September 2, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા પારડીખાતે તા.30 સપ્‍ટેમબરના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

16 ખાનગી કંપનીની 700થી વધુ જગ્‍યાઓ માટે ઈન્‍ટરવ્‍યુ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: જિલ્લા રોજગાર કચેરી વલસાડ અને જે. પી. પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડીનાં સંયુક્‍ત ઉપક્રમે તા.30/09/24ના રોજ સવારે 10-00 વાગ્‍યે જે. પી. પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડી ખાતે રોજગાર ભરતીમેળોનું આયોજન કરવામાં આવશે. ઔદ્યોગિક એકમો વિવિધ સંસ્‍થાઓ, વગેરેને તેમની જરૂરિયાત મુજબની ખાલી જગ્‍યાઓ સામે કુશળ/અકુશળ માનવબળ મળી રહે તેમજ રોજગારવાંચ્‍છુ ઉમેદવારોને તેમની લાયકાત અનુસાર પસંદગીની જગ્‍યાએ રોજગારી મળી રહે તેવા હેતુથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ ભરતીમેળામાં 16 ખાનગી કંપનીઓની 700 કરતા પણ વધુ ખાલી જગ્‍યાઓ માટે પસંદગી પ્રક્રિયા ઈન્‍ટરવ્‍યુ યોજાશે. રોજગારી મેળવવા ઈચ્‍છુક ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અંગેના તમામ પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝ ફોટો તેમજ આધારકાર્ડની ઝેરોક્ષ કોપી અને બાયોડેટા સાથે હાજર રહેવા વલસાડ રોજગાર અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

વલસાડ અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં વિજયા દશમીના દિવસે ઠેર ઠેર રાવણ પુતળા દહનના કાર્યક્રમો યોજ્‍યા

vartmanpravah

કોંગ્રેસના શાસનમાં તગડા બનેલા નેતાઓએ પક્ષને કરેલા દગાનો ભોગ આજે દાદરા નગર હવેલીની જનતા ભોગવી રહી છેઃ દાનહ કોંગ્રેસ પ્રમુખ મહેશ શર્મા

vartmanpravah

કપરાડા તાલુકા સરપંચ સંઘની મિટીંગ યોજાઈ : પ્રમુખ તરીકે નાનાપોંઢાના સરપંચ મુકેશ પટેલની વરણી

vartmanpravah

વલસાડ રેલવે સ્‍ટેશનથી 2 મોબાઈલ સ્‍નેચરોની ધરપકડ કરતી દમણ પોલીસ

vartmanpravah

વાપી ખાતે જિલ્લા કક્ષાના 75મા પ્રજાસત્તાક પર્વે રાજ્‍યકક્ષાના વન અને પર્યાવરણ મંત્રી મુકેશભાઈ પટેલે ધ્‍વજવંદન કરી સલામી આપી

vartmanpravah

દમણથી પ્રકાશિત હિન્‍દી દૈનિક અસલી આઝાદીના તંત્રી અને માલિક વિજય ભટ્ટના માતૃશ્રી ઉષાબેન ભટ્ટનું નિધન: સ્‍વ. ઉષાબેન ભટ્ટે પોતાના સંતાનોને સંઘર્ષ અને સેવાના સિંચેલા સંસ્‍કાર

vartmanpravah

Leave a Comment