Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત સેલવાસ ખાતેની દિવ્‍યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્‍યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં પોષણ અને આરોગ્‍ય શિક્ષણ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સેમિનારનો પ્રારંભ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્‍વાગત ગીતની પ્રસ્‍તૂતિથી કરવામાંઆવ્‍યો હતો.
આ અવસરે ઇન્‍ડિયન કાઉન્‍સિલ ફોર ચાઈલ્‍ડ વેલફેરના સેક્રેટરી શ્રી એમ.વી.પરમારે પૌષક તત્ત્વ અંગે બાળકોને વિસ્‍તૃત જાણકારી આપી હતી. તેમણે બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે યોગ્‍ય પૌષ્‍ટિક ખોરાક અને સસ્‍તા સરળ પૌષક આહાર વિશે તેમજ ડાયટ કેર અને ઈયરલી ડિટેક્‍શનની બાબતમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. આ અવસરે ગ્રોવર એડ વેલ ઇન્‍ડિયા લિમિટેડ- દાદરાના સિનિયર મેનેજર શ્રી દિનેશ પાટીલ, શ્રી સંજય સિંહ અને જુનિયર ઓફિસર ભારતી થાપા દ્વારા પૌષણયુક્‍ત આહાર અંગે વિચાર-વિમર્શ કરી પૌષ્‍ટિક ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. શાળાની આચાર્ય જ્‍યોર્તિમય સુરેએ પણ આહાર અને વિહાર અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શ્રીમતી જીગ્ના દ્વારા કરવામાં આવી હતી.

Related posts

વલસાડની સિંગર વૈશાલી બલસારાની હત્‍યાનું રહસ્‍ય વણઉકેલ્‍યું :પોલીસની બે ટીમ બીજા રાજ્‍યમાં ઉપડી

vartmanpravah

વાપી સમર્પણ જ્ઞાન સ્‍કૂલમાં નવરાત્રી પર્વ નિમિત્તે ઉત્‍સાહભેર કરાયેલી ઉજવણી

vartmanpravah

વાપી સલવાવ ઘનશ્‍યામ વિદ્યામંદિરમાં દિવાળી પર્વ ઉપલક્ષમાં વિવિધ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

શનિવારે ખાબકેલા ભારે વરસાદમાં ખાનવેલ-દુધની માર્ગ પરનો શેલટી ખાડીપાડાનો નવનિર્મિત પુલ ધરાશાયીઃ 8થી વધુ ગામોનો તૂટેલો સંપર્ક

vartmanpravah

આજે વડાપ્રધાન નરેન્‍દ્ર મોદીના જન્‍મ દિવસ ઉજવણી ઉપક્રમે વાપીમાં વિવિધ સેવા કાર્યો યોજાશે

vartmanpravah

અજાણ્‍યા મૃતકના વાલીવારસો સંપર્ક કરે

vartmanpravah

Leave a Comment