September 1, 2026
Vartman Pravah
વલસાડ

દમણના સાંસદ લાલુભાઈ પટેલના બનેવીને મળ્‍યો મંદિરમાં મોક્ષ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.16

માનવ જીવનમાં મૃત્‍યુ સારુ થાય તેવો મહિમા છે. વલસાડના બિલ્‍ડર વિરપુર દર્શન કરવા નિકળેલા હતા ત્‍યારે વચ્‍ચે આવતા ગણપતિના મંદિરે ગર્ભખંડમાં દર્શન કરી રહ્યા હતા ત્‍યાંજ ઢળી પડતા તેમનો ભગવાનની સામે જ મોક્ષ થયાની ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડમાં લુહાર ટેકરા વિસ્‍તારમાં રહેતા જયંતિભાઈ પટેલ વ્‍યવસાયે બિલ્‍ડર હતા. સમાજમાં તેમનો મોભો, માન અને પ્રતિષ્‍ઠા હતી. તેઓ પત્‍ની સાથે વિરપુર દર્શન કરવા કારમાં નિકળ્‍યા હતા ત્‍યાં વિરપુર નજીક ગણપુરા ગામે ગણપતિનું મંદિર આવે છે. તેઓ વિરપુર દર્શન કરતા પહેલા જ્‍યારે પણ નિકળે ત્‍યારે આ મંદિરમાં દર્શન કરી આગળ વધતા હતા તે મુજબ ગણપતિ મંદિરના ગર્ભખંડમાં ભગવાન ગણેશના દર્શન કરી રહ્યા હતા ત્‍યાંજ જયંતિભાઈ ઢળી પડયા હતા અને મંદિરમાં જ તેમનો મોક્ષ થયો હતો. અત્રે યાદ રહે કે, શ્રી જયંતિભાઈ સંઘપ્રદેશ દમણના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના બનેવી હતા. ઘટનાનો વિડીયો વાયરલ થતા દમણ-વલસાડ વિસ્‍તાર સૌ કોઈને શોક લાગ્‍યો હતો.

 

 

 

Related posts

સરકારની યોજનાના લાભ લઈ ‘વિકસિત ભારત સંકલ્‍પ યાત્રા’ ગ્રામજનોના દ્વારે પહોંચી, ધરમપુર-કપરાડામાં 13 દિવસમાં 52 ગામના 12947 લોકો યાત્રામાં જોડાયા

vartmanpravah

વલસાડમાં પ્રથમવાર પારનેરા ડુંગર પર રાજ્‍યકક્ષાની આરોહણ – અવરોહણ સ્‍પર્ધા યોજાઈ, 160 સ્‍પર્ધકોએ ઉત્‍સાહભેર ભાગ લીધો

vartmanpravah

નવસારી શ્રી સયાજી વૈભવ સાર્વજનિક પુસ્‍તકાલય અને શ્રી નરેન્‍દ્ર હિરાલાલ પારેખ જ્ઞાનધામ નવસારી દ્વારા રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 12પમી જન્‍મદિનની ઉજવણી કરાઈ

vartmanpravah

ચીખલીના સાદકપોરની આંબાવાડીમાં માદા અજગર ઈંડાઓનું સેવન કરતી જોવા મળતા લોકોમાં ગભરાટ

vartmanpravah

આજે કલેક્‍ટર કચેરી ખાતે શાળા પ્રવેશોત્‍સવ અમલીકરણ સમિતિની બેઠક મળશે

vartmanpravah

વલસાડ જિલ્લામાં CET અને જ્ઞાન સાધના મેરીટ સ્કોલરશીપ પરીક્ષા શાંતિપૂર્ણ માહોલમાં પૂર્ણ

vartmanpravah

Leave a Comment