October 15, 2025
Vartman Pravah
Breaking NewsOtherડિસ્ટ્રીકટદેશસેલવાસ

ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત સેલવાસ ખાતેની દિવ્‍યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં કુપોષણ નિવારણ સેમિનાર યોજાયો

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ, તા.05 : દાદરા નગર હવેલીના સેલવાસ ખાતે ઇન્‍ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા સંચાલિત દિવ્‍યાંગ બાળકો માટેની વિશેષ શાળામાં પોષણ અને આરોગ્‍ય શિક્ષણ માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્‍યું હતું. સેમિનારનો પ્રારંભ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સ્‍વાગત ગીતની પ્રસ્‍તૂતિથી કરવામાંઆવ્‍યો હતો.
આ અવસરે ઇન્‍ડિયન કાઉન્‍સિલ ફોર ચાઈલ્‍ડ વેલફેરના સેક્રેટરી શ્રી એમ.વી.પરમારે પૌષક તત્ત્વ અંગે બાળકોને વિસ્‍તૃત જાણકારી આપી હતી. તેમણે બાળકોમાં કુપોષણ દૂર કરવા માટે યોગ્‍ય પૌષ્‍ટિક ખોરાક અને સસ્‍તા સરળ પૌષક આહાર વિશે તેમજ ડાયટ કેર અને ઈયરલી ડિટેક્‍શનની બાબતમાં વિસ્‍તૃત જાણકારી આપી હતી. આ અવસરે ગ્રોવર એડ વેલ ઇન્‍ડિયા લિમિટેડ- દાદરાના સિનિયર મેનેજર શ્રી દિનેશ પાટીલ, શ્રી સંજય સિંહ અને જુનિયર ઓફિસર ભારતી થાપા દ્વારા પૌષણયુક્‍ત આહાર અંગે વિચાર-વિમર્શ કરી પૌષ્‍ટિક ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવ્‍યું હતું. શાળાની આચાર્ય જ્‍યોર્તિમય સુરેએ પણ આહાર અને વિહાર અંગે જાણકારી આપી હતી. કાર્યક્રમનું સંચાલન અને આભાર વિધિ શ્રીમતી જીગ્ના દ્વારા કરવામાં આવી હતી.

Related posts

વાપી રેલવે સ્‍ટેશનથી સાત વર્ષ પહેલા મળીઆવેલ બાળકનું ભાગ્‍ય ચમક્‍યું

vartmanpravah

ઉમરગામ પાલિકા ફાયર વિભાગ સક્રિય

vartmanpravah

નવસારી જિલ્લામાં ભારે વરસાદથી ક્ષતિગ્રસ્ત માર્ગોનું માર્ગ અને મકાન વિભાગ દ્વારા યુધ્ધના ધોરણે મરામત હાથ ધરાયું 

vartmanpravah

આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાના ૨૩મી સપ્ટે.ના રોજ સંઘપ્રદેશમાં થનારા ૩ વર્ષ પૂર્ણ

vartmanpravah

સંઘપ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવમાં લોકસભા ચૂંટણી સંદર્ભેદારૂબંધીની જાહેરાત

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલ પોતાની તમામ શક્‍તિનો ઉપયોગ કરી દાનહને આકર્ષક અદ્યતન અને શ્રેષ્‍ઠ આદર્શ જિલ્લો બનાવવા પ્રશાસન મક્કમ

vartmanpravah

Leave a Comment