March 3, 2026
Vartman Pravah
દમણ

દમણ જિલ્લાની મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા પ્રશાસન એક્‍શન મોડમાં: રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની પ્રવૃત્તિઓનું કરાયેલું નિરીક્ષણ

રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપના વિવિધ ઉત્‍પાદનોના બ્રાન્‍ડીંગ તથા માર્કેટીંગ સ્‍ટ્રેટેજી બાબતે પણ કરવામાં આવેલો વિચાર-વિમર્શ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08
આજે સંઘપ્રદેશ પ્રશાસનના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતના નેતૃત્‍વમાં અધિકારીઓ અને પદાધિકારીઓની ટીમે દમણમાં કાર્યરત વિવિધ સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપમાં ચાલી રહેલ રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની કામગીરીનું પરિક્ષણ કર્યુ હતું અને મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાની દિશામાં ચર્ચા-વિચારણા પણ કરી હતી.
આજે દુણેઠા ગ્રામ પંચાયત ખાતે મુલાકાત લઈ ત્‍યાં નવા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની રચના બાબતે મનન-મંથન કરવામાં આવ્‍યું હતું. મહિલાઓ આત્‍મનિર્ભર બનવા પોતાની આજીવિકા રળી શકે એ માટે પાપડ તથા અચાર બનાવવા તથા દમણ જિલ્લાની હોટલોમાં તેના માર્કેટીંગ માટેની સ્‍ટ્રેટેજી બાબતે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉત્‍પાદનનું બ્રાન્‍ડીગ કરવા તથા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપનેપાપડ તથા અચાર બનાવવા અને ટેલરીંગ બાબતે યોગ્‍ય તાલીમ આપવા પણ વિચાર વિમર્શ કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી આશિષ મોહન, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણવાડા વિભાગના જિ.પં. સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, બી.ડી.ઓ. શ્રી પ્રેમજીભાઈ મકવાણા, શ્રીમતી રૂકમણીબેન ભાનુશાલી તથા રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દમણના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

વર્તમાન પ્રવાહમાં પ્રસિદ્ધ થયેલ જ્‍યોતિષી બાબુભાઈ શાષાીની ભવિષ્‍યવાણી સચોટ સાબિત થઈઃ ભાજપે 153 કરતા વધુ બેઠકો જીતી સર્જેલો ઈતિહાસ

vartmanpravah

મનના અંધારાને દૂર કરવાનો તહેવાર એટલે દિવાળીઃ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલ: સંઘપ્રદેશના પ્રશાસકશ્રી દ્વારા યોજાયેલો દિપાવલી સ્‍નેહ મિલન સમારંભ

vartmanpravah

દમણ જિ.પં.ના પ્રમુખ તરીકે ચૂંટાતા પોતાના રાજકીય ગુરૂ સ્‍વ.ડાહ્યાભાઈ પટેલનાઅલૌકિક આશીર્વાદ લેતા નવિનભાઈ પટેલ

vartmanpravah

કેન્‍દ્રીય બજેટમાં ખેડૂતલક્ષી યોજનાઓથી દેશનો સર્વાંગી વિકાસ થશે : પૂર્વ સાંસદ ગોપાલ દાદા

vartmanpravah

દાદરા નગર હવેલી ભાજપા એસ.ટી. મોરચા દ્વારા સાયલી ગામના બાળકની નિર્મમ હત્‍યા સંદર્ભે એસ.પી.ને રજુઆત કરાઈ

vartmanpravah

30મી એપ્રલના શનિવારે દાનહના નરોલી પીએચસી ખાતે દિવ્‍યાંગો માટે શિબિરનું આયોજન કરાશે

vartmanpravah

Leave a Comment