April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

વલસાડમાં બપોર બાદ પુરના પાણી ઓસરતા (ઉતરતા) રસ્‍તાઓ ઉપર કાદવ કીચ્‍ચડ છવાઈ જતા લોકો પરેશાન

(વર્તમાન પ્રવાહ વાપી બ્‍યુરો)
વાપી, તા.05: વલસાડ શહેરમાં ઔરંગા નદીના પાણી નિચાણવાળા વિસ્‍તારોમાં ઘૂસી ગયા હતા. સતત બે દિવસ પુર જેવી સ્‍થિતિ પ્રવર્તિ હતી પરંતુ આજે સોમવારે બપોર બાદ પાણી ધીરે ધીરે ઓસરવા લાગ્‍યા હતા. તેથી રસ્‍તા ખુલી રહ્યા હતા પરંતુ પુરની આફત તો હાલપુરતી ટળેલી લોકોએ જોઈ ત્‍યાં બીજી નવી આફત આવી પડી હતી. જ્‍યાં જ્‍યાં પાણી ઉતર્યા હતા ત્‍યાં કાદવ કિચડ છવાઈ ગયો હતો.
વલસાડના નિચાણવાળા એવા એરિયા કાશ્‍મિરનગર અને દાણાબજાર જેવા વિસ્‍તારમાં પાણી ઉતરતા ઠેર ઠેર કીચડ અને ગંદકી શરૂ થઈ હતી. પાલિકાના સફાઈ કામદારોની ટીમો જ્‍યાં જ્‍યાં કીચડ જેવી સ્‍થિતિ ઉભી થઈ હતી ત્‍યાં પાણીનો છંટકાવ કરીને કાદવ દૂર કરવાની કવાયત હાથ ધરી હતી. હજુ અન્‍ય વિસ્‍તારોમાં પાણી એક થી બે ફૂટ જેવા ભરાયેલા છે ત્‍યાં પણ આવી જ પરિસ્‍થિતિનું પુનરાવર્તન થશે તેનક્કી છે. શહેર માટે અતિવૃષ્‍ટિ અનેક આફતો સાથે લઈને આવી છે તેવું લોકો અનુભવી રહ્યા છે.

Related posts

સેલવાસ ન.પા. વિસ્‍તાર માટે ચૂંટાયેલા સ્‍ટ્રીટ વેન્‍ડર એસોસિએશનના સભ્‍યોનો યોજાયો સન્‍માન સમારંભ

vartmanpravah

દાનહ અને દમણ દીવ જિલ્લાના રાષ્ટ્રીય સેવા યોજના એકમ દ્વારા ‘સ્‍વચ્‍છ ભારત’ કાર્યક્રમ 2.0 અંતર્ગત કરાયેલી સ્‍વચ્‍છતા

vartmanpravah

દમણ પોલીસ વિભાગની નિકળેલી ભવ્‍ય તિરંગા રેલીઃ હર ઘર તિરંગો ફરકાવવા અપીલ

vartmanpravah

વલસાડની બેઠક લોકસભા કે વિધાનસભામાં જે પક્ષ જીતે તેની સરકાર બને : આ વાયીકા વધુ એકવાર સાચી ઠરી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલની દિર્ઘદૃષ્‍ટિ અને માર્ગદર્શન હેઠળ સંઘપ્રદેશના ત્રણેય જિલ્લાના જન પ્રતિનિધિઓની ત્રિ-દિવસીય એક્‍સપોઝર વિઝિટ અને ક્ષમતા નિર્માણ કાર્યશાળા સંપન્ન

vartmanpravah

નવસારીમાં રંગોળીપૂરણ કાર્યક્રમો અંતર્ગત મતદાન જાગૃતિ અભિયાન યોજાયા.

vartmanpravah

Leave a Comment