April 19, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી દમણીઝાંપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિર બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર: મહાદેવને રુદ્રાક્ષ, 12 જ્‍યોર્તિલિંગ તથા 108 પાર્થિવ શિવલિંગથી કર્યો શણગાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.02: પારડી દમણીઝાપા સ્‍થિત ઐતિહાસિક તળાવના કિનારે આવેલ એકલિંગી મહાદેવનું મંદિર પારડી તથા આજુબાજુના ગામોના ભક્‍તજનો માટે ભક્‍તિ અને આસ્‍થાનું પ્રતિક હોય દૂર દૂરથી અહીં લોકો દર્શને આવતા હોય છે.
શ્રાવણ મહિનો એટલે મહાદેવની પૂજા અર્ચના કરી એમને રીઝવવાનો મહિનો નાના બાળકોથી લઇ વૃદ્ધો પણ શ્રાવણ મહિનામાં ફક્‍ત સોમવારનો ઉપવાસ કરી ભોળેનાથને પામવાનો માર્ગ સરળ કરે છે.
આજરોજ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારની સાથે સોમવતી અમાસ પણ હોય આ સોમવારનું ખૂબ મહત્‍વ વધી જાય છે. પારડીના એકલિંગી મહાદેવ મંદિરમાં આજના આ પવિત્ર દિવસે પૂજારી ચેતનભાઈ તથા ભક્‍તિબેનની સાથે નિકિતાબેન, સુમિત્રા દાદી, જીતેન્‍દ્રભાઈ, હેમંતભાઈ જેવા ભક્‍તો દ્વારા એકલિંગી મહાદેવને રુદ્રાક્ષ, સાબુદાણા તથા મૈસુરની દાળ અને મહાદેવના જ 12 જ્‍યોર્તિલિંગ અને 108 પાર્થિવ શિવલિંગનો તથા 108 દિવડાઓનો આકર્ષક રીતે શણગાર કરવામાં આવ્‍યો હતો.
આજે સાંજ સુધી ભક્‍તજનોના દર્શન માટે આ શણગાર કરેલ શિવલિંગ રાખવામાં આવશે. ત્‍યારબાદ આ તમામ શિવલિંગનો પારડી પાર નદી ખાતે વિસર્જન કરવામાં આવશે. મંદિરના પૂજારી ચેતનભાઈ અને ભક્‍તિબેને જણાવ્‍યુંહતું કે દરેક સોમવારે અહીં ભગવાન શિવજીને અલગ અલગ રીતે શણગાર કરવામાં આવે છે. જેથી ભક્‍તોજનો શિવજીના દર્શન કરી ધન્‍યતા અનુભવે છે.

Related posts

કપરાડા તાલુકાના ચાર ગામ દાદરા નગર હવેલીમાં સમાવેશ કરવાના મામલે સ્‍થાનિકોનો વિરોધ

vartmanpravah

દમણ-દીવના પૂર્વ સાંસદ ડાહ્યાભાઈ પટેલની આજે પ્રથમ પુણ્‍ય તિથિ : સત્‍કાર્યોની તાજી થતી યાદો

vartmanpravah

દમણ જિલ્લા અને સેશન્‍સ કોર્ટનો ચુકાદો : સગીરા પર બળાત્‍કારના ગુનેગારને આજીવન કેદ

vartmanpravah

પ્રશાસક પ્રફુલભાઈ પટેલે ઉપ રાષ્‍ટ્રપતિ વૈંકેયા નાયડુ તથા અન્‍ય રાજ્‍યપાલો સાથે ઉપરાષ્‍ટ્રપતિ ભવન ખાતે હાઈ ટી દરમિયાન વિવિધ મુદ્દાઓ ઉપર કરેલી ચર્ચા-વિચારણા

vartmanpravah

ભિલાડ હાઈવે ઉપરથી 40 લાખનો ગેરકાયદેસરનો ગુટખાનો જથ્‍થો ભરેલો ટેમ્‍પો ઝડપાયો

vartmanpravah

દેવકા કોલોની સરકારી ઉચ્‍ચ પ્રાથમિક શાળામાં કડૈયા પંચાયતના સરપંચ શંકરભાઈ પટેલના હસ્‍તે મધ્‍યાહન ભોજન રાશનકીટનું વિતરણ કરાયું

vartmanpravah

Leave a Comment