October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદેશવલસાડવાપી

સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનાર યોજાયો

નેટવર્ક ટેકલેબ ઈન્‍ડિયા પ્રા.લિ. દ્વારા પાવર ફેક્‍ટર અને વીજળીના બચત ઉપર પાવર પોઈન્‍ટ પ્રેઝેન્‍ટેશન દ્વારા ઉપસ્‍થિત ઉદ્યોગકારોને વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.08: ગત તા.07-09-2022ના રોજ વાપી સેન્‍ટર ઓફ એક્‍સલન્‍સ ખાતે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપી દ્વારા ટેકનિકલ સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. જેમાં નેટવર્ક ટેકલેબ ઈન્‍ડિયા પ્રા.લિ. દ્વારા પાવર ફેક્‍ટર અને વિજળીના બચત ઉપર પાવર પોઈન્‍ટ પ્રેઝન્‍ટેશન દ્વારા ઉપસ્‍થિત ઉદ્યોગકારોને વિસ્‍તૃત જાણકારી આપવામાં આવી હતી. આ સેમિનારમાં નેટવર્ક ટેકલેબ ઈન્‍ડિયા પ્રા.લિ.ના ગિરીશભાઈ દલવી, વિકાસભાઈ શૈલી, રાજેન્‍દ્રભાઈ ગવાડ, ચંદ્રકિશોર શર્મા, નિરજભાઈ શાહ, દેવેનભાઈ ગડા ઉપસ્‍થિત રહી ઉદ્યોગકારો સાથે ઉર્જા બચત ઉપર ખૂબ જ સુંદર વિસ્‍તૃત જાણકારી આપી હતી.
આ પ્રસંગે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફવાપીના પ્રમુખ પાર્થિવ મહેતાએ સર્વેનું સ્‍વાગત પ્રવચન કર્યું હતું. અને આગામી રવિવાર તા.11મી સપ્‍ટેમ્‍બરના રોજ બ્‍લડ ડોનેશન કેમ્‍પમાં મોટી સંખ્‍યામાં હાજર રહી બ્‍લડ ડોનેટ કરવા માટે સર્વેને ઉપસ્‍થિત રહેવા માટે આમંત્રણ આપ્‍યું હતું. સેક્રેટરી કમલેશ લાડે એન્‍જિનિયર્સ એસોસિએશન ઓફ વાપીની વિવિધ પ્રવૃત્તિ વિશે માહિતી આપી હતી.
અઆપ્રસંગે ઈએવીના આઈપી જયેશ ઘટાલિયા, ખજાનચી કલ્‍પેશ બથીયા, પૂર્વ પ્રમુખો, ટ્રસ્‍ટીઓ, સભ્‍યો અને આમંત્રિત ઉદ્યોગપતિઓ મોટી સંખ્‍યામાં ઉપસ્‍થિત રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન સહખજાનચી સંતોષ કુમારે કર્યું હતું અને આભારવિધી ઉપપ્રમુખ અંબાલાલ બાબરીયાએ કરી હતી.

Related posts

ઉમરગામ ઈન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનની ચૂંટણીમાં યુવા ઈન્‍ડસ્‍ટ્રીયલ ટીમનો ભવ્‍ય વિજય

vartmanpravah

દમણ કલેક્‍ટરાલયમાં આધાર કાર્ડ સાથે ચૂંટણી કાર્ડ લિંક કરવા બાબતે યોજાયેલી પત્રકાર પરિષદ

vartmanpravah

આગામી ચોમાસાની ઋતુને ધ્‍યાનમાં રાખી સેલવાસ નગરપાલિકાએ હાથ ધરેલી પ્રિમોન્‍સૂન કામગીરી

vartmanpravah

વલસાડથી ધરમપુર જતી ઈકો કારમાંથી બિલ વગર અનાજનો જથ્‍થો રૂરલ પોલીસે ઝડપ્‍યો

vartmanpravah

ચીખલીનાતલાવચોરા ગામે પરિણિતાએ ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મોત

vartmanpravah

ખેરગામમાં 76 માં સ્‍વાતંત્ર દિવસની અનોખી ઉજવણી : 75 વડીલોની વંદના કરી : વર્ષગાંઠ નિમિત્તે અમૃત સરોવરની પાળે વૃક્ષારોપણના શપથ લેવડાવાયાં

vartmanpravah

Leave a Comment