October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

ચોમાસામાં અવાર નવાર ડૂબાઉ કોઝ-વેથી સંર્પક વિહોણા થતાં ચીખલીના સતાડી ગામના પીપળા ફળિયાના લોકોની નવો પુલ બનાવવા ઉઠેલી માંગ

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
ચીખલી, (વંકાલ), તા.04: ચીખલી તાલુકાના સતાડીયા ગામના પીપળા ફળિયાથી અંદાજે 400-થી વધુની વસ્‍તી છે. આ ફળિયાને તાલુકા-જિલવા મથકે જવા માટે એક તરફ ખરેરા નદી અને બીજી તરફ વાંકી નદીના કોઝ-વે પરથી પસાર થઈને જવું પડે છે. ચોમાસામાં સ્‍થાનિક વિસ્‍તાર અને ઉપરવાસમાં નોંધપાત્ર વરસાદ હોય તેવામાં છાશવારે ખરેરા અને વાંકી નદીના ડૂબાઉ કોઝ-વે પુરના પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે. જેને લઈને આ પીપળા ફળીયાના લોકો ચોમાસામાં અવાર નવાર તાલુકા-જિલ્લા મથકેથી સંપર્ક વિહોણા થતા હોય છે. શાળા-કોલેજના વિદ્યાર્થીઓ, ડેરીમાં દૂધ ભરવા માટે જતા પશુ પાલકો, નોકરિયાતો સહિતના અનેક લોકોની મુશ્‍કેલીનો પાર રહેતો નથી. અને તેમાં કોઈ આકસ્‍મિક બીમારીમાં સપડાય તો સમયસર સારવાર પણ આપી શકાતીનથી.
સતાડીયાના પીપળા ફળીયાના લોકોને બહાર જવા માટેના બે માર્ગો છે. પરંતુ આ બંને માર્ગો પર ખરેરા અને વાંકી નદીના ડૂબાઉ કોઝ-વે પરનો વહેતા પાણીના ધસમસતા પ્રવાહમાંથી પસાર થતા હોય છે. અને કોઝ-વે પર રેલિંગનો અભાવ હોવાથી લોકોની સલામતીની પણ કોઇ વ્‍યવસ્‍થા જોવા મળતી નથી.
ઉપરોક્‍ત સ્‍થિતિમાં પીપળા ફળીયાના લોકો તથા આગેવાનો દ્વારા નવા ચૂંટાયેલા સાંસદ ધવલભાઈ સમક્ષ નવા પૂરતી ઊંચાઈવાળા પુલના નિર્માણની માંગ કરવામાં આવી છે. જોકે વલસાડ લોકસભા મતવિસ્‍તારમાં તાલુકાના સારવણી ગામના નદી ફળીયા, ફડવેલના આંબાબારી ફળીયા અને દોણજાના નાની ખાડી ફળીયાના લોકોની પણ આવી જ સ્‍થિતિ છે. ત્‍યારે આઝાદીના હજુ કેટલા વર્ષો બાદ આ લોકોની સમસ્‍યા દૂર થશે તે જોવું રહ્યું.
સ્‍થાનિક તાલુકા પંચાયત સભ્‍ય મહેશભાઈના જણાવ્‍યાનુસાર અમારા વિસ્‍તારના સતાડીયા ગામના પીપળા ફળીયાના લોકોના ખરેરા અને વાંકી નદીના ડૂબાઉ પુલના કારણે ચોમાસામા વારંવાર સંપર્ક કપાતો હોય છે. ત્‍યારે આ લોકોની સમસ્‍યાના કાયમી નિકાલ માટે નવા પુલના નિર્માણ માટે અમોએ સાંસદ ધવલભાઈને મૌખિક અને લેખિત રજૂઆત પણ કરી છે.

Related posts

સેલવાસ ન.પા.ના કાઉન્‍સિલર સુમનભાઈ પટેલે રજૂ કરેલી વ્‍યથા દાનહના વિવિધ સરકારી ઓફિસોમાં કોન્‍ટ્રાક્‍ટ ઉપર કામ કરતા ડેઇલી વેજીસ કર્મઓને સમયસર નહીં મળતો પગારઃ કલેક્‍ટરને દરમિયાનગીરી માટે રજૂઆત

vartmanpravah

વાપી કેબીએસ કોલેજના અધ્‍યાપક પીએચ. ડી. થયા

vartmanpravah

પારડીમાં કલા-સંગીતના સથવારે નવરંગ ટેલેન્‍ટ ફેસ્‍ટીવલમાં ‘‘એક ભારત, શ્રેષ્ઠ ભારત” ના દર્શન થયા

vartmanpravah

વલસાડ વાઘલધરા હાઈવે ઉપર થયેલ ટેન્‍કર અગ્નિકાંડમાં ફરિયાદ નોંધાઈ : ટેન્‍કર માલિકની શોધ શરૂ

vartmanpravah

સંઘપ્રદેશમાં હવે ગ્રામ પંચાયત વિસ્‍તારમાં થતા અનઅધિકૃત અને ગેરકાયદે બાંધકામો માટે સરપંચ જવાબદાર બનશે

vartmanpravah

દમણવાડા પંચાયત દ્વારા વિશ્વવિભૂતિ ભારત રત્‍ન ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્‍મ જયંતિ ઉજવાશે

vartmanpravah

Leave a Comment