(વર્તમાન પ્રવાહ ન્યુઝ નેટવર્ક)
દમણ, તા.08: ‘વર્તમાન પ્રવાહ’ના તા.29મી નવેમ્બર, 2022ના અંકમાં સુરતના જ્યોતિષ પંડિત બાબુભાઈ શાષાીની પ્રસિદ્ધ થયેલી ભવિષ્યવાણી સચોટ સાબિત થઈ છે. તેમણે 153 બેઠક સુધીનો અંદાજ વ્યક્ત કર્યો હતો. ગુજરાત સહિત ભારતના લગભગ તમામજ્યોતિષો દાવો કરતા હતા કે, આ વખતે ભાજપ માધવસિંહ સોલંકીનો 149 બેઠક જીતવાનો રેકોર્ડ નહીં તોડશે તે વખતે ‘વર્તમાન પ્રવાહ’માં જ્યોતિષી પંડિત બાબુભાઈ શાષાીએ 153 બેઠક સુધી ભાજપના ભવ્ય વિજયનો દાવો કર્યો હતો જે અત્યંત સચોટ સાબિત થયો છે.