October 21, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સૃષ્‍ટિના સર્જનહાર ભગવાન જગન્નાથ વાપી-વલસાડની શેરીઓમાં નગરચર્યાએ નિકળ્‍યા

ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા શણગારેલા રથમાં બિરાજી નિકળ્‍યા ત્‍યારે શેરીઓમાંગગનચુંબી જય જગન્નાથના જયઘોષ ગુંજી ઉઠયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: અષાઢ સુદ-2 એટલે ભારત વર્ષમાં અષાઢી બીજના પર્વ તરીકે ધામધૂમથી ઉજવવામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે કલાત્‍મક રથોમાં બિરાજમાન થઈને ભારતના મોટાભાગના શહેરોમાં શહેરની નગરચર્યાએ ભક્‍તોને દર્શન આપવા માટે નિકળે છે. પર્વને રથયાત્રા તરીકેનો અનેરો મહિમા છે. આજે વાપી-વલાસડમાં બગવાન જગન્નાથની ભવ્‍ય રથયાત્રાઓ નિકળી હતી.
વાપી-વલસાડ શહેરમાં ભક્‍તો ભાવવિભોર બનીને રથને સ્‍વહસ્‍તે ખેંચીને શહેરની પરિક્રમા કરાવી હતી. ઢોલ-ત્રાસાના સંગીત ભર્યા માોલમાં ભગવાન જગન્નાથ શહેરમાં રથમાં બિરાજીને ભક્‍તોને દર્શન આપવા માટે નિકળ્‍યા હતા ત્‍યારે ગગનચુંબી જય જગન્નાથના જયઘોષ ઠેર ઠેર ગુંજી ઉઠયા હતા. ભગવાનનું ઠેર ઠેર ભક્‍તોએ ભાવવિભોર બનીને સ્‍વાગત કર્યું હતું ત્‍યારે ભક્‍તો અને ભગવાનના મિલનનો કારુણ્‍યસભર દૃશ્‍યો સર્જાયા હતા. વાપીમાં બે રથયાત્રા નિકળી હતી. એક ડુંગરાથી અને બીજી ઈસ્‍કોન મંદિર કોપરલીથી નિકળી હતી. બન્ને રથયાત્રાઓમાં હજારો ભાવિકો જોડાયા હતા. ભગવાનનો રથ જાતે દોરડા વડે ખેંચી પોતાની જાતને ધન્‍ય ધન્‍ય માની રહ્યા હતા. રથયાત્રાઓ ભારતભર અને ગુજરાતભરના શહેરોમાં પ્રત્‍યેક અષાઢી બીજના શુભ દિવસે નિકળે છે. વાપીવલસાડની રથયાત્રાઓ શાંતિભર્યા માહોલ વચ્‍ચે સાંજે સંપન્ન થઈ હતી. જિલ્લા પોલીસ દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.

Related posts

રેલ્‍વે સંસદીય બેઠકમાં ભાગ લેવા પૂર્વે વાપીમાંપધારેલ સીકર સાંસદ સ્‍વામી સુમેદાનંદ સરસ્‍વતિનું સ્‍વાગત કરાયું

vartmanpravah

દમણ પોલીસે દાભેલની એક દુકાનમાં પાડેલા દરોડામાં મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્‍થો બરામદ કરવા મળેલી સફળતા: ત્રણ આરોપીઓની ધરપકડઃ ગાંજા, ચરસ, હેરોઈન જેવા ડ્રગ્‍સનું દમણમાં વધી રહેલું દૂષણ

vartmanpravah

વિવેકાનંદ સોશિયલ એન્‍ડ કલ્‍ચરલ ચેરીટેબલ ટ્રસ્‍ટ અને માઁ શારદા દેવી મહિલા પાંખ નવસારી દ્વારા મહિલાઓ માટે નિબંધ લેખન અને વકૃત્‍વ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

વલસાડમાં તોફાની વરસાદ સાથે વિજળી પડી

vartmanpravah

વલસાડ એસ.ટી. વિભાગ દ્વારા ‘‘સ્‍વભાવ સ્‍વચ્‍છતા, સંસ્‍કાર સ્‍વચ્‍છતા” થીમ સાથે હાથ ધરાયું સફાઈ અભિયાન

vartmanpravah

શ્રી સમસ્‍ત ગુજરાતી બ્રહ્મ સમાજ વાપી દ્વારા રવિવારે રક્‍તદાન કેમ્‍પ યોજાશે

vartmanpravah

Leave a Comment