October 14, 2025
Vartman Pravah
દમણ

દમણ જિલ્લાની મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા પ્રશાસન એક્‍શન મોડમાં: રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની પ્રવૃત્તિઓનું કરાયેલું નિરીક્ષણ

રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનના સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપના વિવિધ ઉત્‍પાદનોના બ્રાન્‍ડીંગ તથા માર્કેટીંગ સ્‍ટ્રેટેજી બાબતે પણ કરવામાં આવેલો વિચાર-વિમર્શ
(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
દમણ, તા.08
આજે સંઘપ્રદેશ પ્રશાસનના પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ વિભાગના સચિવ શ્રી ગૌરવસિંહ રાજાવતના નેતૃત્‍વમાં અધિકારીઓ અને પદાધિકારીઓની ટીમે દમણમાં કાર્યરત વિવિધ સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપમાં ચાલી રહેલ રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશનની કામગીરીનું પરિક્ષણ કર્યુ હતું અને મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવાની દિશામાં ચર્ચા-વિચારણા પણ કરી હતી.
આજે દુણેઠા ગ્રામ પંચાયત ખાતે મુલાકાત લઈ ત્‍યાં નવા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપની રચના બાબતે મનન-મંથન કરવામાં આવ્‍યું હતું. મહિલાઓ આત્‍મનિર્ભર બનવા પોતાની આજીવિકા રળી શકે એ માટે પાપડ તથા અચાર બનાવવા તથા દમણ જિલ્લાની હોટલોમાં તેના માર્કેટીંગ માટેની સ્‍ટ્રેટેજી બાબતે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. ઉત્‍પાદનનું બ્રાન્‍ડીગ કરવા તથા સેલ્‍ફ હેલ્‍પ ગ્રુપનેપાપડ તથા અચાર બનાવવા અને ટેલરીંગ બાબતે યોગ્‍ય તાલીમ આપવા પણ વિચાર વિમર્શ કરવામાં આવ્‍યો હતો.
આ પ્રસંગે પંચાયતી રાજ અને ગ્રામીણ વિકાસ વિભાગના સંયુક્‍ત સચિવ શ્રી આશિષ મોહન, દમણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી બાબુભાઈ પટેલ, દમણવાડા વિભાગના જિ.પં. સભ્‍ય શ્રીમતી ફાલ્‍ગુનીબેન પટેલ, બી.ડી.ઓ. શ્રી પ્રેમજીભાઈ મકવાણા, શ્રીમતી રૂકમણીબેન ભાનુશાલી તથા રાષ્‍ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન દમણના અધિકારીઓ ઉપસ્‍થિત રહ્યા હતા.

Related posts

આર.બી.આઈ. દ્વારા આયોજીત જિલ્લા સ્‍તરીય ‘નાણાંકીય સાક્ષરતા-2023′ વિષય પર અખિલ ભારતીય ક્‍વીઝ સ્‍પર્ધામાં દમણવાડા સરકારી ઉચ્‍ચતર માધ્‍યમિક (અંગ્રેજી માધ્‍યમ) શાળાની બે વિદ્યાર્થીનીઓ ઝળકી

vartmanpravah

દામિની વુમન્‍સ ફાઉન્‍ડેશનના દ્વિતીય સમૂહ લગ્ન સમારંભનું સફળ આયોજનઃ 10 નવયુગલોએ પાડેલા પ્રભૂતામાંપગલાં

vartmanpravah

લોકસભાની દમણ-દીવ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કેતનભાઈ પટેલે દીવના બંદરચોકથી કાઢેલી ભવ્‍ય રેલી

vartmanpravah

સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલભાઈ પટેલે શામળાજી ખાતે કરેલું આશ્રમ ચોકીનું ભૂમિપૂજન અને ખાતમુહૂર્ત

vartmanpravah

સંઘપ્રદેશ ખેલ અને યુવા વિભાગ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્‍ટ યોજાઈ

vartmanpravah

આજે મુંબઈ હાઈકોર્ટના ન્‍યાયમૂર્તિ એન.જે.જમાદારના મુખ્‍ય અતિથિ પદે દમણના સ્‍વામી વિવેકાનંદ ઓડિટોરિયમમાં કાનૂની જાગૃતતા અને સમાપન કાર્યક્રમનું આયોજન

vartmanpravah

Leave a Comment