Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

કપરાડાના તણસાણિયા ગામના 6 યુવાનોને કંપનીમાં માર મારવામાં આવતા મામલો ગરમાયો

ભગોદમાં આવેલી સોલાન્‍સ ક્રિએટરમાં કોન્‍ટ્રાક્‍ટરે કામદારોને માર માર્યાનો આક્ષેપ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.18: કપરાડા તાલુકાના ભગોદમાં કાર્યરત સોલાન્‍સ ક્રિએટર કંપનીમાં છ કામદારોએ અન્‍ય ખાતામાં કામગીરી કરતા કંપનીના કોન્‍ટ્રાક્‍ટરે કામદારોને માર માર્યો હોવાનો મામલો પ્રકાશમાં આવતા ચકચાર મચી ગઈ હતી.
કપરાડાના ભગોદમાં કાર્યરત સોલાન્‍સ ક્રિએટર કંપનીમાં તણસાણીયા ગામના 6 યુવકો કંપનીમાં કામ કરવા ગયા હતા ત્‍યારે દત્તા નામના કોન્‍ટ્રાક્‍ટરે બીજા વિભાગમાં કેમ કામ કરો છો તેવા મુદ્દા ઉપર છ કામદારોને માર મારવામાં આવ્‍યો હતો. મૂળ વાત હતી બીજા ખાતામાં મહેનતાણું વધારે મળ્‍યું હોવાથી કામદારો ત્‍યાં કામ કરવા ઈચ્‍છતા હતા. ઘટના બાદ આદિવાસીઓ ઉપર અત્‍યાચાર કરવા જેવી ગંભીર બાબત બહાર આવી હતી. ઘટના અંગે મામાભાચા ગામના સરપંચ, નડગધરીના સરપંચ, બોપીના માજી સરપંચ નવસુભાઈ વિગેરેએ કોન્‍ટ્રાક્‍ટર વિરૂધ્‍ધ કાર્યવાહી કરવાની માંગણી કરી હતી.

Related posts

દક્ષિણ ક્ષેત્રીય પરિષદની બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહની ઉપસ્‍થિતિમાં લક્ષદ્વીપના મહત્‍વપૂર્ણ વિષયો ઉપર કરાયેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

વલસાડ તાલુકાના આંગણવાડી કેન્‍દ્રોમાં કુપોષિત બાળકોને ખજૂર, ફળ અને ચિક્કીનું વિતરણ કરાયું

vartmanpravah

વલસાડ હાઈવે ઉપર એલ.સી.બી.એ ફિલ્‍મી ઢબે કારનો પીછો કરી 250 કિ.ગ્રા. ગાંજાનો જથ્‍તો પકડયો

vartmanpravah

આદિજાતિ વિકાસ મંત્રીશ્રી નરેશભાઈ પટેલની ઉપસ્થિતિમાં જિલ્લા કક્ષાના 76માં સ્વાતંત્ર્ય પર્વની ધરમપુરમાં શાનદાર ઉજવણી

vartmanpravah

દાદરા નગર હવેલીમાં આર.આર.કેબલ કંપનીમાં આઈ.ટી. વિભાગે હાથ ધરેલું સર્ચ ઓપરેશન

vartmanpravah

વાપી ક્રિષ્‍ણા વિહાર બિલ્‍ડીંગના પાછળના ગેટ પાસે નૂતનનગર મેઈન રોડ ઉપર આફતનો ખાડો

vartmanpravah

Leave a Comment