April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચીખલીના સાદકપોરની આંબાવાડીમાં માદા અજગર ઈંડાઓનું સેવન કરતી જોવા મળતા લોકોમાં ગભરાટ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી(વંકાલ),તા.07: ચીખલી તાલુકાના સાદકપોર ગામના ચાડીયા ફળીયા વિસ્‍તારમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષભાઇ નગીનભાઈ પટેલની આંબાવાડીમાં આરસીસીના પાઈપમાં છેલ્લા કેટલાક દિવસોથી માદા અજગર ઈંડાઓનું સેવન કરતી હોવાનું માલુમ પડતા સ્‍થાનિકો લોકોમાં ગભરાટનું વાતાવરણ જોવા મળ્‍યું હતું. આંબાવાડીમાં ગરનાળામાં ઘણા દિવસોથી માદા અજગર વિંટળાયેલી અવસ્‍થામાં છે અને વચ્‍ચે ઈંડા હોય અને તે સેવન કરતી હોવાથી તે કોઈપણ પ્રકારની હલચલન કરી તેનું સ્‍થાન છોડતી નથી. બીજી તરફ કોઈપણ વ્‍યક્‍તિ દ્વારા તેને ખલેલ પણ પહોંચાડવામાં આવતી નથી અને આ અંગેની જાણ શૈલેષભાઇ દ્વારા આરએફઓ આકાશભાઈને પણ કરવામાં આવી છે.
વનવિભાગના સૂત્રો પાસથી પ્રાપ્ત માહિતી મુજબ આ માદા અજગરની લંબાઈ 10 થી 12 ફૂટની હોય છે અને તેને ઈન્‍ડિયન રોક પાયથન તરીકે ઓળખવામાં આવે છે તે એક સમયે 18 થી 20 ઈંડા મૂકે છે. અને આ માદા અજગરનો હેચિંગ એટલે કે સેવનના 45 જેટલા દિવસ હોય છે. આમ તેના ઈંડાના 45-દિવસ સુધીના સેવન બાદ બચ્‍ચનો જન્‍મ થતો હોય છે. વન વિભાગ દ્વારા બચ્‍ચાના જન્‍મ બાદ તેને યોગ્‍ય સલામત સ્‍થળે ખસેડવામાં આવશે.
શૈલેષભાઈ પટેલના જણાવ્‍યાનુસાર સાદકપોરમાં મારી આંબાવાડીમાં આરસીસીના પાઈપમાં ઘણા દિવસોથી અજગર એક જ જગ્‍યાએ સ્‍થિર જોવા મળતા તપાસ કરાવાતા તે ઈંડાઓનું સેવન કરતી હોવાનું જાણવા મળતા તે અંગે વન વિભાગને જાણ કરી અજગરને કોઈ ખલેલ ન પહોંચે તેની તકેદારી અમે રાખી રહ્યા છે.

Related posts

વાપીમાં નાણા મંત્રીશ્રી કનુભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં રક્તદાન શિબિર યોજાઈ

vartmanpravah

દાદરા નગર હવેલીમાં ‘વિશ્વ આદિવાસી દિવસ’ની કરાયેલી ભવ્‍ય ઉજવણી

vartmanpravah

પારડી એન.કે.દેસાઈ સાયન્‍સ એન્‍ડ કોમર્સ કોલેજનું સેમેસ્‍ટર-6 નું 90 ટકા પરિણામ જાહેર થયું

vartmanpravah

સંઘપ્રદેશે સીડીએસ-બિપીન રાવત, તેમના ધર્મપત્‍ની અને 11 આર્મી પર્સોનલના આકસ્‍મિકમોત બદલ પાઠવી શ્રદ્ધાંજલિ

vartmanpravah

સોનવાડા ના 38 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્‍યું

vartmanpravah

ગુરૂવારે દાનહ અને દમણમાં 11 – 11 જ્‍યારે દીવમાં 1 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

vartmanpravah

Leave a Comment