(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.19: દાનહમાં નવા 04 કોરોના પોઝિટિવ કેસો નોંધાયા છે. પ્રદેશમા હાલમા 16 સક્રિય કેસ છે. અત્યાર સુધીમા 5852 કેસ રીકવર થઇ ચૂકયા છે. અત્યાર સુધીમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે.
પ્રદેશમાં આરટીપીસીઆરના 78 નમૂનાઓ લેવામા આવ્યા હતા. જેમાથી 04 વ્યક્તિનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતો અને રેપિડ એન્ટિજન 115 નમૂના લેવામા આવેલ જેમાથી એકપણ કોરોના પોઝિટિવ કેસ નોંધાવા પામ્યો ન હતો તેથી આજરોજ 04 રિપોર્ટ પોઝિટિવ કેસ નોંધાયા છે. આજરોજ 04 દર્દી રીકવર થતા રજા આપવામા આવી છે.
Previous post