April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના તણસાણિયા ગામના 6 યુવાનોને કંપનીમાં માર મારવામાં આવતા મામલો ગરમાયો

ભગોદમાં આવેલી સોલાન્‍સ ક્રિએટરમાં કોન્‍ટ્રાક્‍ટરે કામદારોને માર માર્યાનો આક્ષેપ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: કપરાડા તાલુકાના ભગોદમાં કાર્યરત સોલાન્‍સ ક્રિએટર કંપનીમાં છ કામદારોએ અન્‍ય ખાતામાં કામગીરી કરતા કંપનીના કોન્‍ટ્રાક્‍ટરે કામદારોને માર માર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી.
કપરાડાના ભગોદમાં કાર્યરત સોલાન્‍સ ક્રિએટર કંપનીમાં તણસાણીયા ગામના 6 યુવકો કંપનીમાં કામ કરવા ગયા હતા ત્‍યારે દત્તા નામના કોન્‍ટ્રાક્‍ટરે બીજા વિભાગમાં કેમ કામ કરો છો તેવા મુદ્દા ઉપર છ કામદારોને માર મારવામાં આવ્‍યો હતો. મૂળ વાત હતી બીજા ખાતામાં મહેનતાણું વધારે મળ્‍યું હોવાથી કામદારો ત્‍યાં કામ કરવા ઈચ્‍છતા હતા. ઘટના બાદ આદિવાસીઓ ઉપર અત્‍યાચાર કરવા જેવી ગંભીર બાબત બહાર આવી હતી. ઘટના અંગે મામાભાચા ગામના સરપંચ, નડગધરીના સરપંચ, બોપીના માજી સરપંચ નવસુભાઈ વિગેરેએ કોન્‍ટ્રાક્‍ટર વિરૂધ્‍ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

Related posts

તા.10 થી 17 ફેબ્રુઆરી દરમિયાન કૃમિનાશક સપ્‍તાહની ઉજવણી કરવામાં આવશે

vartmanpravah

દાનહઃ દૂધની મેઢા ઘાટ ઉપર કારચાલકે સ્‍ટીયરીંગ ઉપરથી સંતુલન ગુમાવતાં સર્જાયો ગોઝારો અકસ્‍માત

vartmanpravah

વાપી છીરીમાં વધુ એક ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી : દોડધામ મચી

vartmanpravah

વલસાડ જિલ્લા પોલીસ દ્વારા ચુસ્‍ત બંદોબસ્‍ત અને એલર્ટના કારણે જિલ્લામાં નવરાત્રી મહોત્‍સવ શાંતિપૂર્વક પૂર્ણ થયો

vartmanpravah

દાનહના અંતરિયાળ ગામડાંઓના લોકો પાણી માટે નદી, ખનકી, ટેન્‍કરના ભરોસે

vartmanpravah

વાપીની મુસ્‍કા ટીમ દ્વારા ટીબીના 184 દર્દીઓને સાજા કરાયા

vartmanpravah

Leave a Comment