April 17, 2026
Vartman Pravah
Breaking Newsઉમરગામકપરાડાગુજરાતચીખલીડિસ્ટ્રીકટદેશનવસારીપારડીવલસાડવાપી

જિલ્લા રોજગાર કચેરી દ્વારા પારડીખાતે તા.30 સપ્‍ટેમબરના રોજ રોજગાર ભરતી મેળો યોજાશે

16 ખાનગી કંપનીની 700થી વધુ જગ્‍યાઓ માટે ઈન્‍ટરવ્‍યુ યોજાશે

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
વલસાડ, તા.25: જિલ્લા રોજગાર કચેરી વલસાડ અને જે. પી. પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડીનાં સંયુક્‍ત ઉપક્રમે તા.30/09/24ના રોજ સવારે 10-00 વાગ્‍યે જે. પી. પારડીવાલા આર્ટસ એન્‍ડ કોમર્સ કોલેજ કિલ્લા પારડી ખાતે રોજગાર ભરતીમેળોનું આયોજન કરવામાં આવશે. ઔદ્યોગિક એકમો વિવિધ સંસ્‍થાઓ, વગેરેને તેમની જરૂરિયાત મુજબની ખાલી જગ્‍યાઓ સામે કુશળ/અકુશળ માનવબળ મળી રહે તેમજ રોજગારવાંચ્‍છુ ઉમેદવારોને તેમની લાયકાત અનુસાર પસંદગીની જગ્‍યાએ રોજગારી મળી રહે તેવા હેતુથી રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્‍યું છે.
આ ભરતીમેળામાં 16 ખાનગી કંપનીઓની 700 કરતા પણ વધુ ખાલી જગ્‍યાઓ માટે પસંદગી પ્રક્રિયા ઈન્‍ટરવ્‍યુ યોજાશે. રોજગારી મેળવવા ઈચ્‍છુક ઉમેદવારોએ શૈક્ષણિક લાયકાત અંગેના તમામ પ્રમાણપત્રો, પાસપોર્ટ સાઈઝ ફોટો તેમજ આધારકાર્ડની ઝેરોક્ષ કોપી અને બાયોડેટા સાથે હાજર રહેવા વલસાડ રોજગાર અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્‍યું છે.

Related posts

દાનહ અને દમણ-દીવના જિ.પં. તથા ન.પા.ના અધ્‍યક્ષોએ દિલ્‍હી કર્તવ્‍ય પથ ખાતે પ્રદેશની માટી ભરેલા અમૃત કળશનું કરેલું અર્પણ

vartmanpravah

વિજ્ઞાન પ્રોજેક્‍ટ પ્રદર્શનમાં ઉત્‍કૃષ્‍ટ પ્રદર્શન કરનારી દમણની સાર્વજનિક શાળા રાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેશે

vartmanpravah

દાદરા નગર હવેલી ફેડરેશન ઓફ ઇન્‍ડસ્‍ટ્રીઝ એસોસિએશનના હોદેદારોની નિમણૂક કરાઈ

vartmanpravah

મોરબી ખાતે દર્દનાક દુર્ઘટનાને લઈ દીવની ગ્રામ પંચાયતોએ મૃતકોને મીણબત્તી તથા પુષ્‍પ અર્પણ કરી શ્રધ્‍ધાંજલિ આપી

vartmanpravah

વલસાડમાં કસ્તુરબા હોસ્પિટલ રૂ. ૧.પ૧ કરોડ અને તડકેશ્વર મહાદેવ મંદિર ટ્રસ્ટને રૂ. પ૧ લાખનું દાન રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ તરફથી મળ્યું

vartmanpravah

ચીખલી તાલુકાના કણભઈ સતાડીયા ગામે લગ્નની શરણાઈમાં વરસાદ બન્‍યો વિલન 

vartmanpravah

Leave a Comment