October 14, 2025
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

સૃષ્‍ટિના સર્જનહાર ભગવાન જગન્નાથ વાપી-વલસાડની શેરીઓમાં નગરચર્યાએ નિકળ્‍યા

ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા શણગારેલા રથમાં બિરાજી નિકળ્‍યા ત્‍યારે શેરીઓમાંગગનચુંબી જય જગન્નાથના જયઘોષ ગુંજી ઉઠયા

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.07: અષાઢ સુદ-2 એટલે ભારત વર્ષમાં અષાઢી બીજના પર્વ તરીકે ધામધૂમથી ઉજવવામાં ભગવાન જગન્નાથ, ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે કલાત્‍મક રથોમાં બિરાજમાન થઈને ભારતના મોટાભાગના શહેરોમાં શહેરની નગરચર્યાએ ભક્‍તોને દર્શન આપવા માટે નિકળે છે. પર્વને રથયાત્રા તરીકેનો અનેરો મહિમા છે. આજે વાપી-વલાસડમાં બગવાન જગન્નાથની ભવ્‍ય રથયાત્રાઓ નિકળી હતી.
વાપી-વલસાડ શહેરમાં ભક્‍તો ભાવવિભોર બનીને રથને સ્‍વહસ્‍તે ખેંચીને શહેરની પરિક્રમા કરાવી હતી. ઢોલ-ત્રાસાના સંગીત ભર્યા માોલમાં ભગવાન જગન્નાથ શહેરમાં રથમાં બિરાજીને ભક્‍તોને દર્શન આપવા માટે નિકળ્‍યા હતા ત્‍યારે ગગનચુંબી જય જગન્નાથના જયઘોષ ઠેર ઠેર ગુંજી ઉઠયા હતા. ભગવાનનું ઠેર ઠેર ભક્‍તોએ ભાવવિભોર બનીને સ્‍વાગત કર્યું હતું ત્‍યારે ભક્‍તો અને ભગવાનના મિલનનો કારુણ્‍યસભર દૃશ્‍યો સર્જાયા હતા. વાપીમાં બે રથયાત્રા નિકળી હતી. એક ડુંગરાથી અને બીજી ઈસ્‍કોન મંદિર કોપરલીથી નિકળી હતી. બન્ને રથયાત્રાઓમાં હજારો ભાવિકો જોડાયા હતા. ભગવાનનો રથ જાતે દોરડા વડે ખેંચી પોતાની જાતને ધન્‍ય ધન્‍ય માની રહ્યા હતા. રથયાત્રાઓ ભારતભર અને ગુજરાતભરના શહેરોમાં પ્રત્‍યેક અષાઢી બીજના શુભ દિવસે નિકળે છે. વાપીવલસાડની રથયાત્રાઓ શાંતિભર્યા માહોલ વચ્‍ચે સાંજે સંપન્ન થઈ હતી. જિલ્લા પોલીસ દ્વારા ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવવામાં આવ્‍યો હતો.

Related posts

વાપીના 99 ઉદ્યોગપતિઓને ઉદ્યોગમાંથી નિકળતું પાણી સીઈટીપીમાં છોડવા માટે જી.પી.સી.બી.એ પરમીશન આપી

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે મોટી દમણ શહેર વિસ્‍તારમાં ડોર ટુ ડોર કરેલો ચૂંટણી પ્રચાર

vartmanpravah

સરકારી પ્રાથમિક શાળા કચીગામના હેડમાસ્‍તર રતિલાલ જી. પટેલ સેવા નિવૃત થતાં આપવામાં આવેલું વિદાયમાન

vartmanpravah

પારડી ખાતે બહુચરાજી માતાજીની ગોલ્‍ડન જ્‍યુબલી વર્ષની થઈ ભક્‍તિ ભાવપૂર્વક ઉજવણી

vartmanpravah

દમણ અને દીવ લોકસભાના સંભવિત અપક્ષ ઉમેદવાર ઉમેશભાઈ પટેલે દીવના વણાંકબારાથી શરૂ કર્યો પોતાનો પ્રચાર

vartmanpravah

થ્રીડી પ્રદેશ ભાજપ સચિવ જીજ્ઞેશભાઈ પટેલ અને ઘેલવાડના સરપંચ હિતાક્ષીબેન પટેલે પ્રધાનમંત્રી નરેન્‍દ્રભાઈ મોદીના જન્‍મ દિવસની આનંદ ઉત્‍સાહ સાથે નવતર રીતે કરેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment