Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં બપોર બાદ પુરના પાણી ઓસરતા (ઉતરતા) રસ્‍તાઓ ઉપર કાદવ કીચ્‍ચડ છવાઈ જતા લોકો પરેશાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ શહેરમાં ઔરંગા નદીના પાણી નિચાણવાળા વિસ્‍તારોમાં ઘૂસી ગયા હતા. સતત બે દિવસ પુર જેવી સ્‍થિતિ પ્રવર્તિ હતી પરંતુ આજે સોમવારે બપોર બાદ પાણી ધીરે ધીરે ઓસરવા લાગ્‍યા હતા. તેથી રસ્‍તા ખુલી રહ્યા હતા પરંતુ પુરની આફત તો હાલપુરતી ટળેલી લોકોએ જોઈ ત્‍યાં બીજી નવી આફત આવી પડી હતી. જ્‍યાં જ્‍યાં પાણી ઉતર્યા હતા ત્‍યાં કાદવ કિચડ છવાઈ ગયો હતો.
વલસાડના નિચાણવાળા એવા એરિયા કાશ્‍મિરનગર અને દાણાબજાર જેવા વિસ્‍તારમાં પાણી ઉતરતા ઠેર ઠેર કીચડ અને ગંદકી શરૂ થઈ હતી. પાલિકાના સફાઈ કામદારોની ટીમો જ્‍યાં જ્‍યાં કીચડ જેવી સ્‍થિતિ ઉભી થઈ હતી ત્‍યાં પાણીનો છંટકાવ કરીને કાદવ દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. હજુ અન્‍ય વિસ્‍તારોમાં પાણી એક થી બે ફૂટ જેવા ભરાયેલા છે ત્‍યાં પણ આવી જ પરિસ્‍થિતિનું પુનરાવર્તન થશે તેનક્કી છે. શહેર માટે અતિવૃષ્‍ટિ અનેક આફતો સાથે લઈને આવી છે તેવું લોકો અનુભવી રહ્યા છે.

Related posts

દાનહ ખાતે 1999ની સભામાં બાળાસાહેબ ઠાકરેએ શું કહ્યું હતું…?: પ્રદેશ ભાજપ પ્રભારી વિજ્‍યા રહાટકરે તાજી કરાવી યાદ

vartmanpravah

મોતીવાડા રેપ વિથ મર્ડર ઘટનાની મુલાકાત લેતા રેન્‍જ આઈ.જી. પ્રેમવીરસિંહ

vartmanpravah

નીતિન જાની ઉર્ફે ‘‘ખજૂરભાઈ” અને મીનાક્ષી દવેએ પ્રભૂતામાં પગલાં પાડયા પછી નાનાપોંઢામાં આદિવાસી પરિવારના મસીહા બની પહેલું ઘર બનાવી ગૃહ પ્રવેશ કરાવ્‍યો

vartmanpravah

દાદરાની સાંઈનાથ પ્‍લાસ્‍ટિક કંપનીના કામદારે ન્‍યાય માટે લેબર ઓફીસમાં કરેલી ફરિયાદ

vartmanpravah

વલસાડ જિલ્લાની સરકારી કચેરીઓમાં અનઅધિકૃત વ્‍યકિતઓના પ્રવેશ પર પ્રતિબંધ

vartmanpravah

વાપીમાં 30 જેટલા ટ્રાન્‍સપોર્ટરો સાથે 30 લાખની ઓનલાઈનથી છેતરપિંડી થતા ખળભળાટ મચી ગયો

vartmanpravah

Leave a Comment