March 3, 2026
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત સેલવાસ ખાતેની દિવ્‍યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્‍યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં પોષણ અને આરોગ્‍ય શિક્ષણ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સેમિનારનો પ્રારંભ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્‍વાગત ગીતની પ્રસ્‍તૂતિથી કરવામાંઆવ્‍યો હતો.
આ અવસરે ઇન્‍ડિયન કાઉન્‍સિલ ફોર ચાઈલ્‍ડ વેલફેરના સેક્રેટરી શ્રી એમ.વી.પરમારે પૌષક તત્ત્વ અંગે બાળકોને વિસ્‍તૃત જાણકારી આપી હતી. તેમણે બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે યોગ્‍ય પૌષ્‍ટિક ખોરાક અને સસ્‍તા સરળ પૌષક આહાર વિશે તેમજ ડાયટ કેર અને ઈયરલી ડિટેક્‍શનની બાબતમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. આ અવસરે ગ્રોવર એડ વેલ ઇન્‍ડિયા લિમિટેડ- દાદરાના સિનિયર મેનેજર શ્રી દિનેશ પાટીલ, શ્રી સંજય સિંહ અને જુનિયર ઓફિસર ભારતી થાપા દ્વારા પૌષણયુક્‍ત આહાર અંગે વિચાર-વિમર્શ કરી પૌષ્‍ટિક ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. શાળાની આચાર્ય જ્‍યોર્તિમય સુરેએ પણ આહાર અને વિહાર અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શ્રીમતી જીગ્ના દ્વારા કરવામાં આવી હતી.

Related posts

સેલવાસ ન.પા. દ્વારા સ્‍ટ્રીટ વેન્‍ડર માટે લોન મેળાનું કરાયેલું આયોજન

vartmanpravah

પારડી પોલીસ સ્‍ટેશનના પી.આઈ. બી.જે. સરવૈયાના અધ્‍યક્ષ સ્‍થાને નાતાલના તહેવાર અંગે મળી શાંતિ સમિતિની બેઠક

vartmanpravah

દાનહના સીલી ગામના અદ્વૈતા ગુરુકુળમાં દશાબ્‍દિ મહોત્‍સવ નિમિત્તે સાંસ્‍કૃતિક કાર્યક્રમ યોજાયો

vartmanpravah

સેલવાસ સાંઈ મંદિર નજીક મોપેડ સ્‍લીપ થતાં યુવતી ઘાયલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે 67 વર્ષની વયે યુવાનોને પણ શરમાવે એવા તરવરાટ સાથે સાચા કર્મયોગીની કરાવેલી ઝાંખી

vartmanpravah

દીવ ન.પા.ની ચૂંટણીમાં સોળે કળાએ ખિલેલું ભાજપનું કમળઃ જાગૃત જનતાએ તકસાધુઓને મારેલી લપડાક

vartmanpravah

Leave a Comment