March 3, 2026
Vartman Pravah
Other

દમણ જિ.પં.ના બાંધકામ સમિતિના અધ્‍યક્ષ તરીકે સોમનાથ-એ

વિભાગના જિ.પં.સભ્‍ય રીનાબેન પટેલની વરણી
જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિનું વિકાસની દૃષ્‍ટિએ વ્‍યુહાત્‍મક મહત્‍વ હોવા છતાં રીનાબેન પટેલે અનેક પડકારોનો સામનો કરવા તૈયાર રહેવું પડશે : તમામ વોર્ડમાં સમતોલ વિકાસ માટે રાખવો પડશે આગ્રહ
હાલમાં દમણ જિ.પં.ના બહુમતિ સભ્‍યો ભ્રષ્‍ટાચાર મુક્‍ત, પ્રમાણિક અને સ્‍વચ્‍છ શાસનના હિમાયતી હોવાથી ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન થવાની શક્‍યતા નહિવત
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08 : દમણ જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના અધ્‍યક્ષ તરીકે સોમનાથ-એ વિભાગના જિ.પં. સભ્‍ય શ્રીમતી રીનાબેન હરીશભાઈ પટેલની નિયુક્‍તિ કરવામાં આવી છે. જિલ્લા પંચાયતમાં બાંધકામ સમિતિનું વિકાસનીદૃષ્‍ટિએ વ્‍યુહાત્‍મક મહત્‍વ રહેલું છે. આ સમિતિના અધ્‍યક્ષ તરીકે શ્રીમતી રીનાબેન પટેલે અનેક પડકારોનો પણ સામનો કરવો પડશે.
સોમનાથ-એ વિભાગના જિ.પં.સભ્‍ય શ્રીમતી રીનાબેન પટેલ પાસે આગવી નેતૃત્‍વ શક્‍તિ અને ભ્રષ્‍ટાચાર મુક્‍ત પ્રશાસન આપવાની નેમ હોવાથી તેઓ જિલ્લા પંચાયતના તંત્ર સાથે સમન્‍વય રાખી વિકાસના કામોને અગ્રતા આપશે એવું આકલન વ્‍યક્‍ત થઈ રહ્યું છે અને જિલ્લા પંચાયતના તમામ વોર્ડમાં સમતોલ વિકાસના ફળ પહોંચે તેની પણ તેઓ તકેદારી રાખશે એવી અપેક્ષા વ્‍યક્‍ત થઈ રહી છે.
અત્રે યાદ રહે કે, ભૂતકાળમાં જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિ ઉપર અનેક કલંકો લાગ્‍યા હતા. છેવટે પ્રશાસને સત્તા અને શક્‍તિ ઉપર કાપ મૂકવાનો નિર્ણય પણ લેવા પડયો હતો. પરંતુ હાલની જિલ્લા પંચાયતના બહુમતિ સભ્‍યો ભ્રષ્‍ટાચાર મુક્‍ત પ્રમાણિક અને સ્‍વચ્‍છ શાસનના હિમાયતી હોવાથી ભૂતકાળની ભૂલોનું પુનરાવર્તન થવાની શક્‍યતા નહિવત હોવાનું માનવામાં આવી રહ્યું છે.

Related posts

પાંચ દિવસના દિપોત્‍સવનો દ્રષ્ટિકોણઃ લક્ષ્મીસંપત્તિને માતૃસ્‍વરૂપ માની જીવનમાંથી આળસ પ્રમાદ અસ્‍વચ્‍છતા સહિતના અનિષ્ટોને જીવનમાંથી દૂર કરવાનું પર્વ

vartmanpravah

‘રોબોટિક્‍સ મહોત્‍સવ’ હેઠળ ‘રોબોટેક્‍સ ઈન્‍ટરનેશનલ ચેમ્‍પિયનશિપ-2024’માં ભાગ લેવા સંઘપ્રદેશ શાસિત પ્રદેશ દાદરા નગર હવેલી અને દમણ-દીવના પાંચ વિદ્યાર્થીઓ તાલીન પહોંચ્‍યા

vartmanpravah

‘જનજાતિય ગૌરવ દિવસ’ પખવાડા અંતર્ગત જનનાયક ભગવાન બિરસા મુંડાની જન્‍મ જયંતિના અવસરે સંઘપ્રદેશ દાનહ અને દમણ-દીવની શાળાઓમાં વિવિધ કાર્યક્રમો યોજાયાઃ સ્‍થાનિક આદિવાસી ઉપલબ્‍ધિકર્તાઓએ વિદ્યાર્થીઓને જણાવી તેમની સફળતાની વાતો

vartmanpravah

દમણ-દીવના સાંસદ લાલુભાઈ પટેલે પાકિસ્‍તાની જેલમાં બંદીવાન માછીમારોને છોડાવવા લોકસભામાં કરેલી સિંહગર્જના: વિદેશ મંત્રીને દરમિયાનગીરી કરવા કરેલી હાકલ

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસકે વિકાસ કામોના નિરીક્ષણ-અવલોકન માટે કરેલું દમણ ભ્રમણઃ ખાસિયતો-ખામીની થશે સમીક્ષા

vartmanpravah

ઉપ રાષ્‍ટ્રપતિનો સંઘપ્રદેશ પ્રવાસઃ પ્રશાસક પ્રફુલભાઈ પટેલનું બોલેલું કામ

vartmanpravah

Leave a Comment