સોલંકી, વૈશાલી સોલંકી, હેમાક્ષી રાજપૂત, રાહુલ રાઠોડ તથા બીજેપી હોદેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વલસાડ જિલ્લા પંચાયત ચૂંટણીમાં કારોબારી અધ્‍યક્ષ પદનું ફરી મેન્‍ડેટ જાહેર કરવામાં આવતા વિવાદ

vartmanpravah

આંદામાન અને નિકોબાર ટાપુઓમાં બદલી થતાં દીવ જિલ્લા પંચાયતના મુખ્‍ય કાર્યકારી અધિકારી વૈભવ રિખારીને ભાવભીની વિદાય અપાઈ

vartmanpravah

વલસાડના અટકપારડી ખાતે 25 ખેડૂતોએ ‘મન કી બાત’ના 100માં એપિસોડનું લાઈવ પ્રસારણ સાંભળ્‍યું

vartmanpravah

વલસાડના રોલા ગામે ચૂંટણી પરિણામ બાદ જીતના જોશમાં હારેલા મહિલા ઉમેદવાર ઉપર રોકેટ છોડયા

vartmanpravah

દમણ જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં ખેલ મહોત્‍સવનો થનગનાટ : એપ્રિલના ત્રીજા-ચોથા સપ્તાહથી થનારો આરંભ

vartmanpravah

નાનીવહીયાળ હાઈસ્‍કૂલને પ્રથમવાર કેન્‍દ્ર ફળવાતા- કુલ 332 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી

vartmanpravah

Leave a Comment