Vartman Pravah
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં એકપણ નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: લસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા.19/07/2021 ના રોજ 03 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ કરાયા છે. આજે કોવિડ-19ના નવો એકપણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જ્‍યારે જિલ્લામાં આજની તારીખે કુલ 11 કેસો એક્‍ટિવ રહેવા પામ્‍યા છે. જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 1,70,132 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 1,63,437 સેમ્‍પલ નેગેટીવ અને 6042 સેમ્‍પલપોઝીટીવ આવ્‍યા છે. વલસાડ જિલ્લામાં કરાયેલા વેકસીનેશનની વિગતો જોઇએ તો પહેલા તબક્કામાં 15,839 હેલ્‍થ વર્કરોને પ્રથમ ડોઝ અને 12907ને બીજો ડોઝ, બીજા તબક્કામાં 24900 ફ્રન્‍ટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ અને 14,404 ને બીજો ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્‍યારે ત્રીજા તબક્કામાં 45 વર્ષની ઉપરના 2,68,868 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ અને 1,58,838 વ્‍યક્‍તિઓને બીજો ડોઝ તેમજ 18 થી 44 વર્ષની વય જૂથના 1,97,576 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે.

Related posts

હેલ્‍પીંગ હેન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ, કિડની કેર મહેતા હોસ્‍પિટલ, અને લાયન્‍સ ક્‍લબ ઓફ પારડી પર્લ દ્વારા નેશનલ ડોક્‍ટર્સ ડે ની કરાયેલુ ઉજવણી

vartmanpravah

પારડી તાલુકા પંચાયતની સામાન્‍ય સભા યોજાઈઃ 2.66 કરોડના વિકાસ કામોને બહાલી અપાઈ

vartmanpravah

નવસારી સહિત ચીખલી તાલુકામાં મે મહિનો શરૂ થવા આવ્‍યો છતાં વલસાડી હાફૂસ કેરીના દર્શન હજી દુર્લભ

vartmanpravah

સરીગામની મેકલોઈડ ફાર્માસ્‍યુટિકલ કંપનીના કર્મચારી મુબિન શેખનું દુઃખદ અવસાન

vartmanpravah

ચીખલી-ખેરગામ વાડ ખાડીના બ્રિજની જર્જરિત રેલીંગના સમારકામ માટે ગાંધીનગરથી ઉચ્‍ચ અધિકારીઓની સૂચના બાદ પણ સ્‍થાનિક અધિકારીઓ ઘોર નિંદ્રામાં

vartmanpravah

વાપી તાલુકા ભાજપ ઉપપ્રમુખ શૈલેષ પટેલની હત્‍યાનો ભેદ ઉકેલાયો : પાંચ આરોપીની ધરપકડ

vartmanpravah

Leave a Comment