July 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા પારડીખાતે તા.30 સપ્‍ટેમબરના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

16 ખાનગી કંપનીની 700થી વધુ જગ્‍યાઓ માટે ઈન્‍ટરવ્‍યુ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: જિલ્લા રોજગાર કચેરી વલસાડ અને જે. પી. પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડીનાં સંયુક્‍ત ઉપક્રમે તા.30/09/24ના રોજ સવારે 10-00 વાગ્‍યે જે. પી. પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડી ખાતે રોજગાર ભરતીમેળોનું આયોજન કરવામાં આવશે. ઔદ્યોગિક એકમો વિવિધ સંસ્‍થાઓ, વગેરેને તેમની જરૂરિયાત મુજબની ખાલી જગ્‍યાઓ સામે કુશળ/અકુશળ માનવબળ મળી રહે તેમજ રોજગારવાંચ્‍છુ ઉમેદવારોને તેમની લાયકાત અનુસાર પસંદગીની જગ્‍યાએ રોજગારી મળી રહે તેવા હેતુથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ ભરતીમેળામાં 16 ખાનગી કંપનીઓની 700 કરતા પણ વધુ ખાલી જગ્‍યાઓ માટે પસંદગી પ્રક્રિયા ઈન્‍ટરવ્‍યુ યોજાશે. રોજગારી મેળવવા ઈચ્‍છુક ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અંગેના તમામ પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝ ફોટો તેમજ આધારકાર્ડની ઝેરોક્ષ કોપી અને બાયોડેટા સાથે હાજર રહેવા વલસાડ રોજગાર અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

દાનહ લોકસભા બેઠકની પેટા ચૂંટણી 30મી ઓક્‍ટોબરેઃ પરિણામ 2જી નવેમ્‍બરે

vartmanpravah

નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વાપીની ફેલોશીપ મિશન સ્કૂલના અલંકરણ સમારોહમાં હાજરી આપી

vartmanpravah

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિત શાહનો “નશીલા પદાર્થોના દુરુપયોગ અને ગેરકાયદેસર હેરફેર સામેના આંતરરાષ્ટ્રીય દિવસ” પર સંદેશ : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ, ગૃહ મંત્રાલય દ્વારા અપનાવવામાં આવેલી માદક દ્રવ્યો સામે શૂન્ય સહિષ્ણુતાની નીતિના આજે સફળ પરિણામો જોવા મળી રહ્યા છે

vartmanpravah

આદીવાસી એકતા મંચ દ્વારા આયોજીત : આદિવાસી સ્‍વાભિમાન અધિકાર યાત્રાનું પારડી ખાતે આગમન

vartmanpravah

કચીગામ ગ્રામ પંચાયતની ગ્રામસભામાં સરપંચ ભરતભાઈ પટેલે સમસ્‍યાના ઉકેલની સાથે પંચાયતના વિકાસનું જાહેર કરેલું વિઝન

vartmanpravah

વલસાડ જિલ્લામાં ફરી કોરોના માથુ ઉંચકી રહ્યો છે: છીરી, અંભેટીના નવા બે કેસ સાથે 36 એક્‍ટિવ કેસ

vartmanpravah

Leave a Comment