August 2, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણસેલવાસ

સંઘપ્રદેશોની વિવિધ પંચાયતોમાં વડ, પીપળો અને ઉંબરાના છોડોનું કરાયેલું વાવેતર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વન વિભાગ દ્વારા પ્રદેશમાં વિવિધ પંચાયતોમાં એક અઠવાડિયા દરમ્‍યાન વડ, પીપળો અને ઉંબરાના છોડોનું વાવેતર કરવાની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પંચાયત સભ્‍યો, સરપંચો, ગ્રામજનો સહીત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાનહના ખાનવેલ, સુરંગી, આંબોલી અને પંચાતયતો તથા દમણમાં દમણવાડા સહિતની પંચાયતોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. એક સમય એવો હતો જ્‍યારે સેલવાસ અને આજુબાજુના વિસ્‍તારમાં વડ, પીપળા અને ઉંબરાના ઝાડો મોટી સંખ્‍યામાં જોવા મળતા હતા. પ્રદેશમાં વિકાસની લ્‍હાયમાં આ બધા વડ અને પીપળાનાઝાડોનું નિકંદન નીકળી ગયું છે. હાલમાં એની સંખ્‍યા ગણીગાંઠી જ રહી જવા પામી છે.

Related posts

ઉમરગામ તાલુકાના સંજાણ અને દહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને NQAS પ્રમાણપત્ર મળ્યું

vartmanpravah

સુશાસન સપ્તાહ અંતર્ગત : દમણ જિલ્લા પ્રશાસન દ્વારા ભીમપોર ગ્રામ પંચાયતમાં ‘પ્રશાસન ગામ તરફ’ શિબિર યોજાઈ

vartmanpravah

દમણ-દીવ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ઘોષિત થયેલા લાલુભાઈ પટેલને ઠેર-ઠેરથી મળી રહેલા અભિનંદન અને જયઘોષ

vartmanpravah

વલસાડ જિલ્લામાં ઉત્તરાયણ પર્વ નિમિત્તે સુરક્ષાલક્ષી ગાઈડલાઈન બહાર પાડવામાં આવી

vartmanpravah

ચીખલાની વિહંગમ હાઈસ્‍કૂલના મદદનીશ શિક્ષક મુકેશભાઈ પટેલને અપાયું ભવ્‍ય નિવૃત્તિ વિદાયમાન

vartmanpravah

જિલ્લા પ્રશાસન દ્વારા દીવમાં જલંધર બીચ પરના મંદિર અને દરગાહને તોડી પડાયા

vartmanpravah

Leave a Comment