June 30, 2025
Vartman Pravah
ગુજરાતવલસાડ

વલસાડ તિથલ બીચ સહેલાણીઓ માટે ખુલ્લો મુકાયો: શનિ-રવિવારે બીચ બંધ રાખવામાં આવશે : સહેલાણીઓનું આગમન શરૂ

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)

વાપી, તા.20

વલસાડ જિલ્લામાં કોરોના સંક્રમણને લઈ તમામ જાહેર પર્યટન સ્‍થળો છેલ્લા ચાર મહિનાથી બંધ રાખવામાં આવ્‍યા હતા. પરંતુ સંક્રમણ નામશેષ થતાં આજથી વલસાડ તિથલ બીચ વહીવટીતંત્ર દ્વારા ખુલ્લો  રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે.

દક્ષિણ ગુજરાતમાં તિથલબીચનું પર્યટકોમાં ભારે આકર્ષણ જોવા મળે છે. આ બીચ ઉપર નિરંત હજારો પર્યટકો સહેલગાહે આવે છે પરંતુ સંક્રમણને લઈ તિથલ  બીચ બંધ રાખવામાં આવ્‍યો હતો. સ્‍થાનિક વેપારીઓ અને કિનારા ઉપર ચાલતા લારી ગલ્લાવાળા તેમજ તિથલ પંચાયત તરફથી માંગણી કરવામાં આવતા વહીવટીતંત્રએ આજથી તિથલ બીચ ખુલ્લો રાખવાનો નિર્ણય કર્યો છે. જિલ્લાના અન્‍ય પ્રવાસન સ્‍થળો પણ હવે ક્રમશઃ ખુલ્લા રાખવામાં આવી રહ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, તિથલ બીચ સપ્તાહમાં પાંચ દિવસ જ ખુલ્લો રહેશે, શનિ અને રવિવારે બંધ રહેશે તેવું જાહેર કરવામાં આવ્‍યું છે. આજે પણ બીચ ઉપર પ્રવાસીઓ ઉમટી પડયા હતા તેમજ દરિયાના મોજા 10થી 1પ ફૂટ ઊંચા લહેરાતા જોવા મળ્‍યા હતા.

Related posts

દમણમાં કરાયું નુમા ઈન્‍ડિયા કરાટે કલર બેલ્‍ટની પરીક્ષાનું સફળ આયોજન

vartmanpravah

શ્રી રામ શોભાયાત્રા સમિતિ દમણ દ્વારા મોટી દમણના મગરવાડાના દૂધીમાતા મંદિરના પટાંગણમાં વિરાટ સામૂહિક હનુમાન ચાલીસા પઠનનો કાર્યક્રમ યોજાયો

vartmanpravah

વલસાડ લોકસભા બેઠક ભાજપના ઉમેદવાર ધવલ પટેલનું વલસાડ જિલ્લા મધ્‍યસ્‍થ ચૂંટણી કાર્યાલયમાં ભવ્‍ય સ્‍વાગત કરાયું

vartmanpravah

ધરમપુર ખાડા ગામે ખેતરમાંથી પાણીનું એન્‍જિન ચોરી જનાર ત્રણ ઝડપાયા

vartmanpravah

વલસાડ જિલ્લામાં કોરોનાની રોકેટ ગતિની રફતાર મંગળવારે 310 નવા કેસ : 1076 સક્રિય:  ત્રણ દિવસથી એવરેજ 300 કેસ નોંધાઈ રહ્યા છે142 દર્દી સાજા થયા

vartmanpravah

એન.આર.અગ્રવાલની પુણ્‍યતિથિ નિમિત્તે રક્‍તદાન શિબિરનું કરવામાં આવેલું આયોજન

vartmanpravah

Leave a Comment