(વર્તમાન પ્રવાહ વાપી બ્યુરો)
વાપી, તા.16
માનવ જીવનમાં મૃત્યુ સારુ થાય તેવો મહિમા છે. વલસાડના બિલ્ડર વિરપુર દર્શન કરવા નિકળેલા હતા ત્યારે વચ્ચે આવતા ગણપતિના મંદિરે ગર્ભખંડમાં દર્શન કરી રહ્યા હતા ત્યાંજ ઢળી પડતા તેમનો ભગવાનની સામે જ મોક્ષ થયાની ઘટના પ્રકાશમાં આવી છે. વલસાડમાં લુહાર ટેકરા વિસ્તારમાં રહેતા જયંતિભાઈ પટેલ વ્યવસાયે બિલ્ડર હતા. સમાજમાં તેમનો મોભો, માન અને પ્રતિષ્ઠા હતી. તેઓ પત્ની સાથે વિરપુર દર્શન કરવા કારમાં નિકળ્યા હતા ત્યાં વિરપુર નજીક ગણપુરા ગામે ગણપતિનું મંદિર આવે છે. તેઓ વિરપુર દર્શન કરતા પહેલા જ્યારે પણ નિકળે ત્યારે આ મંદિરમાં દર્શન કરી આગળ વધતા હતા તે મુજબ ગણપતિ મંદિરના ગર્ભખંડમાં ભગવાન ગણેશના દર્શન કરી રહ્યા હતા ત્યાંજ જયંતિભાઈ ઢળી પડયા હતા અને મંદિરમાં જ તેમનો મોક્ષ થયો હતો. અત્રે યાદ રહે કે, શ્રી જયંતિભાઈ સંઘપ્રદેશ દમણના સાંસદ શ્રી લાલુભાઈ પટેલના બનેવી હતા. ઘટનાનો વિડીયો વાયરલ થતા દમણ-વલસાડ વિસ્તાર સૌ કોઈને શોક લાગ્યો હતો.