September 1, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના તણસાણિયા ગામના 6 યુવાનોને કંપનીમાં માર મારવામાં આવતા મામલો ગરમાયો

ભગોદમાં આવેલી સોલાન્‍સ ક્રિએટરમાં કોન્‍ટ્રાક્‍ટરે કામદારોને માર માર્યાનો આક્ષેપ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: કપરાડા તાલુકાના ભગોદમાં કાર્યરત સોલાન્‍સ ક્રિએટર કંપનીમાં છ કામદારોએ અન્‍ય ખાતામાં કામગીરી કરતા કંપનીના કોન્‍ટ્રાક્‍ટરે કામદારોને માર માર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી.
કપરાડાના ભગોદમાં કાર્યરત સોલાન્‍સ ક્રિએટર કંપનીમાં તણસાણીયા ગામના 6 યુવકો કંપનીમાં કામ કરવા ગયા હતા ત્‍યારે દત્તા નામના કોન્‍ટ્રાક્‍ટરે બીજા વિભાગમાં કેમ કામ કરો છો તેવા મુદ્દા ઉપર છ કામદારોને માર મારવામાં આવ્‍યો હતો. મૂળ વાત હતી બીજા ખાતામાં મહેનતાણું વધારે મળ્‍યું હોવાથી કામદારો ત્‍યાં કામ કરવા ઈચ્‍છતા હતા. ઘટના બાદ આદિવાસીઓ ઉપર અત્‍યાચાર કરવા જેવી ગંભીર બાબત બહાર આવી હતી. ઘટના અંગે મામાભાચા ગામના સરપંચ, નડગધરીના સરપંચ, બોપીના માજી સરપંચ નવસુભાઈ વિગેરેએ કોન્‍ટ્રાક્‍ટર વિરૂધ્‍ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

Related posts

શિક્ષક દિવસના ઉપલક્ષમાં ગુજરાત ટેક્‍નોલોજીકલ યુનિવર્સિટી દ્વારા દમણની સરકારી પોલિટેકનિકના વિભાગાધ્‍યક્ષ ડૉ. રાકેશકુમાર ભૂજાડેની ટેક-ગુરૂના એવોર્ડથી કરાયેલું સન્‍માન

vartmanpravah

ઈચ્‍છાપૂર્તિ કરનારા મંત્રો છે પણ ઈચ્‍છા પૂર્તિ ને ઈચ્‍છા મુક્‍તિ તો મહામંત્ર નવકાર કરે : યશોવર્મસૂરિજી

vartmanpravah

સીબીએસઈની ધોરણ 10ની પરીક્ષામાં પરિણામ નબળુ આવતાં દાનહની બે ખાનગી શાળાના વિદ્યાર્થીઓએ તણાવમાં આવી કરેલી આત્‍મહત્‍યા

vartmanpravah

વાપી કરવડ ગામે ભંગારના ગોડાઉનમાં ભિષણ આગ લાગી : ભંગાર ગોડાઉનોમાં આગ લાગવાનો સિલસિલો યથાવત

vartmanpravah

ધરમપુરમાં હજારો આદિવાસીઓએ જિ.પં. તથા તા.પં.ના સભ્‍યોની મૈયત સાથે પ્રતિક ઠાઠડી કાઢી

vartmanpravah

વલસાડ જિલ્લાના સરકારી શિક્ષકો-આચાર્યો માટે ધરમપુરમાં ‘‘સમર્થ શિક્ષણ સંમેલન” યોજાયું

vartmanpravah

Leave a Comment