October 14, 2025
Vartman Pravah
Breaking Newsગુજરાતડિસ્ટ્રીકટદમણદીવસેલવાસ

દાદરા નગર હવેલી ભાજપા એસ.ટી. મોરચા દ્વારા સાયલી ગામના બાળકની નિર્મમ હત્‍યા સંદર્ભે એસ.પી.ને રજુઆત કરાઈ

બાળકની બલી ચડાવવામાં આવી હોવાની ફેલાયેલી ખબરની પણ એસ.પી.ને આપેલી માહિતી

(વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક)
સેલવાસ,તા.09 : દાદરા નગર હવેલી ભારતીય જનતા પાર્ટી એસ.ટી.મોરચાના પદાધિકારીઓ દ્વારા સાયલી ગામના બાળક ચૈતા ગણેશ કોલ્‍હાની નિર્મમ હત્‍યા સંદર્ભે એસ.પી.ને લેખિત રજુઆત કરવામાં આવી હતી.
પ્રાપ્ત માહિતી મુજબ ગત 29 ડિસેમ્‍બરના રોજ બાળક ગુમ થયો હોવાની ફરિયાદ એમના પરિવારે સેલવાસ પોલીસ સ્‍ટેશનમાં દાખલ કરાવી હતી. ત્રણ દિવસ બાદ સાયલીથી ગુજરાતમાં જતી દમણગંગા નહેરમાંથી વગર માથાની અને પગ વગરની બાળકની લાશ મળતા ગુજરાત પોલીસે દા.ન.હ. પોલીસને જાણ કરી હતી. સેલવાસ પોલીસે પણ બાળકનું માથું અને પગ સાયલી સ્‍મશાનમાંથી મળવાના સમાચાર છે. આ બાળક આદિવાસી વારલી સમાજનો છે અને એમના પરિવારની કોઈની સાથે કોઈ જ અદાવત કે દુશ્‍મની નથી. લોકોમાં નિર્દોષ બાળકની કોઈ ગુનેગાર અને તાંત્રિક દ્વારા બલી ચડાવી હોવાની વાતો બહાર આવી રહી છે. આ ઘટના અત્‍યંત ઘૃણાસ્‍પદ અને અમાનવીય અને જાણી જોઈને કરવામાં આવેલ ઘણો ગંભીર ગુન્‍હો છે.
એસ.ટી. મોરચાના પ્રમુખ શ્રી રમેશભાઈ કડુ અને એમની ટીમેઆ ઘટનાની ન્‍યાયપૂર્ણ પોલીસ તપાસ અને ઘટનામાં સામેલ દરેક લોકોની ધરપકડ કરી ન્‍યાયિક કાર્યવાહી માટે માંગ કરી છે અને આરોપીને સખતમાં સખત સજા મળે એના માટે પોલીસ દ્વારા દરેક રીતે યોગ્‍ય અને જલ્‍દી કાર્યવાહી કરવામાં આવે.

Related posts

મોટી દમણ કોમ્‍પલેક્ષના વાર્ષિક રમતોત્‍સવમાં પરિયારી અને દમણવાડા ઉચ્‍ચ પ્રાથમિક શાળા સંયુક્‍ત રૂપે ચેમ્‍પિયન

vartmanpravah

દાનહ અને દમણ-દીવ પ્રદેશ ભાજપના પ્રમુખ પદનું કાઉન્‍ટ ડાઉન શરૂઃ દીપેશભાઈ ટંડેલનું પુનરાવર્તન કે પછી પરિવર્તન?

vartmanpravah

ચીખલી તાલુકા પંચાયતમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેરની અગમચેતીના ભાગરૂપે બેઠક યોજાઈ

vartmanpravah

ધરમપુર તાલુકાની ચાર વાંચન કુટિરોમાં 15 મી ઓગસ્‍ટે પુસ્‍તક પ્રદર્શન અને ચિત્ર સ્‍પર્ધા યોજાશે

vartmanpravah

સેલવાસ પાલિકા વિસ્‍તારમાં વગર પરમીશને ઝંડા લગાવવામા આવશે તેઓ સામે કાયદેસરની કાર્યવાહી કરાશે (વર્તમાન પ્રવાહ ન્‍યુઝ નેટવર્ક) સેલવાસ, તા.17 સેલવાસ નગરપાલિકા દ્વારા દાનહ નગર પરિષદ વિજ્ઞાપન પર કર, નિયમ 2018ના ખંડ 2ર્(ી)ની પરિભાષા મુજબ ધ્‍વજના માધ્‍યમ દ્વારા જાહેરાત પાલિકા વિસ્‍તારમા વગર પરમિશને નિષિદ્ધ છે. જેથી દરેકને સૂચિત કરવામા આવે છે કે કોઈપણ એજન્‍સી/સંસ્‍થા/વ્‍યક્‍તિ જે પાલિકા વિસ્‍તારમા ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન આપવા માંગે છે તેઓએ પાલિકાની પૂર્વ અનુમતિ લેવા અરજી કરવી પડશે.જેનો દર 1 રૂપિયા પ્રતિ દિન પ્રતિ સંખ્‍યા અધિસુચના સંખ્‍યા 10/9/18 અનુસાર છે. અવરજવર સબંધી ખતરો અને વીજળીના સંભવિત ખતરાને જોતા સુરક્ષા સુનિヘતિ કરવા માટે કોઈપણ વીજળીના થાંભલા પર ઝંડા લગાવવાની પરમીશન આપવામા આવશે નહિ. જો પાલિકા વિસ્‍તારમાં પાલિકાની પરમિશન વગર ધ્‍વજના માધ્‍યમથી વિજ્ઞાપન અથવા પ્રચાર કરવામા આવશે તો કાર્યક્રમ આયોજક એજન્‍સી સંસ્‍થા વ્‍યક્‍તિને જવાબદાર ઠેરવવામા આવશે અને દાદરા નગર હવેલી નગર પરિષદ નિયમ 2018 અનુસાર કાયદેસરની કાર્યવાહી કરવામા આવશે.

vartmanpravah

દાનહમાં શાળા અને આંગણવાડીના કુલ 12236 બાળકોનું પહેલાં દિવસે કરાયું આરોગ્‍ય સ્‍ક્રીનિંગ

vartmanpravah

Leave a Comment