April 17, 2026
Vartman Pravah
ગુજરાતવાપી

મધુબન ડેમમાં પાણી આવક વધતા સાત દરવાજા ખોલી નંખાયા : 75 હજાર ક્‍યુસેક પાણી છોડાયું

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.19
છેલ્લા બે દિવસથી વલસાડ જિલ્લામાં બારેમેઘ વરસી રહ્યો છે તેમજ ઉપરવાસમાં પડી રહેલા અતિશય વરસાદને લઈ મધુબન ડેમમાં 95000 ક્‍યુસેક પાણીની આવક થતા આજે ડેમના સાત દરવાજા ખોલીને 75 હજાર કયુસેક પાણી છોડવામાં આવ્‍યું હતું. પરિણામે દમણગંગા કાંઠાના ગામો એલર્ટ કરવામાં આવ્‍યા હતા.
બે દિવસથી મેઘરાજાની ધુંવાધાર બેટીંગને લઈ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. ક્‍યાંક પૂર જેવી સ્‍થિતિ પણ સર્જાઈ રહી છે. મધુબન ડેમમાં ઉપરવાસના વરસાદને લઈ પાણીની આવકમાં વધારો થતા દમણગંગા નદી બે કાંઠે છલકાઈ રહી હતી.
વધુ પાણી નદીમાં આવતા વાપીનો કોઝવે અતિશય ઓવરફલો થઈ પાણી વધુ વહેતા કોઝવે ઉપર પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હજ પણ હવામાન ખાતાની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ વલસાડ જિલ્લામાં વધુ વરસાદ પડશે.

Related posts

વલસાડ જિલ્લા ચૂંટણી અધિકારી આયુષ ઓકની રાજકીય પક્ષો સાથે બેઠક મળીઃ ચૂંટણી ખર્ચના હિસાબોથી વાકેફ કરાયા

vartmanpravah

ભાજપ ઓબીસી મોર્ચાના સ્‍ટેટ પ્રેસિડેન્‍ટ બનતાં દમણ-દીવના રાજકીય સામાજિક અને ધાર્મિક આગેવાન હરિશભાઈ પટેલનું વિશ્વ વિખ્‍યાત કથાકાર મેહુલભાઈ જાનીએ કરેલું અભિવાદન

vartmanpravah

થર્ટીફસ્‍ટે દમણથી મદિરા પાન કરી ગુજરાતમાં પ્રવેશ્‍યા તો સીધા પોલીસ હવાલાતમાં

vartmanpravah

દાનહ મહિલા કોંગ્રેસના અધ્‍યક્ષ તરીકે માધુરીબેન માહલાની નિયુક્‍તિઃ કોંગ્રેસ અધ્‍યક્ષ મહેશ શર્મા સહિત આગેવાનોએ આપેલા અભિનંદન

vartmanpravah

વાપી-વલસાડમાં જિલ્લા ભાજપ દ્વારા પ્રબુધ્‍ધ નાગરિક વેપારી, ઉદ્યોગપતિઓનું સંમેલન યોજાયું

vartmanpravah

પારડીના ધારાસભ્‍ય અને કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ અમૃત કળશ યાત્રા લઈ પારડી ખાતે પધાર્યા

vartmanpravah

Leave a Comment