October 20, 2024
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

પારડી દમણીઝાંપા સ્‍થિત એકલિંગી મહાદેવ મંદિર બન્‍યું આકર્ષણનું કેન્‍દ્ર: મહાદેવને રુદ્રાક્ષ, 12 જ્‍યોર્તિલિંગ તથા 108 પાર્થિવ શિવલિંગથી કર્યો શણગાર

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
પારડી, તા.02: પારડી દમણીઝાપા સ્‍થિત ઐતિહાસિક તળાવના કિનારે આવેલ એકલિંગી મહાદેવનું મંદિર પારડી તથા આજુબાજુના ગામોના ભક્‍તજનો માટે ભક્‍તિ અને આસ્‍થાનું પ્રતિક હોય દૂર દૂરથી અહીં લોકો દર્શને આવતા હોય છે.
શ્રાવણ મહિનો એટલે મહાદેવની પૂજા અર્ચના કરી એમને રીઝવવાનો મહિનો નાના બાળકોથી લઇ વૃદ્ધો પણ શ્રાવણ મહિનામાં ફક્‍ત સોમવારનો ઉપવાસ કરી ભોળેનાથને પામવાનો માર્ગ સરળ કરે છે.
આજરોજ શ્રાવણ મહિનાનો છેલ્લો સોમવારની સાથે સોમવતી અમાસ પણ હોય આ સોમવારનું ખૂબ મહત્‍વ વધી જાય છે. પારડીના એકલિંગી મહાદેવ મંદિરમાં આજના આ પવિત્ર દિવસે પૂજારી ચેતનભાઈ તથા ભક્‍તિબેનની સાથે નિકિતાબેન, સુમિત્રા દાદી, જીતેન્‍દ્રભાઈ, હેમંતભાઈ જેવા ભક્‍તો દ્વારા એકલિંગી મહાદેવને રુદ્રાક્ષ, સાબુદાણા તથા મૈસુરની દાળ અને મહાદેવના જ 12 જ્‍યોર્તિલિંગ અને 108 પાર્થિવ શિવલિંગનો તથા 108 દિવડાઓનો આકર્ષક રીતે શણગાર કરવામાં આવ્‍યો હતો.
આજે સાંજ સુધી ભક્‍તજનોના દર્શન માટે આ શણગાર કરેલ શિવલિંગ રાખવામાં આવશે. ત્‍યારબાદ આ તમામ શિવલિંગનો પારડી પાર નદી ખાતે વિસર્જન કરવામાં આવશે. મંદિરના પૂજારી ચેતનભાઈ અને ભક્‍તિબેને જણાવ્‍યુંહતું કે દરેક સોમવારે અહીં ભગવાન શિવજીને અલગ અલગ રીતે શણગાર કરવામાં આવે છે. જેથી ભક્‍તોજનો શિવજીના દર્શન કરી ધન્‍યતા અનુભવે છે.

Related posts

પારડી નગરપાલિકા ખાતે છેલ્લી સામાન્‍ય સભાનું થયું આયોજન

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલના કુશળ નેતૃત્‍વમાં દીવમાં સ્‍વિમિંગ ચેમ્‍પિયનશીપ સ્‍પર્ધા યોજાઈ

vartmanpravah

દાદરા ગામમાં રહેતી પરપ્રાંતિય 19 વર્ષિય યુવતી પ્રિયાકુમારી પિન્‍ટુ સિંહા ગુમ

vartmanpravah

દીવના છેલ્લા 31 વર્ષથી દગાચી ખાતે ગુરુનાનક જયંતિની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે આ વર્ષ પણ ગુરુ નાનક જયંતિની ભવ્‍ય ઉજવણી કરવામાં આવી

vartmanpravah

આજે સેલવાસમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ના ઉપક્રમે મૌન રેલીનું આયોજન પેટાઃ સાંજે પાંચ વાગ્‍યે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે મૌન રેલી પહોંચશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા. 13 14મી ઓગસ્‍ટ, 2022ના રોજ સમગ્ર ભારતભરમાં ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ (પાર્ટીશન હોરરર્સ રેમમ્‍બ્રેસ ડે) મનાવવામાં આવશે. જેના ઉપલક્ષમાં દાદરા નગર હવેલીના સેલવાસમાં પણ જિલ્લા પ્રશાસન દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવામાં આવશે. ભારતનીઆઝાદીની પૂર્વ સંધ્‍યાએ 14મી ઓગસ્‍ટ, 1947ના રોજ પાકિસ્‍તાનનું સર્જન થતાં ત્‍યાં રહેતા હજારો બિન મુસ્‍લિમોને હિજરત કરવાની ફરજ પડી હતી, અને તેમને વિસ્‍થાપિત થવા પડયું હતું. આ કાળા દિવસને યાદ કરી તેમાં શહિદ થયેલા પરિવારની સ્‍મરાંજલિ માટે ભારત સરકાર દ્વારા ‘વિભાજનની ભયાનકતા સ્‍મરણ દિવસ’ મનાવવાનો પ્રારંભ આઝાદીના અમૃત વર્ષથી કરાયો છે. આવતી કાલે સેલવાસ ખાતે સાંજે 5:00 વાગ્‍યે એક મૌન યાત્રા નિકળશે. જે સેલવાસ કલેક્‍ટરાલયથી કિલવણી નાકા થઈ કલા કેન્‍દ્ર ખાતે પહોંચશે. જ્‍યાં 14 થી 16 ઓગસ્‍ટ દરમિયાન ‘વિભાજનની ભયાનકતા’ પ્રદર્શિત કરતું પ્રદર્શન લોકો માટે 3 દિવસ સુધી ખુલ્લુ રહેશે. સેલવાસના રેસિડેન્‍ટ ડેપ્‍યુટી કલેક્‍ટર સુશ્રી ચાર્મી પારેખે આમજનતાને આવતી કાલે સફેદ અથવા હલકા રંગના વષા પરિધાન કરે તથા ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આગેવાનો આ અભિયાનમાં સામેલ થઈ મૌન યાત્રામાં ભાગ લેવા આહ્‌વાન કર્યું છે.

vartmanpravah

દાનહના મહારાષ્ટ્ર જન સેવા સંગઠન દ્વારા મહાત્‍મા જ્‍યોતિબા ફૂલેની જન્‍મ જયંતીની કરાયેલી ઉજવણી

vartmanpravah

Leave a Comment