March 29, 2024
Vartman Pravah
સેલવાસ

દાનહ અને મહારાષ્‍ટ્ર સરહદ પર 2.9 રિકટર સ્‍કેલનો ભૂકંપ : સેલવાસનું નરોલી એપિસેન્‍ટર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19
દાનહ અને મહારાષ્‍ટ્ર સરહદે ફરી 2.9 રિકટર સ્‍કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો છે. સોમવારે રાત્રે 09.03 વાગ્‍યે નોંધાયેલ આંચકાનું એપી સેન્‍ટર દાદરા નગર હવેલીનું નરોલી છે. ભૂકંપના આંચકાની અસર મહારાષ્‍ટ્રના પાલઘર સહિત વલસાડ જિલ્લાના-ઉમરગામ તાલુકામાં વર્તાઈ હતી.
વલસાડ જિલ્લામાં અને મહારાષ્‍ટ્રનો સરહદી જિલ્લો પાલઘર તેમજ દાદરા નગર હવેલીમાં ચોમાસા દરમ્‍યાન જમીનમાં સળવળાટ થાય છે. છેલ્લા ત્રણેક વર્ષથી આ સરહદી વિસ્‍તારમાં અનેક નાનામોટા ભૂકંપના આંચકા નોંધાતા આવ્‍યાં છે. ત્‍યારે, સોમવારે ફરી એકવાર આ વિસ્‍તારમાં 2.9 રિકટર સ્‍કેલનો ભૂકંપનો આંચકો નોંધાયો હતો. ભૂકંપના આંચકા અંગે સિસ્‍મોલોજી વિભાગ દ્વારા જાહેર કરેલ વિગતો મુજબ સોમવારે રાત્રે 09.03 વાગ્‍યે આ આંચકો આવ્‍યો હતો. આંચકાનું કેન્‍દ્રબિંદુ વાપીથી 19 કિલોમીટર દૂર દાદરા નગર હવેલીના નરોલી ગામમાં નોંધાયું છે.
ગુજરાત-દાદરા નગર હવેલી અને મહારાષ્‍ટ્ર સરહદ પર નરોલી-પાલઘર-ઉમરગામમાં આ ભૂકંપનો અનુભવ લોકોએ કર્યો હતો. ભૂકંપ 20.270 લેટીટયુડ અને 72.926 લોંગીટયુટપર જમીનમાં 10 કિલોમીટર નીચે ઉદ્દભવ્‍યો હતો. ભૂકંપના આંચકા દરમ્‍યાન નરોલી, ભિલાડ, ઉમરગામમાં લોકોએ ધ્રુજારી સાથે બારી, બારણાં, વાસણ ખખડવાનો અનુભવ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, વરસાદી માહોલમાં આ વિસ્‍તારમાં જમીનમાં પાણી ઉતરે છે. ત્‍યારે જમીનમાં રહેલા ગરમ પાણીના ઝરાને કારણે વર્ષ 2018થી અનેક વાર આ પંથકમાં ભૂકંપના આંચકા અનુભવાતા આવ્‍યાં છે. અત્‍યાર સુધીમાં 1 થી લઈને 4 રિકટર સ્‍કેલ સુધીના આવા 2200 થી વધુ આફટર શૉક આવી ચુકયા છે.

Related posts

મોદી સરકારના દિશા-નિર્દેશ અને પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ વહીવટમાં દાનહમાં ‘રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન’ દ્વારા આપવામાં આવેલા જંગી ભંડોળથી મહિલા સમાજમાં સર્જાયેલો આનંદ અને ઉત્‍સાહનો માહોલ

vartmanpravah

સંઘપ્રદેશપ્રશાસનના 148 એલડીસી-યુડીસીની એક સામટી બદલી : કહી ગમ, કહી ખુશીનો માહોલ: લગભગ 13 જેટલા કર્મીઓની આંતર જિલ્લા બદલી

vartmanpravah

યુ.કે.માં દમણ-દીવ સહિત ભારતીય મૂળના લોકો ઉપર પાકિસ્‍તાનીઓ દ્વારા થઈ રહેલા હૂમલા વિરોધમાં ગુરૂવારે મોટી દમણ ફૂટબોલ ગ્રાઉન્‍ડથી કલેક્‍ટરાલય સુધી વિશાળ રેલીનું આયોજન

vartmanpravah

દમણમાં લોકસભા ચૂંટણી જીતવા મજબૂત બૂથનો પ્રભારી પૂર્ણેશ મોદી અને સહ પ્રભારી દુષ્‍યંત પટેલે આપેલો મંત્ર

vartmanpravah

સંઘપ્રદેશના આરોગ્‍ય વિભાગનો ફરી એકવાર રાષ્‍ટ્રીય સ્‍તરે વાગેલો ડંકો ભારત સરકાર દ્વારા આયોજીત ‘આરોગ્‍ય મંથન-2023’માં દાનહ અને દમણ-દીવને જન આરોગ્‍ય ક્ષેત્રે કરેલા ઉત્‍કૃષ્‍ટ કાર્ય બદલ બે પુરસ્‍કારોની થયેલી નવાજેશ

vartmanpravah

દાનહની શ્રીમતી દેવકીબા કોલેજના વનસ્‍પતિ વિભાગના વિદ્યાર્થીઓએ કર્યું હર્બલ હોળી રંગ ક્રોમેટિકાનું ઉત્‍પાદન

vartmanpravah

Leave a Comment