September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના તણસાણિયા ગામના 6 યુવાનોને કંપનીમાં માર મારવામાં આવતા મામલો ગરમાયો

ભગોદમાં આવેલી સોલાન્‍સ ક્રિએટરમાં કોન્‍ટ્રાક્‍ટરે કામદારોને માર માર્યાનો આક્ષેપ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: કપરાડા તાલુકાના ભગોદમાં કાર્યરત સોલાન્‍સ ક્રિએટર કંપનીમાં છ કામદારોએ અન્‍ય ખાતામાં કામગીરી કરતા કંપનીના કોન્‍ટ્રાક્‍ટરે કામદારોને માર માર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી.
કપરાડાના ભગોદમાં કાર્યરત સોલાન્‍સ ક્રિએટર કંપનીમાં તણસાણીયા ગામના 6 યુવકો કંપનીમાં કામ કરવા ગયા હતા ત્‍યારે દત્તા નામના કોન્‍ટ્રાક્‍ટરે બીજા વિભાગમાં કેમ કામ કરો છો તેવા મુદ્દા ઉપર છ કામદારોને માર મારવામાં આવ્‍યો હતો. મૂળ વાત હતી બીજા ખાતામાં મહેનતાણું વધારે મળ્‍યું હોવાથી કામદારો ત્‍યાં કામ કરવા ઈચ્‍છતા હતા. ઘટના બાદ આદિવાસીઓ ઉપર અત્‍યાચાર કરવા જેવી ગંભીર બાબત બહાર આવી હતી. ઘટના અંગે મામાભાચા ગામના સરપંચ, નડગધરીના સરપંચ, બોપીના માજી સરપંચ નવસુભાઈ વિગેરેએ કોન્‍ટ્રાક્‍ટર વિરૂધ્‍ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

Related posts

પારડીની એન.કે.દેસાઈ કોલેજમાં રાખડીનું પ્રદર્શન યોજાયું

vartmanpravah

પારડીના રેંટલાવ ખાતે ભરબપોરે આશરે બે લાખ રૂપિયાની ચોરી: અજાણ્‍યા બે ઈસમો સીસી ટીવી કેમેરામાં કેદ

vartmanpravah

એક તરફી પ્રેમ પ્રકરણમાં: દહાડમાં સરેઆમ રોડ ઉપર યુવતિની હત્‍યાથી ચકચાર

vartmanpravah

ભાજપા યુવા મોરચા એક્ઝિક્યુટિવ સભ્‍ય સિદ્ધાર્થ શુક્‍લાએ દાનહના વિવિધ પ્રશ્નો અંગે આરડીસીને કરેલી રજૂઆત

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના પ્રાધ્‍યાપક ભરત દીક્ષિત પીએચડી થયા

vartmanpravah

ગુજરાત સ્‍થાપના દિને ધરમપુરની પ્રજાને ભેટઃ પાંચ નવી નક્કોર એસ.ટી. બસોનું લોકાર્પણ

vartmanpravah

Leave a Comment