Vartman Pravah
ગુજરાતવલસાડ

વલસાડ જિલ્લામાં એકપણ નવો કોરોના પોઝિટિવ કેસો નોંધાયો નથી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.19: લસાડ જિલ્લા આરોગ્‍ય વિભાગ દ્વારા મળેલી વિગતો અનુસાર જિલ્લામાં તા.19/07/2021 ના રોજ 03 દર્દીઓ સાજા થતાં તેમને હોસ્‍પિટલમાંથી ડિસ્‍ચાર્જ કરાયા છે. આજે કોવિડ-19ના નવો એકપણ કોરોના પોઝીટીવ કેસ નોંધાયો નથી. જ્‍યારે જિલ્લામાં આજની તારીખે કુલ 11 કેસો એક્‍ટિવ રહેવા પામ્‍યા છે. જી.એમ.ઇ.આર.એસ., વલસાડ ખાતે આજદિન સુધી 1,70,132 સેમ્‍પલના ટેસ્‍ટ કરાયા છે, જે પૈકી 1,63,437 સેમ્‍પલ નેગેટીવ અને 6042 સેમ્‍પલપોઝીટીવ આવ્‍યા છે. વલસાડ જિલ્લામાં કરાયેલા વેકસીનેશનની વિગતો જોઇએ તો પહેલા તબક્કામાં 15,839 હેલ્‍થ વર્કરોને પ્રથમ ડોઝ અને 12907ને બીજો ડોઝ, બીજા તબક્કામાં 24900 ફ્રન્‍ટલાઇન વર્કરોને પ્રથમ ડોઝ અને 14,404 ને બીજો ડોઝ આપવામાં આવ્‍યો છે. જ્‍યારે ત્રીજા તબક્કામાં 45 વર્ષની ઉપરના 2,68,868 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ અને 1,58,838 વ્‍યક્‍તિઓને બીજો ડોઝ તેમજ 18 થી 44 વર્ષની વય જૂથના 1,97,576 વ્‍યક્‍તિઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્‍યો છે.

Related posts

શ્રી સ્‍વામિનારાયણ સેકન્‍ડરી એન્‍ડ હાયર સેકન્‍ડરી સ્‍કૂલ સલવાવના વિદ્યાર્થીઓની ધો.૧૦ બોર્ડમાં ઝળહળતી સિધ્ધિ

vartmanpravah

દેહરી સ્‍થિત કાર્યરત ચંદન સ્‍ટીલ કંપનીના વિસ્‍તરણ પ્રોજેક્‍ટ માટે યોજાયેલી પર્યાવરણીય લોક સુનાવણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ‘રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૨’ની ઉજવણી અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી મનીષ ગુરવાનીના અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ

vartmanpravah

કેવડિયા કોલોનીના નાયબ કલેકટર નિલેશ દુબેએ આદિવાસી સમાજ વિશે જે અપશબ્‍દો બોલી ટીપ્‍પણી કરવામાં આવતા  ભીલ ફેડરેશન ઓફ ઈન્‍ડિયાના વલસાડ જિલ્લાના ઉપ પ્રમુખ સુમનભાઈ માહ્યાવંશીના નેતૃત્‍વમાં વલસાડ જીલ્લા કલેક્‍ટરશ્રીની આવેદનપત્ર અપાયું

vartmanpravah

ઈતિહાસના ઉત્તમ અને સચોટ મૂલ્‍યાંકન માટે આપણે વિશ્વસ્‍તરીય માપદંડોના હિસાબે નવી ટેકનીકનો ઉપયોગ કરવો જોઈએઃકેન્‍દ્રીય મંત્રી શ્રીમતી મીનાક્ષી લેખી

vartmanpravah

પારડીમાં વલસાડ જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કાર્યકર સંમેલનનું થયેલું આયોજન

vartmanpravah

Leave a Comment