April 17, 2026
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણસેલવાસ

સંઘપ્રદેશોની વિવિધ પંચાયતોમાં વડ, પીપળો અને ઉંબરાના છોડોનું કરાયેલું વાવેતર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : પ્રશાસકશ્રી પ્રફુલભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં વન વિભાગ દ્વારા પ્રદેશમાં વિવિધ પંચાયતોમાં એક અઠવાડિયા દરમ્‍યાન વડ, પીપળો અને ઉંબરાના છોડોનું વાવેતર કરવાની ખાસ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં જિલ્લા પંચાયત સભ્‍યો, સરપંચો, ગ્રામજનો સહીત વન વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ અને શાળા-કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા દાનહના ખાનવેલ, સુરંગી, આંબોલી અને પંચાતયતો તથા દમણમાં દમણવાડા સહિતની પંચાયતોમાં વૃક્ષારોપણ કરવામાં આવ્‍યું હતું. એક સમય એવો હતો જ્‍યારે સેલવાસ અને આજુબાજુના વિસ્‍તારમાં વડ, પીપળા અને ઉંબરાના ઝાડો મોટી સંખ્‍યામાં જોવા મળતા હતા. પ્રદેશમાં વિકાસની લ્‍હાયમાં આ બધા વડ અને પીપળાનાઝાડોનું નિકંદન નીકળી ગયું છે. હાલમાં એની સંખ્‍યા ગણીગાંઠી જ રહી જવા પામી છે.

Related posts

ધરમપુર ખાતે ડ્રાઈવરો મોટી સંખ્‍યામાં ભેગા થઈ કાળો કાયદાનો વિરોધ કરી રાષ્‍ટ્રપતિને રજૂઆત કરાઈ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના દિશાનિર્દેશ અને માર્ગદર્શન હેઠળ મુંબઈની સુપ્રસિદ્ધ કોકિલાબેન હોસ્‍પિટલમાં શ્રી વિનોબા ભાવે અને દમણની નર્સિંગ કોલેજના 100 ટકા વિદ્યાર્થીઓને મળેલું પ્‍લેસમેન્‍ટ

vartmanpravah

ઉમરગામમાં તાલુકા કક્ષાનો 74મો વન મહોત્‍સવ યોજાયો

vartmanpravah

તા.30મીએ સંચારી રોગ અટકાયત સમિતિની બેઠક મળશે

vartmanpravah

સાંભળો સાંસદ મહોદય… ..એટલે જિલ્લા પંચાયત અને સરપંચોએ પ્રધાનમંત્રી અને પ્રશાસકશ્રીનો આભાર માનતો પ્રસ્‍તાવ રજૂ કર્યો

vartmanpravah

નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખપદે શૈલેષભાઈ પટેલની નિયુક્‍તિઃ કાર્યકરોમાં ખુશીની લહેર 

vartmanpravah

Leave a Comment